![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતના આ વિસ્તારના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે 5 દિવસ માવઠાની કરી આગાહી
જામેલા શિયાળા વચ્ચે કચ્છમાં ફરી માવઠાની દહેશત ઉભી થઈ છે. આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરાઈ છે.
જામેલા શિયાળા વચ્ચે કચ્છમાં ફરી માવઠાની દહેશત ઉભી થઈ છે. આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરાઈ છે. સાવચેતીના ભાગરૂપે APMCમાં અનાજનો જથ્થો ઢાંકીને રાખવા ડિઝાસ્ટર વિભાગે આદેશ કર્યો છે.
હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી મુજબ આવતા દિવસોમાં કચ્છના અનેક વિસ્તારોમાં વાદળછાયો વાતાવરણ રહેશે. ભુજમાં આગામી પાંચ દિવસ છૂટાછવાયા વાદળો રહેશે, નલિયામાં પણ આવતીકાલે છૂટાછવાયા વાદળો જોવા મળશે. જ્યારે કે સોમવારે આ વાદળોની સંખ્યા વધશે અને ત્યાર બાદ મંગળવારે ફરી છૂટ્ટાછવાયા વાદળો રહેશે. કંડલામાં રવિવાર, સોમવાર અને મંગળવાર ત્રણેય દિવસ છૂટાછવાયા વાદળો જોવા મળશે.
વાદળછાયા વાતાવરણના કારણે જિલ્લામાં તાપમાનનો પારો ફરી ઘટશે. હાલ ઠંડીમાં ખૂબ ઘટાડો થયો છે ત્યારે આવતા અઠવાડિયે વાદળછાયા વાતાવરણમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થશે.
રાજસ્થાનમાં ઓમિક્રોનના 21 નવા કેસ નોંધાતા ખળભળાટ
દેશમાં જીવલેણ કોરોના વાયરસ(Coronavirus)ના ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોન(Omicron) હવે ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોન(Omicron)ના 21 નવા કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાન(Rajasthan)માં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા હવે વધીને 43 થઈ ગઈ છે. દેશમાં, 17 રાજ્યોમાં 400 થી વધુ લોકો આ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા છે.
ઓમિક્રોનના ખતરાને જોતા દિલ્હી(Delhi) અને મહારાષ્ટ્ર(Maharashtra) સહિત ઘણા રાજ્યોએ કડક નિયંત્રણો લાદવાનું શરૂ કરી દીધું છે. તે જ સમયે, ચૂંટણી રાજ્ય ઉત્તર પ્રદેશમાં આજથી નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવશે. નાઇટ કર્ફ્યુનો સમય 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીનો રહેશે. ઓમિક્રોન વેરિઅન્ટ વિશે સૌથી ચિંતાજનક બાબત એ છે કે તેના લક્ષણો દેખાતા નથી. દેશમાં ઓમિક્રોનના 183 કેસોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં 70 ટકા સંક્રમિતોએ કોઈ લક્ષણો દર્શાવ્યા ન હતા.
દેશમાં અત્યાર સુધી કોઈ મૃત્યુ થયું નથી
સૌથી મોટી વાત એ છે કે આ વેરિઅન્ટને કારણે દેશમાં અત્યાર સુધી એક પણ મૃત્યુ નથી થયું. ઓમિક્રોન વેરિઅન્ટ્સના વધતા જતા કેસોની વચ્ચે સરકારે કહ્યું કે અમારે અમારી તકેદારી જાળવવાની જરૂર છે, ખાસ કરીને વર્ષના અંતના તહેવારો દરમિયાન. આ સાથે સરકારે લોકોને ભીડવાળી જગ્યાઓ અને બિનજરૂરી મુસાફરી ટાળવા વિનંતી કરી અને કોવિડ સંબંધિત યોગ્ય વર્તન અને વહેલા રસીકરણ પર ભાર મૂક્યો. અત્યાર સુધી ભારતમાં મુખ્ય સ્વરૂપ ડેલ્ટા જ રહ્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)