શોધખોળ કરો

Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ

Delhi CM Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલીસ કેસમાં EDની કસ્ટડીમાં છે. 21 માર્ચે તેની ધરપકડ કરવામાં આવી હતી.

PIL Against Arvind Kejriwal: આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી PILની ગુરુવારે (28 માર્ચ) દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે, કોર્ટ રાષ્ટ્રપતિ શાસનનો આદેશ આપી શકાય નહીં. રાષ્ટ્રપતિ શાસન અંગેનો નિર્ણય લેફ્ટનન્ટ ગવર્નરની ભલામણ પર જ લઈ શકાય છે. કેજરીવાલ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી આ અરજીને કોર્ટે ફગાવી દીધી હતી.

સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે અરજીકર્તાના વકીલને પૂછ્યું કે શું પદ પર ચાલુ રહેવા સામે કોઈ કાયદાકીય પ્રતિબંધ છે? કોર્ટે કહ્યું કે આ મામલામાં ન્યાયિક હસ્તક્ષેપની જરૂર નથી. જો કોઈ બંધારણીય નિષ્ફળતા હશે, તો તે લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા જોવામાં આવશે. રાષ્ટ્રપતિ તેમની ભલામણ પર જ રાષ્ટ્રપતિ શાસન અંગે નિર્ણય લેશે. આ રીતે કોર્ટે કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી અને તેના પર કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો.

 આ મામલો લેફ્ટનન્ટ ગવર્નરના સંજ્ઞાનમાં છેઃ દિલ્હી હાઈકોર્ટ

 હાઈકોર્ટે કહ્યું કે, અમે દિલ્હીમાં ચાલી રહેલી ઘટનાક્રમ પર લેફ્ટનન્ટ ગવર્નરનું નિવેદન અખબારોમાં વાંચ્યું છે. આ સમગ્ર મામલો તેમની નોંધમાં છે. તેમને આ બાબતે તપાસ કરવા દો. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, કોર્ટ રાષ્ટ્રપતિ શાસન લાદવાનો આદેશ આપતી નથી. અમે અરજીમાં લાગેલા આરોપો પર કોઈ ટિપ્પણી કરી રહ્યા નથી, પરંતુ આ મુદ્દો એવો નથી કે કોર્ટ તેના પર આદેશ આપે.

 કેજરીવાલ જેલમાંથી સરકાર કેવી રીતે ચલાવી રહ્યા છેઃ અરજીકર્તા

કેજરીવાલને પદ પરથી હટાવવાની માંગ કરતી અરજી સુરજીત કુમાર નામના વ્યક્તિ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સુરજીત કહે છે કે અમે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પીઆઈએલ દાખલ કરી હતી. અમે કહીએ છીએ કે તે જેલમાંથી સરકાર કેવી રીતે ચલાવી શકે. અમે તેમને પદ પરથી હટાવવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે કહ્યું કે, માત્ર લેફ્ટનન્ટ ગવર્નર જ કાર્યવાહી કરશે.

 કેજરીવાલને પદ પરથી હટાવવાની માંગ ઉઠી રહી છે

વાસ્તવમાં, દિલ્હી લિકર પોલિસી કેસમાં તેમની ધરપકડ થઈ ત્યારથી જ અરવિંદ કેજરીવાલ પર મુખ્યમંત્રી પદ છોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ભાજપના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે, કેજરીવાલ ખુરશીના પ્રેમમાં પડી ગયા છે અને ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા બાદ પણ તેઓ પદ છોડી રહ્યા નથી. કેજરીવાલે અત્યાર સુધી જેલની અંદરથી બે ઓર્ડર આપ્યા છે, જેમાંથી એક વોટર ડિપાર્ટમેન્ટ સાથે સંબંધિત હતો. જેલમાંથી મોકલવામાં આવેલા તેમના આદેશ પર ભાજપે પણ સવાલો ઉઠાવ્યા છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
Embed widget