શોધખોળ કરો

CM ભૂપેંદ્ર પટેલ ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે ગુરુપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ ખાતે  આવેલા ગાયત્રી આશ્રમ ખાતે ગુરદત્ત જ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટ: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ ખાતે  આવેલા ગાયત્રી આશ્રમ ખાતે ગુરદત્ત જ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ ભવ્ય ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. અહીં ગાયત્રી આશ્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી એક વખત હળવાશ અને આધ્યાત્મિક મૂડમાં જોવા મળ્યાં હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગધેથડના ગાયત્રી આશ્રમ ખાતે ગુરુપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા હતા. તેમણે આશ્રમના  મહંતશ્રી લાલબાપુના આશીર્વાદ પણ લીધા હતા.

મુખ્યમંત્રીએ ગાયત્રી મંદિરમાં શીશ ઝૂકાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,  ગધેથડ ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યાઓએ આવવાથી જનસેવા માટેનું મારુ મનોબળ વધુ મજબૂત થાય છે.  ગાયત્રી મંદિરમાં શીશ ઝૂકાવી પ્રજાની સુખાકારી અર્થે પ્રાર્થના કરી હતી. 

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે, " ગધેથડ ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યાએ આવવાથી જનસેવા માટેનું મારુ મનોબળ વધુ મજબૂત બને છે". છેવાડાના નાનામાં નાના માણસની સુખાકારી વધારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ત્યારે સંતોના આશીર્વાદથી જન કલ્યાણનો અમારો સંકલ્પ વધુ મજબૂત બનશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "માગશર પૂર્ણિમાના પવિત્ર દિવસે પૂજ્ય લાલબાપુ સમા ગુરૂના આશીર્વાદ મેળવવાનો અવસર પ્રાપ્ત થયો છે, મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે ગુરુ પાસે માંગીને જશું અને આપવાનું થશે ત્યારે અમે આપી દેશું. છેલ્લા બે મહિનાથી સૌ સેવકો મહેનત કરતા હતા.  ગધેથડ આશ્રમમાં લાલબાપુએ સૌનો આભાર માન્યો હતો.  

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુરજી પાસે તમે અહીં જે કઈ માંગો, મનમાં માંગો કે અહીં માંગો! અમે પણ માંગીને જઈશું, પછી જ્યારે અમારો વારો આવશે આપવાનો ત્યારે અમે પરત આપી દેશું.  મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈએ કહ્યું કે, ‘મને બધા વડીલોએ આગ્રહ કર્યો હતો કે તમે આવજો, એટલું મારે આવવું પડ્યું છે. પરંતુ એકવાર તો અહીયા બધાએ આવવું જ જોઈએ. 

ગાયત્રી આશ્રમ સમગ્ર ગુજરાતમાં પ્રચલિત

દર વર્ષે લાખો ભક્તો ગુરુપૂર્ણિમાના પાવન દિવસે પૂજ્ય લાલબાપુના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ગધેથડનો ગાયત્રી આશ્રમ સમગ્ર ગુજરાતમાં પ્રચલિત છે. 

વેણુનદી ડેમના કાંઠે ગધેથડ ગામમાં ગાયત્રી મંદિરનું નિર્માણકાર્ય તેમણે  શરુ કરાવ્યું હતું. વર્ષ 2014માં આ ભવ્ય મંદિરનુ કામ પૂર્ણ થયુ હતું. આ મંદિરના નિર્માણની એક ખાસીયત એ છે કે અહીં લોખંડનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. જયાં જરુર પડે ત્યાં તાંબુ અને ચાંદી જેવી ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિર નિર્માણ વિદ્ધિ વિધાનથી શુભ મુહૂર્તો દ્વારા કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રમાં અનેક એવી જગ્યાઓ છે જે ગુરુ દ્નારા સ્થાપિત કરવામાં આવી હોય અને તેમના તપને લઈને ખ્યાતિ ધરાવતી હોય.
 
 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
Embed widget