શોધખોળ કરો

Gujarat: બૂટલેગરો સામે સરકાર સખ્ત, હવે દારૂ સાથે ગાડી પકડાઇ તો જશે સીધી હરાજી, પૈસા જશે સરકારી તિજોરીમાં, જાણો

ગાંધીનગર ગુજરાત વિધાનસભામાં અત્યારે ગુજરાત સરકારનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ બજેટ સત્રમાં સરકારે કેટલાક બિલો રજૂ કર્યા છે

Gujarat: ગાંધીના ગુજરાતમાં દારુબંધી છે, છતાં રાજ્યમાં દરરોજ દારૂની હેરફાર થયાના સમાચાર સામે આવે છે, હવે ગુજરાત સરકાર એક્શન લેવાના મૉડમાં આવી છે. હાલમાં માહિતી છે કે, આગામી સપ્તાહે વિધાનસભા ગૃહમાં દારુબંધીને લગતુ સુધારા બિલ રજૂ કરવામાં આવી શકે છે. આ બિલમાં દારૂબંધીને વધુ કડક બનાવવા માટે દારૂની હેરાફેરીમાં પકડાયેલા વાહનોની હરાજી કરવાની જોગવાઇઓ છે, અને બાદમાં તેનાથી જે આવક મળશે તેને સરકારી તિજોરીમાં જમાવવાની વાત સામે આવી છે. 

ગાંધીનગર ગુજરાત વિધાનસભામાં અત્યારે ગુજરાત સરકારનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ બજેટ સત્રમાં સરકારે કેટલાક બિલો રજૂ કર્યા છે અને કેટલાક બીજો આગામી સમયમાં ગૃહમાં રજૂ કરવામાં આવી શકે છે. આમાં કેટલાક સુધારા વિધેયક પણ સામેલ છે. ગુજરાતમાં દારુબંધીના કાયદાને વધુ કડક અમલવારી કરાવવા માટે ગુજરાત સરકાર પ્રયાસ કરી રહી છે. આ મામલે હવે વધુ એક નવું સુધારા બિલ રજૂ કરવામા આવશે. 

ગુજરાતમાં બૂટલેગરો પર અંકુશ લાદવા માટે સરકારે પહેલીવાર ગંભીર પ્રયાસ કરી રહી છે. દારૂબંધીને વધુ કડક બનાવવા સરકારે એક સુધારા બિલ તૈયાર કર્યુ છે, જે અંતર્ગત રાજ્યમાં દારૂની હેરાફેરીમાં પકડાયેલા કે જપ્ત કરાયેલા વાહનોની હરાજી કરાશે. આ જપ્ત કરાયેલા તમામ વાહનોની કાયદા અંતર્ગત તાત્કાલિક હરાજી કરાશે, અને આ હરાજીમાંથી જે નાણાં મળશે તેને સરકારી તિજોરીમાં જમા કરાવાશે. આ દારુબંધીના સુધારા વિધેયકને આગામી સપ્તાહે વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે.

શું દારુની પણ એક્સપાયરી ડેટ હોય છે? બોટલ ખોલ્યા બાદ કેટલા દિવસ સુધી કરી શકો છે ઉપયોગ

દારુની બાબતમાં એવું કહેવાય છે કે તે જેટલો જૂનો હોય તેટલો તેનો સ્વાદ સારો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દરેક દારૂ સાથે આવું નથી થતું. કેટલીક શરાબ જૂની થઈ જાય છે અને તેનો સ્વાદ ખરાબ થઈ જાય છે. આજે અમે તમને જણાવીશું કે કઇ શરાબ જુની થવા સાથે બગડે છે.

કઈ જૂની દારુ વધુ સારી 

સારા જૂના દારુ વિશે એવું કહેવાય છે, જેમાં અન્ય ઘટકોની સાથે ખાંડ અને આલ્કોહોલની યોગ્ય માત્રા હોય છે, તેનો સ્વાદ સારો હોય છે. ઉદાહરણ તરીકે, વ્હિસ્કીની શેલ્ફ લાઇફ અનિશ્ચિત છે, પરંતુ શરૂઆતના 1-2 વર્ષ પછી, તેનો સ્વાદ પણ લુપ્ત થવા લાગે છે.

બીયર - બીયર વિશે એવું કહેવાય છે કે તે આલ્કોહોલ કરતાં જલ્દી એક્સપાયર થઈ જાય છે. સામાન્ય રીતે બીયર 6 મહિનામાં એક્સપાયર થઈ જાય છે. એકવાર બિયરની બોટલ અથવા કેન ખોલવામાં આવે, તે એક કે બે દિવસમાં તેનું સેવન કરવું જોઈએ. કારણ કે એકવાર ખોલ્યા પછી, હવામાં હાજર ઓક્સિજન બીયરના સંપર્કમાં આવે છે. જેના કારણે તેનો સ્વાદ બગડી જાય છે. સ્વાદ અને ફ્લેવર જાળવવા માટે, બીયરને હંમેશા ઠંડી અને અંધારાવાળી જગ્યાએ રાખવી જોઈએ.

વ્હિસ્કી - વ્હિસ્કી એ હાર્ડ ડ્રીંક્સ છે. જો કે, એકવાર બોટલ ખોલ્યા પછી, ઓક્સિડેશન થાય છે, જે તમારા પીણાના સ્વાદ અને ફ્લેવરને બદલી નાખે છે. આમ તો, માત્ર ઓક્સિડેશનને કારણે જ નહીં, પરંતુ વ્હિસ્કીની બોટલને જે તાપમાને રાખવામાં આવે છે અને તેના પર પડતા પ્રકાશના પ્રમાણને કારણે પણ તેનો સ્વાદ બગડે છે. વ્હિસ્કીને અંધારી અને ઠંડી જગ્યાએ રાખવી જોઈએ. તેનાથી તેનો સ્વાદ જળવાઈ રહે છે. વધુમાં, વ્હિસ્કીની બોટલો હંમેશા સીધી રાખવી જોઈએ, કારણ કે આલ્કોહોલ જ્યારે આડી રીતે સંગ્રહિત કરવામાં આવે ત્યારે બોટલના કૉર્કને પાતળું કરી શકે છે, જે ઓક્સિડેશન પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

રમ - રમ પણ તે હાર્ડ ડ્રિંક્સમાંથી એક છે જે લાંબા સમય સુધી શેલ્ફ લાઇફ ધરાવે છે. પરંતુ બોટલ ખોલ્યા બાદ જો તેને ઘણા દિવસો સુધી રાખવામાં આવે તો તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. કારણ કે એકવાર રમ બોટલની સીલ ખોલવામાં આવે છે, ઓક્સિડેશન પ્રક્રિયા ઝડપી બને છે. જો કે, એક ઉપાય એ છે કે જો રમ બોટલ ખોલવામાં આવી હોય, તો તમે તેને નાની બોટલમાં ભરી શકો છો અને તેને સારી રીતે સીલ કરી શકો છો. આ રીતે તેનો સ્વાદ અને સુગંધ ગુમાવ્યા વિના તેને ઓછામાં ઓછા 6 મહિના સુધી સંગ્રહિત કરી શકાય છે.

વાઇન - વાઇનની શેલ્ફ લાઇફ મર્યાદિત છે. ઓક્સિડેશન સરળતાથી વાઇનના સ્વાદને બદલી શકે છે. તે જ સમયે, તે એસિટિક એસિડનું સ્તર વધારી શકે છે અને તેનો સ્વાદ બગાડી શકે છે. તમને જણાવી દઈએ કે જો આવું થાય તો તે વાઈનને વિનેગરમાં બદલી શકે છે. સામાન્ય રીતે, વાઇન ખોલ્યા પછી ત્રણથી પાંચ દિવસ સુધી પીવાલાયક રહે છે. આ પછી તેનો સ્વાદ બગડી જાય છે. 

ટકીલા: એકવાર બોટલ ખોલ્યા બાદ ટકીલા બહુ ઝલદી ખરાબ થઈ જાય છે. ટકીલાનો દારૂ જેટલો લાંબો સમય ખુલ્લો રહે છે, તે તેની સુગંધ સાથે સાથે હળવો બને છે. મળતી માહિતી મુજબ, જો તમારા ઘરમાં ટકીલાની એક બોટલ એક વર્ષથી વધુ સમયથી રાખવામાં આવી હોય તો તે બગડશે નહીં. પરંતુ જો તેમાંથી સારી ગંધ ન આવે તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh | ભારે વરસાદથી ગિરનાર પર્વતના મનમોહક દ્રશ્યો જોઈને તમે પણ થઈ જશો ખુશ Watch VideoHurricane Helene| હેલેને હચમચાવી દીધું અમેરિકાને, 30 લોકોના મોત | Watch VideoGujarat Heavy Rain News | મેઘરાજાના ટાર્ગેટ પર આજે ગુજરાતના આ 14 જિલ્લાઓ, જુઓ વીડિયોમાંGir Somnath | હજારો પોલીસ કર્મીઓ સાથે ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Mumbai Terror Attack Alert: મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ, પોલીસ આવી એક્શનમાં, આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ
Mumbai Terror Attack Alert: મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ, પોલીસ આવી એક્શનમાં, આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ
જગન મોહન રેડ્ડીની તિરૂપતિ યાત્રા પર કેમ લાગી રોક, જાણો શું છે લાડૂ વિવાદનું સત્ય
જગન મોહન રેડ્ડીની તિરૂપતિ યાત્રા પર કેમ લાગી રોક, જાણો શું છે લાડૂ વિવાદનું સત્ય
Rain Update: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 233 તાલુકામાં વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 233 તાલુકામાં વરસ્યો વરસાદ
Mushir Khan Accident: ક્રિકેટર સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન કાર અકસ્માતમાં ઘાયલ, જાણો કેટલી ગંભીર છે ઈજા
Mushir Khan Accident: ક્રિકેટર સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન કાર અકસ્માતમાં ઘાયલ, જાણો કેટલી ગંભીર છે ઈજા
Embed widget