![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
7 ઑક્ટોબર સુધી રાજ્યમાં આ સ્થળે હજું પણ સ્વીકારાશે 2 હજારની નોટ,જાણો RBIએ શું કર્યો મહત્વનો નિર્ણય
RBIએ 2 હજારની નોટ સ્વીકારવાને લઈ મુદ્દત વધારતા પેટ્રોલપંપ એસોસિએશનને પણ મહત્વનો નિર્ણય કર્યો છે
![7 ઑક્ટોબર સુધી રાજ્યમાં આ સ્થળે હજું પણ સ્વીકારાશે 2 હજારની નોટ,જાણો RBIએ શું કર્યો મહત્વનો નિર્ણય 2 thousand currency notes will be accepted in petrol pumps of Gujarat till October 7 7 ઑક્ટોબર સુધી રાજ્યમાં આ સ્થળે હજું પણ સ્વીકારાશે 2 હજારની નોટ,જાણો RBIએ શું કર્યો મહત્વનો નિર્ણય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/2221c3da726361a01c6d926b0648464c169612407039281_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Two thousand note:7 ઑક્ટોબર સુધી ગુજરાતના તમામ પેટ્રોલ પંપ પર બે હજારની ચલણી નોટ સ્વીકારાશે. RBIએ 2 હજારની નોટ સ્વીકારવાને લઈ મુદ્દત વધારી છે. આરબીઆઇ મુદત વધારતા પેટ્રોલપંપ એસોસિએશને પણ 7 ઓક્ટોબર સુધી 2 હજારની નોટ સ્વીકારનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલા 2 હજારની નોટ ન સ્વીકારવાના પેટ્રોલપંપ પર બોર્ડ લગાવવામાં આવ્યા હતા. જો કે એસટી બસના કંડક્ટરોને ટિકિટ ભાડા પેટે 2 હજારની નોટ ન સ્વીકારવાના આદેશ આપવામાં આવ્યાં છે.
જો તમે અત્યાર સુધી રૂ. 2000ની નોટ બદલી ન શક્યા હોય તો રિઝર્વ બેન્કે તમને મોટી રાહત આપી છે. સેન્ટ્રલ બેંકે હવે 2000 રૂપિયાની નોટ બદલવાની સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી લંબાવી છે. આ સાથે હવે લોકોને નોટો બદલવા માટે એક સપ્તાહનો વધારાનો સમય મળ્યો છે.
સમયમર્યાદા લંબાવવાની માંગણી કરવામાં આવી હતી
અગાઉ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ જમા કરવા અથવા બદલવા માટે 30 સપ્ટેમ્બર એટલે કે આજ સુધીનો સમય આપ્યો હતો. એવી અટકળો હતી કે રિઝર્વ બેન્ક સમયમર્યાદા લંબાવી શકે છે. ખાસ કરીને એનઆરઆઈને 2000 રૂપિયાની નોટ બદલવા માટે વધારાનો સમય આપવાની માંગ કરવામાં આવી હતી. રિઝર્વ બેંકના તાજેતરના પગલાથી એવા લોકો માટે મોટી રાહત થઈ છે જેઓ કોઈ કારણોસર બેંકોમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવી શક્યા ન હતા અને બદલી પણ શક્યા ન હતા.
રિઝર્વ બેંકે આ માહિતી આપી છે
સેન્ટ્રલ બેંકે 30 સપ્ટેમ્બરના રોજ જારી એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે તેણે સમીક્ષાના આધારે એક સપ્તાહનો વધારાનો સમય આપવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંકે રિલીઝમાં કહ્યું કે, ઉપાડની પ્રક્રિયાનો નિર્ધારિત સમય સમાપ્ત થવાનો છે. સમીક્ષાના આધારે, એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા બદલવાની વર્તમાન સિસ્ટમ 7 ઓક્ટોબર, 2023 સુધી જાળવી રાખવી જોઈએ.
આ એક થયો મોટો ફેરફાર
જોકે હવે રિઝર્વ બેંકે એક ફેરફાર કર્યો છે. અત્યાર સુધી એટલે કે 30 સપ્ટેમ્બર સુધી કોઈપણ બેંક શાખામાં 2000 રૂપિયાની નોટ બદલી શકાતી હતી અને લોકો બેંકની શાખામાં જઈને પોતાના ખાતામાં પૈસા જમા કરાવી શકતા હતા, હવે આ સિસ્ટમ રહેશે નહીં. હવે RBIની માત્ર 19 ઈસ્યુ ઓફિસમાં 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. લોકો રિઝર્વ બેંકની આ 19 ઓફિસોમાં તેમના ખાતામાં 2000 રૂપિયાની નોટ પણ જમા કરાવી શકે છે.
મર્યાદા અકબંધ રહેશે
બદલી શકાય તેવી નોટોની મહત્તમ મર્યાદા હજુ પણ અકબંધ રહેશે. આનો અર્થ એ છે કે એક સમયે વધુમાં વધુ 20,000 રૂપિયાની નોટો બદલી શકાશે. મતલબ કે તમે એક સમયે 2000 રૂપિયાની માત્ર 10 નોટ બદલી શકો છો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)