શોધખોળ કરો

ગુનેગારોના ઘર પર બુલડોઝર કાર્યવાહી સામે ભાજપ નેતાએ જ ઉઠાવ્યા સવાલ

bulldozer action BJP: ડોક્ટર ભરત કાનાબારે ગુંડાતત્વોના પરિવારને સજા આપવાને ગેરવાજબી ગણાવ્યું, કોંગ્રેસ નેતાનું સમર્થન.

Bharat Kanabar news: રાજ્યમાં ગુનેગારો અને અસામાજિક તત્વોના ઘર પર પ્રશાસન દ્વારા કરવામાં આવતી બુલડોઝર કાર્યવાહી સામે હવે ભાજપના એક નેતાએ જ સવાલ ઉઠાવ્યા છે. ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ કાર્યવાહી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

ડોક્ટર ભરત કાનાબારે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે ગુનેગારો પર કાયદેસરની કાર્યવાહી કરવી એ ચોક્કસપણે સરાહનીય બાબત છે, પરંતુ ગુનેગારોના ઘર પર બુલડોઝર ફેરવીને તેમના પરિવારને સજા આપવી એ કોઈપણ રીતે વ્યાજબી નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આપણે મધ્ય યુગમાં નથી જીવી રહ્યા અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું જોઈએ.

પોતાની લાગણી વ્યક્ત કરતાં ડોક્ટર ભરત કાનાબારે સોશિયલ મીડિયામાં લખ્યું છે કે, "બુલડોઝર જસ્ટીસ ઈઝ નો જસ્ટીસ ! અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર ચલાવી તેના પરિવારને બેઘર કરવાની વૃતિને પરોક્ષ સમર્થન આપનારા આપણે સૌ આપણા ઘરની બારીનો એક કાચ તુટે તો પણ હલબલી જઈએ છીએ.. ચોમાસામાં છત પરથી કયાંક થોડુ અમથુ પાણી ચુવે તો જેમની ઉંઘ હરામ થઈ જાય છે તેવા આપણે સૌ કોઈ ગરીબના ઘર પર છત જ ન રહે તે જોયા પછી પણ નિરાંતે ઉંઘી શકીએ છીએ.. પરપીડનનો આ પિશાચી આનંદ લેતા પહેલા આપણે સૌ આપણી જાતને કેટલાક સવાલો પૂછીએ.."

પ્રશાસનની આ બુલડોઝર કાર્યવાહી પર ડોક્ટર ભરત કાનાબારે ઉઠાવેલા આ સવાલો પર કોંગ્રેસના નેતા વીરજી ઠુમ્મરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભરતભાઈએ ગરીબોની ચિંતા કરી તે ખૂબ જ સારી બાબત છે. તેમણે ભાજપની નીતિ રીતિને ગરીબો વિરુદ્ધની ગણાવી હતી.

ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં રાજ્યમાં ગુનાખોરીને ડામવા માટે પ્રશાસન દ્વારા ગુનેગારોની ગેરકાયદેસર સંપત્તિઓ પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીને અમુક વર્ગો દ્વારા સમર્થન મળી રહ્યું છે, જ્યારે કેટલાક લોકો તેને માનવાધિકારોનું ઉલ્લંઘન ગણાવી રહ્યા છે. હવે ભાજપના જ એક નેતા દ્વારા આ રીતે સવાલ ઉઠાવવામાં આવતા આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.

નોંધનીય છે કે, પૂર્વ કચ્છ જિલ્લામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભચાઉના શિવલખા ગામે કુખ્યાત ગુનેગારો દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી હોટલને પૂર્વ કચ્છ પોલીસે બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરી દીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 

વિડિઓઝ

Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
Embed widget