શોધખોળ કરો

Himatnagar : કોમ્પલેક્સના ધાબા પરથી યુવકે લગાવી મોતની છલાંગ, લોકોના ટોળેટોળા ઉમટ્યા

યુવકની આત્મહત્યાને પગલે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. જોકે, યુવકની આત્મહત્યાનું કારણ અકબંધ છે. લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી અપાઈ છે. 

સાબરકાંઠાઃ હિંમતનગરના ઉમિયા કોમ્પલેક્ષના ધાબા પરથી યુવાને મોતની છલાંગ લગાવતાં અરેરાટી વ્યાપી ગઈ છે. યુવકે ધાબા પરથી છલાંગ લગાવતા બ્લોક પર પડતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હિંમતનગર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે. યુવકની આત્મહત્યાને પગલે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. જોકે, યુવકની આત્મહત્યાનું કારણ અકબંધ છે. લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી અપાઈ છે. 

ગમે તેવી મુશ્કેલી હોય તેનું કોઈને કોઈ નિવારણ હોય જ છે. આત્મહત્યા કોઈપણ મુશ્કેલીનું નિવારણ નથી. આત્મહત્યા કરનાર વ્યક્તિ પોતાના અંતિમ પગલાંથી ઓછામાઓછા 134 લોકોને પરેશાન કરે છે. આ રિપોર્ટ WHOનો છે. આત્મહત્યાના બનાવો અટકાવવા સમગ્ર વિશ્વ પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાત સરકાર પણ આ બાબતે કાર્યરત છે અને તેમાં ગુજરાતને સફળતા પણ મળી છે. 

વર્ષ 2016માં સમગ્ર દેશમાં આત્મહત્યાના બનતા બનાવોમાં ગુજરાત 11માં સ્થાને હતું. 5 વર્ષના પ્રયાસો બાદ વર્ષ 2019માં ગુજરાત 15માં સ્થાને પહોંચ્યું હતું. જોકે વર્ષ 2020માં ફરી ગુજરાતમાં આત્મહત્યાના બનાવો વધતા ગુજરાત 12માં ક્રમે છે. ગુજરાત સરકાર દ્વારા આત્મહત્યાના બનાવો અટકાવવા લોકજાગૃતિના કાર્યક્રમો ઉપરાંત આવા વિચારો ધરાવતી વ્યક્તિઓની ઓળખ કરી તેના નિદાન અને દવા માયેની વ્યવસ્થા ઉભી કરી છે. દરેક જિલ્લા મથકે અને મહાપાલિકા વિસ્તારમાં માનસિક બીમારીના નિદાન માટે હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત સખીમંડલ અને વિવિધ ngo અને શાળાઓમાં આ અંગેની તાલીમ પણ આપવામાં આવે છે. કોરોનાકાળમાં માનસિક બીમારીનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ માનસિક બીમારીનું પ્રમાણ વધ્યું છે. નજીકના અને સાગા - સંબંધીઓને મળવાનું ન થતા માનસિક બીમારી વધી હોવાનું તારણ સામે આવ્યું છે.

ગુજરાતમાં આત્મહત્યાના બનાવો 

વર્ષ 2016માં 7735 આત્મહત્યાના બનાવો બન્યા હતા 
વર્ષ 2017માં 7885 આત્મહત્યાના બનાવો બન્યા હતા 
વર્ષ 2018માં 7793 આત્મહત્યાના બનાવો બન્યા હતા
વર્ષ 2019માં 7654 આત્મહત્યાના બનાવો બન્યા હતા
વર્ષ 2020માં 7488 આત્મહત્યાના બનાવો બન્યા હતા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
ગુજરાત પ્રવાસન અને યાત્રાધામોનો થશે કાયાકલ્પ: હર્ષ સંઘવીએ 28.68 કરોડના કામોને આપી લીલી ઝંડી
ગુજરાત પ્રવાસન અને યાત્રાધામોનો થશે કાયાકલ્પ: હર્ષ સંઘવીએ 28.68 કરોડના કામોને આપી લીલી ઝંડી
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Rajkot News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટમાં પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ
Surat police: સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા.
Mehsana News: મહેસાણા RTOની મોટી કાર્યવાહી, ટેક્સ કૌભાંડનો પર્દાફાશ!
Surat news: સુરતમાં પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, લિંક મોકલી કરી લાખોની છેતરપિંડી
Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
Gold Silver Rate: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18000 રુપિયા ઘટી કિંમત
Gold Silver Rate: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18000 રુપિયા ઘટી કિંમત
Heat Alert: ઉત્તર ભારતમાં ગરમીનો પારો ઉચકાશે, કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની ચેતવણી
Heat Alert: ઉત્તર ભારતમાં ગરમીનો પારો ઉચકાશે, કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની ચેતવણી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાત પ્રવાસન અને યાત્રાધામોનો થશે કાયાકલ્પ: હર્ષ સંઘવીએ 28.68 કરોડના કામોને આપી લીલી ઝંડી
ગુજરાત પ્રવાસન અને યાત્રાધામોનો થશે કાયાકલ્પ: હર્ષ સંઘવીએ 28.68 કરોડના કામોને આપી લીલી ઝંડી
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Embed widget