શોધખોળ કરો

અંબાજી નજીક ગબ્બર પર્વત પર મધમાખીઓનો ભક્તો પર હુમલો, ૨૫થી વધુ ઘાયલ

અચાનક થયેલા હુમલાથી નાસભાગ, ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા.

Bee attack Gabbar mountain: અંબાજી નજીકના ગબ્બર પર્વત પર આજે અચાનક મધમાખીઓએ ભક્તો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ૨૫થી વધુ ભક્તો ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી અંબાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ, ગબ્બર પર્વત પર મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા, ત્યારે અચાનક મધમાખીઓના ટોળાએ તેમના પર હુમલો કરી દીધો હતો. આ ઘટનાને પગલે ગબ્બર પર્વત પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કેટલાક લોકોએ તો સ્થળ પરથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. મધમાખીઓ ઉડતા આખો ચોક ખાલી થવા લાગ્યો હતો અને ભક્તોમાં નાસભાગ મચી ગઈ હતી.

સ્થાનિક લોકોનું કહેવું છે કે ગબ્બર પર્વત પર અવારનવાર ભક્તો મધમાખીના ડંખથી ઘાયલ થતા હોય છે. ત્યારે આજે ફરી આવી ઘટના બનતા યાત્રિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાલ ઘાયલ થયેલા તમામ ભક્તોની અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મધમાખી કેવી રીતે ડંખે છે, શું ડંખથી એલર્જી થઈ શકે છે અને લોખંડ ઘસવાથી ખરેખર ફાયદો થાય છે કે કેમ?

મધમાખી તેના મધ માટે જાણીતી છે, પરંતુ તેનો ડંખ પણ એટલો જ પીડાદાયક હોઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને મધમાખી ડંખે છે, ત્યારે તે તીવ્ર પીડા અને ડંખથી બેચેન થઈ જાય છે. એવામાં ઘણા લોકો એવું માને છે કે જ્યાં મધમાખીએ ડંખ માર્યો હોય ત્યાં લોખંડ ઘસવાથી તેમને આરામ મળે છે અને સોજો પણ આવતો નથી. તો ચાલો જાણીએ આ વાત પાછળનું સત્ય શું છે.

જ્યારે મધમાખી ડંખ મારે છે, ત્યારે તેનો ડંખ તેના શરીરમાંથી અલગ થઈ જાય છે અને વ્યક્તિના શરીરમાં ઘૂસી જાય છે, જેના કારણે તીવ્ર પીડા અને ડંખની લાગણી થાય છે. મધમાખીઓ સામાન્ય રીતે ત્યારે જ ડંખે છે જ્યારે તેઓ પોતાની જાતને અથવા પોતાના મધપૂડાને ખતરામાં જુએ છે. ઘણી વખત મધમાખીના ડંખથી લોકોને એલર્જીક પ્રતિક્રિયાઓ પણ થઈ શકે છે, જે ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ.

ઘણા લોકો એવું માને છે કે મધમાખી કરડેલી જગ્યા પર લોખંડ ઘસવાથી દુખાવો અને સોજો ઓછો થાય છે. કહેવાય છે કે જો મધમાખી કરડે તો તરત જ તે જગ્યા પર ચાવી, તાળું, લોખંડની સાણસી અથવા લોખંડનો કોઈપણ ટુકડો ઘસવો જોઈએ. તેનાથી દુખાવો અને સોજો બંનેમાં રાહત મળે છે. જો કે, આ એક પરંપરાગત માન્યતા છે અને તેનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ મળતું નથી. તેમ છતાં, ઘણા લોકો આ ઉપાયને અસરકારક માને છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Embed widget