![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Karnataka Results 2023: કોંગ્રેસને જીતનો વિશ્વાસ, તૈયાર કર્યો પ્લાન બી, બળવાખોરો સાથે મંત્રણા; JDSનો પણ સંપર્ક
કોંગ્રેસના મહાસચિવ અને પ્રદેશ પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ભાજપે કર્ણાટકમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. ચૂંટણી પરિણામો બાદ પાર્ટી સરકાર બનાવશે અને અમે કર્ણાટકની જનતાની સેવા કરીશું.
![Karnataka Results 2023: કોંગ્રેસને જીતનો વિશ્વાસ, તૈયાર કર્યો પ્લાન બી, બળવાખોરો સાથે મંત્રણા; JDSનો પણ સંપર્ક Congress is confident of victory but Plan B is also ready, talks with rebels; JDS also contact Karnataka Results 2023: કોંગ્રેસને જીતનો વિશ્વાસ, તૈયાર કર્યો પ્લાન બી, બળવાખોરો સાથે મંત્રણા; JDSનો પણ સંપર્ક](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/13/468ac92637de2b251e99287bea7224211683947989071723_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Karnataka Election Result 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી મળવાની આશા છે. પાર્ટીનું કહેવું છે કે સરકાર બનાવવા માટે કોઈના સમર્થનની જરૂર રહેશે નહીં. આમ છતાં પાર્ટી પ્લાન-બીની તૈયારીમાં વ્યસ્ત છે. જેથી જરૂર પડ્યે તેનો અમલ કરી શકાય. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેંગલુરુમાં રાજ્યના તમામ વરિષ્ઠ કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં દરેક વિધાનસભા બેઠક પરથી મળેલ પ્રતિસાદ અને ભાવિ વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ તમામ નેતાઓ જીતને લઈને આત્મવિશ્વાસ ધરાવતા દેખાતા હતા.
કોંગ્રેસને જીતનો પૂરેપૂરો વિશ્વાસ
કોંગ્રેસના મહાસચિવ અને પ્રદેશ પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ભાજપે કર્ણાટકમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. ચૂંટણી પરિણામો બાદ પાર્ટી સરકાર બનાવશે અને અમે કર્ણાટકની જનતાની સેવા કરીશું. આ દાવા છતાં પાર્ટી પ્લાન બી પર પણ કામ કરી રહી છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, અમને ખાતરી છે કે ચૂંટણી પરિણામો જાહેર થયા પછી કોઈના સમર્થનની જરૂર પડશે નહીં. આમ છતાં સાવચેતીના ભાગરૂપે પાર્ટીએ જેડીએસ સાથે ચર્ચાના વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. તે જ સમયે, ઘણા ઉમેદવારો પણ સંપર્કમાં છે.
કોંગ્રેસે કર્યો બી પ્લાન તૈયાર
સૂત્રોનું કહેવું છે કે વર્ષ 2019માં કોંગ્રેસ અને જેડીએસ છોડીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોના સંપર્કમાં છે. ભાજપે આ વખતે આમાંથી ઘણા ધારાસભ્યોને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ અપક્ષો અને નાના પક્ષો સાથે પણ સતત સંપર્કમાં છે.
જો કે જેડીએસનો અલગ જ રાગ
જેડીએસના પ્રદેશ અધ્યક્ષ સીએમ ઈબ્રાહિમના જણાવ્યા અનુસાર અમે ચૂંટણી પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ. પરિણામ જાહેર થયા બાદ અમે નિર્ણય લઈશું. તેમણે પાર્ટીના નેતા તનવીર અહેમદના દાવાઓને ફગાવી દીધા હતા કે જો જરૂર પડશે તો JDS ભાજપને સમર્થન કરશે. કોંગ્રેસ ચૂંટણી પરિણામો પછી તરત જ ધારાસભ્યો તૂટી જવાની સંભાવનાને નકારી રહી છે, પરંતુ કહે છે કે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી નિર્ણય લેવામાં આવશે. જો સંપૂર્ણ બહુમતી ન મળે તો ધારાસભ્યોને છત્તીસગઢ અથવા રાજસ્થાનમાં પણ શિફ્ટ કરી શકાય છે.
हमें विश्वास है कि हम 130 सीटों को पार करेंगे और कर्नाटक में एक स्थिर सरकार बनाएंगे। कर्नाटक के लोग कांग्रेस की सरकार चाहते हैं, वे देश की सबसे भ्रष्ट सरकार को बदलना चाहते हैं: कर्नाटक प्रदेश कांग्रेस समिति के कार्यकारी अध्यक्ष सलीम अहमद, बंगलुरु#KarnatakaElectionResults2023 pic.twitter.com/nNUFFTvALj
— ANI_HindiNews (@AHindinews) May 13, 2023
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)