શોધખોળ કરો

અંબાજી નજીક ગબ્બર પર્વત પર મધમાખીઓનો ભક્તો પર હુમલો, ૨૫થી વધુ ઘાયલ

અચાનક થયેલા હુમલાથી નાસભાગ, ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા.

Bee attack Gabbar mountain: અંબાજી નજીકના ગબ્બર પર્વત પર આજે અચાનક મધમાખીઓએ ભક્તો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ૨૫થી વધુ ભક્તો ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી અંબાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ, ગબ્બર પર્વત પર મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા, ત્યારે અચાનક મધમાખીઓના ટોળાએ તેમના પર હુમલો કરી દીધો હતો. આ ઘટનાને પગલે ગબ્બર પર્વત પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કેટલાક લોકોએ તો સ્થળ પરથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. મધમાખીઓ ઉડતા આખો ચોક ખાલી થવા લાગ્યો હતો અને ભક્તોમાં નાસભાગ મચી ગઈ હતી.

સ્થાનિક લોકોનું કહેવું છે કે ગબ્બર પર્વત પર અવારનવાર ભક્તો મધમાખીના ડંખથી ઘાયલ થતા હોય છે. ત્યારે આજે ફરી આવી ઘટના બનતા યાત્રિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાલ ઘાયલ થયેલા તમામ ભક્તોની અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મધમાખી કેવી રીતે ડંખે છે, શું ડંખથી એલર્જી થઈ શકે છે અને લોખંડ ઘસવાથી ખરેખર ફાયદો થાય છે કે કેમ?

મધમાખી તેના મધ માટે જાણીતી છે, પરંતુ તેનો ડંખ પણ એટલો જ પીડાદાયક હોઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને મધમાખી ડંખે છે, ત્યારે તે તીવ્ર પીડા અને ડંખથી બેચેન થઈ જાય છે. એવામાં ઘણા લોકો એવું માને છે કે જ્યાં મધમાખીએ ડંખ માર્યો હોય ત્યાં લોખંડ ઘસવાથી તેમને આરામ મળે છે અને સોજો પણ આવતો નથી. તો ચાલો જાણીએ આ વાત પાછળનું સત્ય શું છે.

જ્યારે મધમાખી ડંખ મારે છે, ત્યારે તેનો ડંખ તેના શરીરમાંથી અલગ થઈ જાય છે અને વ્યક્તિના શરીરમાં ઘૂસી જાય છે, જેના કારણે તીવ્ર પીડા અને ડંખની લાગણી થાય છે. મધમાખીઓ સામાન્ય રીતે ત્યારે જ ડંખે છે જ્યારે તેઓ પોતાની જાતને અથવા પોતાના મધપૂડાને ખતરામાં જુએ છે. ઘણી વખત મધમાખીના ડંખથી લોકોને એલર્જીક પ્રતિક્રિયાઓ પણ થઈ શકે છે, જે ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ.

ઘણા લોકો એવું માને છે કે મધમાખી કરડેલી જગ્યા પર લોખંડ ઘસવાથી દુખાવો અને સોજો ઓછો થાય છે. કહેવાય છે કે જો મધમાખી કરડે તો તરત જ તે જગ્યા પર ચાવી, તાળું, લોખંડની સાણસી અથવા લોખંડનો કોઈપણ ટુકડો ઘસવો જોઈએ. તેનાથી દુખાવો અને સોજો બંનેમાં રાહત મળે છે. જો કે, આ એક પરંપરાગત માન્યતા છે અને તેનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ મળતું નથી. તેમ છતાં, ઘણા લોકો આ ઉપાયને અસરકારક માને છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget