શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
રાજ્યમાં આજે 1451 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 90.95 ટકા
સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે, કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
![રાજ્યમાં આજે 1451 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 90.95 ટકા 1451 covid19 patients discharged today રાજ્યમાં આજે 1451 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 90.95 ટકા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/28155405/Covid19-case.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે, કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કુલ 1451 દર્દી સાજા થયા હતા. આ સાથે અત્યાર સુધી કુલ 1,89,420 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1564 નવા કેસ નોંધાયા હતા. જ્યારે સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3969 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14889 એક્ટિવ કેસ છે, જ્યારે હાલ 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 14803 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 208278 પર પહોંચી છે.
રાજ્યામાં સાજા થનારા દર્દીઓનો દર 90.95 ટકા છે. રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68,960 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 77,59,739 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
રાજકોટ
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)