શોધખોળ કરો

Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાની અસરને પગલે આ જિલ્લાની તમામ શાળાઓ શનિવારે બંધ રાખવાનો આદેશ

પોરબંદર: બિપરજોય વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ ભારે નુકશાન થયું છે. જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં શાળાઓ બંધ રાખવાની ફરજ પડી છે.

પોરબંદર: બિપરજોય વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ ભારે નુકશાન થયું છે. જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં શાળાઓ બંધ રાખવાની ફરજ પડી છે. હવે આ કડીમાં પોરબંદર જિલ્લાની તમામ સરકારી,ગ્રાન્ટેડ,સેલ્ફ ફાઇનાન્સ,પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શનિવારનો રોજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાવાઝોડા અને ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આ નિર્ણય લેવાયો છે. શાળાના સમગ્ર સ્ટાફે રાબેતા મુજબ શાળા ખાતે હાજર રહેવાનું રહેશે. 

બિપોરજોય વાવાઝોડાને કારણે આ પરીક્ષા મોકૂફ, હસમુખ પટેલે આપી માહિતી

બિપોરજોય વાવાઝોડાને લઈને શાળા કોલેજો બંધ રાખવાની ફરજ પડી છે તો બીજી તરફ પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. વર્ગ 3ના કર્મચારીઓની ખાતકીય પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી હતી. 19 થી 24 જૂન દરમિયાન લેવાનારી આ પરીક્ષા વાવાઝોડાના કારણે મોકૂફ રાખવામાં આવી છે.

હસમુખ એચ પટેલે ટ્વિટ કરી આપી માહિતી
 
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર વિવિધ સંવર્ગની ખાતાકીય પરીક્ષાઓ મુલતવી રાખવાની અગત્યની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૦૯/૦૬/૨૦૨૦૩ ની વિવિધ જાહેરાતોથી વિવિધ સંવર્ગની ખાતાકીય પરીક્ષાઓ તા.૧૯/૦૬/૨૦૨૩ થી તા.૨૪/૦૬/૨૦૨૩ દરમ્યાન યોજવાની જાહેરાત મંડળની વેબસાઇટ પર કરવામાં આવેલ છે. તાજેતરમાં ગુજરાત રાજ્યમાં બિપોરજોય ચક્રવાતને લીધે સર્જાયેલ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પરીક્ષાર્થીઓના વ્યાપક હિતને અનુલક્ષીને સદર ખાતાકીય પરીક્ષાઓ હાલ પૂરતી મુલતવી (Postponed) રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે, જે સંબંધિત પરીક્ષાર્થીઓને નોંધ લેવા આથી જાણ કરવામાં આવે છે. ખાતાકીય પરીક્ષા માટે આગામી કાર્યક્રમ નિયત થયે મંડળની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે.

અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં શુક્રવારે શાળા બંધ રાખવાનો નિર્ણય

બિપોરજોય વાવાઝોડું દરિયાકાંઠે ટકરાતા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરુ થઈ ગયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની ભારે અસર જોવા મળી રહી છે. તો બીજી તરફ રાજ્યના શહેરોની શાળાઓમાં શૈક્ષણીક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વાવાઝોડાની ગંભીર અસરને જોતા અમદાવાદમા શુક્રવારે શાળા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવતીકાલે અમદાવાદ શહેર અને જિલ્લાનીની શાળાઓ બંધ રહેશે. વાવાઝોડાની અસરને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદવાદનાં DEO એ પરિપત્ર જાહેર કરી તમામ શાળાઓને જાણ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
Embed widget