Unified Pension Scheme: શું તમામ સરકારી કર્મચારીઓને મળશે 50 ટકા પેન્શન? યુનિફાઇડ પેન્શન યોજનાને સમજો
યુપીએસની શરૂઆત સરકારી કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી માંગને પૂર્ણ કરવા માટે લાવવામાં આવી હતી

Unified Pension Scheme: કેન્દ્ર સરકારે તાજેતરમાં નેશનલ પેન્શન સ્કીમ (NPS) હેઠળ એક વિકલ્પ તરીકે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) ને સૂચિત કર્યું છે. હવે કેન્દ્રીય કર્મચારીઓ તેમના રિટાયરમેન્ટ યોજના તરીકે UPS અથવા NPS પસંદ કરી શકે છે. યુપીએસની શરૂઆત સરકારી કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી માંગને પૂર્ણ કરવા માટે લાવવામાં આવી હતી જેમાં જૂની પેન્શન યોજના (OPS)ને ફરીથી લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી. OPS હેઠળ કર્મચારીઓને નિવૃત્તિ પછી તેમના છેલ્લા પગારના 50 ટકા પેન્શન તરીકે મળતા હતા. પરંતુ શું UPS હેઠળના બધા કર્મચારીઓને આ 50 ટકા પેન્શન ચોક્કસ મળશે?
યુપીએસના નિયમો શું છે?
24 જાન્યુઆરી 2025ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર, બધા કર્મચારીઓને 50 ટકા પેન્શન મેળવવા માટે કેટલીક શરતો પૂરી કરવી પડશે. યુપીએસ હેઠળ પેન્શનની ગણતરી માટે એક સૂત્ર નક્કી કરવામાં આવ્યું છે:
ગણતરી માટેનું સૂત્ર:
ખાતરીપૂર્વકનું પેન્શન = (P/2) x (Q/300) x (IC/BC)
P: છેલ્લા 12 મહિનાના સરેરાશ બેસિક પગારનું સરેરાશ, Q: નોકરીમાં કુલ સેવાના મહિનાઓની સંખ્યા (મહત્તમ 300 મહિના સુધી માન્ય), IC: કર્મચારીનું વ્યક્તિગત પેન્શન ફંડ, BC: સરકાર દ્વારા નિર્ધારિત માનક પેન્શન ફંડ.
5૦ ટકા પેન્શન મેળવવા માટેની શરતો
કર્મચારીએ ઓછામાં ઓછા 300 મહિના (25 વર્ષ) ની સેવા પૂર્ણ કરી હોવી જોઈએ.
તેમના વ્યક્તિગત પેન્શન ફંડ (IC) નું સ્તર સરકારના માનક ફંડ (BC) જેટલું હોવું જોઈએ.
છેલ્લા 12 મહિનાનો સરેરાશ પગાર તેના છેલ્લા પગાર જેટલો હોવો જોઈએ.
નિષ્ણાતોના મતે ફક્ત તે કર્મચારીઓ કે જેમને 1 જાન્યુઆરીએ પગાર વધારો મળે છે અને 31 ડિસેમ્બરે નિવૃત્ત થાય છે (અથવા 1 જૂલાઈએ પગાર વધારો થાય છે અને 30 જૂને નિવૃત્ત થાય છે) તેઓ જ 50 ટકા પેન્શનની શરત પૂરી કરી શકે છે.
UPS અને OPS વચ્ચેનો તફાવત
OPS હેઠળ પેન્શનની ગણતરી છેલ્લા 12 મહિનાના સરેરાશ મૂળ પગાર પર આધારિત હતી, જ્યારે UPS માં તે છેલ્લા 12 મહિનાના સરેરાશ મૂળ પગાર પર આધારિત હતી. આનો અર્થ એ થયો કે જો કર્મચારીનો પગાર સ્થિર ન રહે તો પેન્શન 50 ટકાથી ઓછું થઈ શકે છે.
સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો
UPS હેઠળ જો કોઈ કર્મચારી 25 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લે છે તો તેને સામાન્ય નિવૃત્તિ વય (60 વર્ષ) સુધી પહોંચવાના સમયથી પેન્શન મળશે. સરળ શબ્દોમાં કહીએ તો જો કોઈ કર્મચારી 21 વર્ષની ઉંમરે સરકારી નોકરીમાં જોડાય છે અને 25 વર્ષની સેવા પછી 46 વર્ષની ઉંમરે સ્વેચ્છાએ નિવૃત્ત થાય છે તો તેને 60 વર્ષની ઉંમર પછી જ સુનિશ્વિત રમત મેળવશે. આ યોજના એવા કર્મચારીઓ માટે વધુ સારી હોઈ શકે છે જેઓ લાંબા સમય સુધી સેવામાં રહે છે અને પગાર ધોરણમાં સતત વધારો મેળવે છે. પરંતુ UPS માં OPS જેવી 100 ટકા ગેરન્ટી ફક્ત અમુક શરતો હેઠળ જ શક્ય છે.
Budget 2025: શું જૂની ટેક્સ વ્યવસ્થા સંપૂર્ણપણે નાબૂદ થશે ? જાણો





















