Arvind Kejriwal Gujarat Visit Live: ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે: અરવિંદ કેજરીવાલ
Arvind Kejriwal and Bhagwant Mann Gujarat Visit: કેજરીવાલ લોકસભા ચૂંટણીની તૈયારીઓને ઝડપી બનાવવા ગુજરાતના સ્થાનિક નેતાઓ સાથે રણનીતિ બનાવશે અને 2024ની તૈયારીઓનું રણશિંગુ ફૂંકશે.

Background
ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે: અરવિંદ કેજરીવાલ
નેત્રંગમાં જનસભાને સંબોધતા કેજરીવાલએ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું ભરૂચ લોકસભા માટે ચેતર વસાવા આપના ઉમેદવાર છે. ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે. ષડયંત્ર રચી જો ચૈતર વસાવાને જેલની બહાર ન આવવા દીધા તો તેઓ જેલમાંથી પણ ચૂંટણી લડશે.
ચૈતર વસાવા આદિવાસી સમાજનો સિંહ: ભગવંત માન
પંજાબના સીએમ ભગવંત માને જનસભાને સંબોધતા કહ્યું, ચૈતર વસાવા આદિવાસી સમાજનો સિંહ છે. ભાજપ ક્યારેય તેને ડરાવી, ધમકાવી નહીં શકે. ચૈતર વસાવાને પિંજરામાં પુરીને ભાજપ ઘાસ નાંખશે તો નહીં ખાય. ચૈતર વસાવા પોતાનો શિકાર જાતે કરશે.
આપ નેતા મનોજ સોરઠીયાએ શું કહ્યું
આપના નેતા મનોજ સોરઠીયાએ કહ્યું, ચૈતર વસાવાએ ભાજપના કૌભાંડી ચિઠ્ઠાઓનો ભાંડાફોડ કર્યો એટલે આજે તેઓ જેલમાં છે. ભાજપે ચૈતર વસાવાના પરિવારને પણ બિનજરૂરી હેરાનગતિ આપી છે જે આદિવાસી સમાજ ક્યારેય ભૂલી નહિ શકે.
ચૈતરભાઈ વસાવાએ ભાજપના કૌભાંડી ચિઠ્ઠાઓનો ભાંડાફોડ કર્યો એટલે આજે તેઓ જેલમાં છે.
— AAP Gujarat (@AAPGujarat) January 7, 2024
ભાજપે @Chaitar_Vasava ના પરિવારને પણ બિનજરૂરી હેરાનગતિ આપી છે જે આદિવાસી સમાજ ક્યારેય ભૂલી નહિ શકે.@manoj_sorathiya #ReleaseChaitarVasava pic.twitter.com/onqvCe62YJ
મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થકો ઉમટ્યાં
નેત્રંગામાં સભા સ્થળે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થકો ઉમટ્યા છે.
'આપ' ધારાસભ્ય @Chaitar_Vasava ના સમર્થનમાં નેત્રંગ ખાતેની જનસભામાં આવેલો આ જનસેલાબ એ વાતની સાબિતી છે કે ત્યાંના લોકોના મનમાં ચૈતરભાઈ વસે છે. pic.twitter.com/7BGvyDbtCf
— AAP Gujarat (@AAPGujarat) January 7, 2024
ગોપાલ ઈટાલીયાએ શું કહ્યું
આપના નેતા ગોપાલ ઈટાલીયાએ જનસભાને સંબોધતા કહ્યું કે, આજે આ સભાના માધ્યમથી આપણે સૌ સંકલ્પ લઈએ કે આગામી લોકસભાની ચૂંટણીમાં ધારાસભ્ય ચૈતવ વસાવાને સાંસદ બનાવીશું. આપ દ્વારા હેશટેગ રિલીઝ ચૈતર વસાવા પણ કરવામાં આવ્યું છે.

