શોધખોળ કરો

Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ

માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા તાજેતરના નિયમોમાં કરાયેલા કેટલાક ફેરફારોને કારણે શેરબજારમાં રોકાણ મોંઘુ બની શકે છે

શેરબજારના રોકાણકારો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા તાજેતરના નિયમોમાં કરાયેલા કેટલાક ફેરફારોને કારણે શેરબજારમાં રોકાણ મોંઘુ બની શકે છે. અગ્રણી બ્રોકરેજ ફર્મ ઝેરોધાએ આ અંગે સ્પષ્ટ સંકેત આપ્યા છે.

નીતિન કામથે બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું

ઝેરોધાના કો-ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નીતિન કામથે મંગળવારે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે - વ્યવસાય હોવાને કારણે અમારે ઇક્વિટી ડિલિવરી ઇન્વેસ્ટમેન્ટ પર બ્રોકરેજ ફી વસૂલવી પડી શકે છે, જે હાલમાં મફત છે. તેમણે એમ પણ લખ્યું છે કે તેમની કંપની ડેરિવેટિવ સેગમેન્ટ એટલે કે ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડ પર બ્રોકરેજ ચાર્જિસ પણ વધારવામાં આવી શકે છે.

શૂન્ય બ્રોકરેજ સાથે પ્રથમ કંપની

અગાઉ ઝેરોધા ઇક્વિટી ટ્રેડ ડિલિવરી માટે ચાર્જ લેતી હતી, પરંતુ બાદમાં કંપનીએ ચાર્જ હટાવી દીધો અને ઇક્વિટી ટ્રેડની ડિલિવરી ફ્રી કરી દીધી. Zerodha 2015 માં ઝીરો બ્રોકરેજ રજૂ કરીને આવું કરનાર પ્રથમ ડિસ્કાઉન્ટ બ્રોકરેજ કંપની બની. ઝેરોધાને સૌથી મોટી ડિસ્કાઉન્ટ બ્રોકરેજ ફર્મ બનાવવામાં આ નીતિનો મોટો ફાળો છે. હવે ઝેરોધાનું કહેવું છે કે સેબીના તાજેતરના નિયમોને કારણે તેને ફરીથી ઇક્વિટી ટ્રેડ ડિલિવરી પર ચાર્જ લગાવવો પડી શકે છે.

સેબીનો પરિપત્ર શું કહે છે?

વાસ્તવમાં માર્કેટ રેગ્યુલેટર સેબીએ 1 જુલાઈના રોજ શેરબજાર સંબંધિત વિવિધ ચાર્જીસ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. સેબીએ પરિપત્રમાં જણાવ્યું હતું કે બજાર સંસ્થાઓ દ્વારા વસૂલવામાં આવતા ચાર્જ અને તેના બદલામાં ગ્રાહકો પાસેથી લેવામાં આવતા ચાર્જમાં એકરૂપતા હોવી જોઈએ. સેબીએ એમ પણ કહ્યું હતું કે ચાર્જનું માળખું સ્લેબ આધારિત હોવું જોઈએ નહીં, પરંતુ ટ્રેડિંગ વોલ્યુમને ધ્યાનમાં લીધા વિના તમામ બ્રોકર્સ માટે સમાન હોવું જોઈએ.

આ રીતે ઝેરોધા પૈસા કમાય છે

સેબીના પરિપત્રની અસરની સ્પષ્ટતા કરતા કામથે કહ્યું - બ્રોકર્સ ગ્રાહકો પાસેથી શું ચાર્જ કરે છે અને મહિનાના અંતે એક્સચેન્જ બ્રોકર્સ શું ચાર્જ કરે છે તે વચ્ચેનો તફાવત રિબેટ જેવો છે, જે દરેક બ્રોકર માટે આવક તરીકે લેવામાં આવે છે. ઝેરોધાના કિસ્સામાં તેની 10 ટકા આવક આ રિબેટ દ્વારા આવે છે, જ્યારે તેની 90 ટકા આવક F&O ટ્રેડમાંથી આવે છે.      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget