શોધખોળ કરો

મોરારીબાપુ સામે ક્યા શહેરમાં સરકારી જમીન પચાવી પાડવાનો થયો આક્ષેપ ? તપાસ મુદ્દે કલેક્ટરે શું કહ્યું ?

પોરબંદરના એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ કલેકટરને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકની ભવનાથ લાલઢોરી ખાતેની આ જગ્યા સંશોધન કેન્દ્ર માટે ફાળવાયેલી છે.

જુનાગઢઃ જાણીતા કથાકાર મોરારીબાપુએ જૂનાગઢમાં લાલઢોરીની કિંમતી સરકારી જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ કરીને મોરારીબાપુ સામે ગુનો નોંધવા પોરબંદરના એડવોકેટ અને આરટીઆઈ કાર્યકરે જુનાગઢ કલેકટરને રજૂઆત કરી હોવાનો દાવો કર્યો છે. તેમણે ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, મોરારીબાપુ સહિતના જવાબદારો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવે. જો કે જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીએ જણાવ્યું કે હજૂ સુધી તેમની સમક્ષ કોઈ ફરિયાદ કે આવી કોઈ રજૂઆત આવી નથી. ફરિયાદ આવે એટલે તપાસ કરાવીશુ. જે.જે ચંદ્રાએ સ્પષ્ટતા કરી છે કે, દર વખતની જેમ જગ્યા માટે મંજૂરી માંગવામાં આવી હતી. બાપુ જુલાઈ મહિનામાં લાલઢોરી પધારવાના હતા અને એ વખતે રોકાણ માટેની મંજૂરી પણ આપવામાં આવી હતી, સંજોગોવશાત બાપુ ત્યારે આવી શક્યા નહોતા. ગીરનાર પર્વત પર કમંડળ કૂંડ ખાતે તારીખ 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી ઈ-કથા કરવાના હતા. એવામાં 15 ઓક્ટોબરે બાપુ લાલઢોરીમાં એક દિવસ રોકાશે. તે માટે જગ્યાની સાફ-સફાઈ કરવા માટે પણ મંજૂરી માંગવામાં આવી હતી. પોરબંદરના એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ કલેકટરને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકની ભવનાથ લાલઢોરી ખાતેની આ જગ્યા સંશોધન કેન્દ્ર માટે ફાળવાયેલી છે. સર્વે નંબર 25/1ની આ 12 એકર કરતાં વધારે જમીન વાનસ્પતિક વિવિધતા, આંબાની જુદીજુદી જાતોની જાળવણી તથા વૃક્ષોની જાળવણી તથા બોટાનીકલ ગાર્ડન તથા સંશોધનકારો તથા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ફાળવાયેલી છે. આ જગ્યામાં વર્ષોથી મોરારીબાપુ તથા રાજકોટના અતુલ ચાંદ્રા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જે. જે. ચાંદ્રાએ ગેરકાયદે કબજો જમાવીને  બાંધકામ કરી દીધું છે. કથાકાર મોરારીબાપુ તથા તેમના સેવકો તેમના મહેમાનો માટે ગેસ્ટહાઉસ તરીકે આ મકાનનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે આ જગામાં સાધન કુટિર માટેની બે રૂમ, રસોડુ, અટેચ બાથરૂમ વગેરેનું બાંધકામ કર્યું  હોવાનો આક્ષેપ કર્યો છે. અતુલ ચાંદ્રા ચેરીટેબલ ટ્રસ્ટે 5 જુલાઈ 2004ના રોજ એક પત્રથી કૃષિ યુનિવર્સિટી-જૂનાગઢ પાસે લાલઢોરી જગ્યામાં સાધના કુટિર બનાવવાની મંજુરી માંગી હતી. આ મંજૂરી નથી મળી છતાં બાંધકામ કરાયુ છે.  આ રૂમોનો ઉપયોગ સેવકો, ગેસ્ટ હાઉસ તરીકે કરે છે.. આ જગ્યામાં જવાનો વિદ્યાર્થીઓને જવા નતી દેવાતા કે સંશોધન કાર્ય કરાતું નથી. હાલમાં કબજો મોરારીબાપુ પાસે છે તથા ગેરકાયદે કબ્જો ખાલી કરતા ન હોવાથી  કલેકટર દ્વારા કાર્યવાહી કરવામાં આવે. આ રજૂઆત પછી કાર્યવાહી નહીં કરવામાં નહી આવે તો કોર્ટમાં જવાની ચીમકી પણ આપી છે. ગુજરાત કોંગ્રેસમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી  મુદ્દે કોંગ્રેસ હાઈકમાન્ડે લીધો મોટો નિર્ણય, જાણો મહત્વની વિગત

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી  પોલિસી
Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી પોલિસી
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
માતરના પૂર્વ MLA ભાજપમાંથી સસ્પેન્ડ, કૉંગ્રેસ સાથે મળી ચલાવી રહ્યા છે આંદોલન
માતરના પૂર્વ MLA ભાજપમાંથી સસ્પેન્ડ, કૉંગ્રેસ સાથે મળી ચલાવી રહ્યા છે આંદોલન
Advertisement

વિડિઓઝ

Bharuch News: મનરેગા કૌભાંડ બાદ ભરૂચ જિલ્લામાં શૌચાલય કૌભાંડનો પર્દાફાશ
Surat Demolition news: ખાડીપુરની સમસ્યાને દુર કરવા સુરત મનપાનું મેગા ડિમોલિશન
Amreli News: અમરેલીના શિળાયબેટ ગામમાં બે જૂથ વચ્ચે હથિયારો સાથે મારામારી, હુમલાના દ્રશ્યો CCTVમાં કેદ
Surat news: કઠોદરામાં આચાર્યની બદલીના વિરોધમાં કરાયેલા ચક્કાજામના કેસમાં પોલીસની કડક કાર્યવાહી
Rajkot News: રાજકોટમાં નાની ઉંમરે હાર્ટ અટેકની 24 કલાકમાં બે ઘટના
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી  પોલિસી
Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી પોલિસી
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
માતરના પૂર્વ MLA ભાજપમાંથી સસ્પેન્ડ, કૉંગ્રેસ સાથે મળી ચલાવી રહ્યા છે આંદોલન
માતરના પૂર્વ MLA ભાજપમાંથી સસ્પેન્ડ, કૉંગ્રેસ સાથે મળી ચલાવી રહ્યા છે આંદોલન
'નકલી મતદારોને બહાર કરવા અમારી બંધારણીય ફરજ', બિહાર SIR પર ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ
'નકલી મતદારોને બહાર કરવા અમારી બંધારણીય ફરજ', બિહાર SIR પર ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ
દિવ્યા દેશમુખ ચેસ મહિલા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચી, જીત બાદ થઈ ઈમોશનલ, જુઓ વીડિયો
દિવ્યા દેશમુખ ચેસ મહિલા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચી, જીત બાદ થઈ ઈમોશનલ, જુઓ વીડિયો
જગદીપ ધનખડના રાજીનામા બાદ કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ? આ છે ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા
જગદીપ ધનખડના રાજીનામા બાદ કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ? આ છે ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા
World Brain Day 2025: રાત્રે મોડા સુધી જાગવાની આદત કરી રહી છે મગજને નબળું, આ પાંચ રીતોથી થાય છે નુકસાન
World Brain Day 2025: રાત્રે મોડા સુધી જાગવાની આદત કરી રહી છે મગજને નબળું, આ પાંચ રીતોથી થાય છે નુકસાન
Embed widget