શોધખોળ કરો

Gujarat Congress President: રાહુલ ગાંધીના દરબારમાં 3 કલાક મંથન, ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદ માટે આ નેતાનું નામ નક્કી! જાણો કોણ છે

Gujarat Congress President: રાહુલ ગાંધી સાથેની બેઠકમાં પ્રમુખપદ માટે 2 નામ નક્કી થયા, પણ શક્તિસિંહ ગોહિલને મનાવવાના પ્રયાસો ચાલુ!

Gujarat Congress: ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષપદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં ગઈકાલે રાહુલ ગાંધીની હાજરીમાં ગુજરાત કોંગ્રેસના મોટા આગેવાનોની આશરે 3 કલાક લાંબી બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસની અત્યારની પરિસ્થિતિ, શક્તિસિંહ ગોહિલના રાજીનામાની વાત, ને શહેર-જિલ્લાના નવા પ્રમુખોના વિરોધ સહિત આગામી આયોજન પર મનોમંથન થયું હતું.

પ્રમુખપદ માટે 2 નામ નક્કી, પણ શક્તિસિંહને મનાવવાના પ્રયાસ

આ બેઠકમાં કોંગ્રેસના પ્રમુખપદ માટે બે નામ નક્કી કરવામાં આવ્યા છે: એક તો આપણા શક્તિસિંહ ગોહિલ ને બીજું નામ છે અમિત ચાવડાનું! બેઠકમાં શક્તિસિંહ ગોહિલને મનાવવાના ખુબ પ્રયાસો થયા, કે તેઓ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પદે ચાલુ રહે. પણ જો શક્તિસિંહ ગોહિલ પોતાના રાજીનામાની વાત પર અડગ રહેશે, એટલે કે નહીં જ માને, તો પછી નવા પ્રમુખ તરીકે અમિત ચાવડા ફરીથી ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બની શકે છે, એવી પાકી ચર્ચા ચાલી રહી છે!

હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ હાઈકમાન્ડ શક્તિસિંહ ગોહિલને મનાવવામાં સફળ થાય છે કે પછી ગુજરાત કોંગ્રેસની કમાન ફરીથી અમિત ચાવડાના હાથમાં આવશે!

નોંધનીય છે કે વિસાવદર અને કડીની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી હતી ને જણાવ્યું હતું કે, "પ્રદેશ પ્રમુખ તરીકે મારી આ છેલ્લી પ્રેસ કોન્ફરન્સ હતી." તેમણે કડી ને વિસાવદર પેટાચૂંટણીના પરિણામોને "આઘાતજનક" ગણાવ્યા હતા ને પોતાના નેતૃત્વ હેઠળ અપેક્ષિત પરિણામો ન આવતા હોવાની જવાબદારી સ્વીકારીને આ પગલું ભર્યું હતું.

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં સંગઠન સુધારણા કાર્યક્રમની શરૂઆત ગુજરાતથી થઈ હતી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, જિલ્લા કક્ષાએ કાર્યકરોનો અવાજ સાંભળીને જિલ્લા પ્રમુખની નિમણૂક કરવામાં આવી રહી હતી, ને જિલ્લા તથા શહેર પ્રમુખની નવી નિમણૂકથી કોંગ્રેસને નવું બળ મળ્યું હતું. તેમણે ભાવનગર શહેર ને જિલ્લામાં પણ યોગ્ય ને સક્ષમ ઉમેદવારો હોવાનું જણાવ્યું હતું.

ગોહિલે પોતાના રાજીનામા પાછળનું કારણ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, "મારા નેતૃત્વમાં પરિણામ ન આવી શક્યું, તેથી હું રાજીનામું આપું છું." તેમણે કોંગ્રેસના કાર્યકરોની પ્રશંસા કરતા કહ્યું હતું કે, "અમારા કાર્યકરો 30 વર્ષ સુધી સત્તામાં ન હોવા છતાં લડ્યા છે." આ દર્શાવે છે કે તેઓ સંગઠનની નિષ્ઠાને સન્માન આપતા હતા, પરંતુ વ્યક્તિગત રીતે નૈતિક જવાબદારી સ્વીકારી રહ્યા હતા.

શક્તિસિંહ ગોહિલે રાષ્ટ્રીય અધ્યક્ષને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. જ્યાં સુધી નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી તેમણે આ જવાબદારી શૈલેષ પરમારને સોંપવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસમાં સંગઠન બદલાવની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી, ને આ રાજીનામું તે દિશામાં એક મોટું પગલું હતું. હવે કોંગ્રેસ હાઈકમાન્ડ કોને ગુજરાતની કમાન સોંપે છે, તે જોવું રસપ્રદ રહેશે. આ નિર્ણય ગુજરાત કોંગ્રેસ માટે એક નવા અધ્યાયની શરૂઆત સમાન હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget