અમદાવાદની આ ખાનગી શાળા વિરૂદ્ધ હાઇકોર્ટમાં અરજી, વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડાં થતાં હોવાનો આક્ષેપ
અમદાવાદની એક ખાનગી શાળાની સરકારી માન્યતા રદ્દ થયા બાદ પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરાતા હોવાના આક્ષેપ સાથે કોર્ટમાં અરજી કરવામાં આવી છે.
![અમદાવાદની આ ખાનગી શાળા વિરૂદ્ધ હાઇકોર્ટમાં અરજી, વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડાં થતાં હોવાનો આક્ષેપ Complaint against this private school in Ahmedabad, alleging that the student's future is tampered અમદાવાદની આ ખાનગી શાળા વિરૂદ્ધ હાઇકોર્ટમાં અરજી, વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડાં થતાં હોવાનો આક્ષેપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/27/c6a669b28ef1c021ace952c5e88a4bb7166157848928575_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ahemdabad News: અમદાવાદની એક ખાનગી શાળાની સરકારી માન્યતા રદ્દ થયા બાદ પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરાતા હોવાના આક્ષેપ સાથે કોર્ટમાં અરજી કરવામાં આવી છે.
અમદાવાદની વસ્ત્રાપુરની નોવા સ્કૂલ સામે ફરિયાદ નોંઘાઇ છે અને વિદ્યાર્થી સાથે છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. માન્યતા વિનાની શાળાએ ફી વધારા માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મીલીભગત કરી FRC માં ફી વધારો માંગ્યો હોવાનો પણ શાળા સામે આક્ષેપછે. FRC એ પણ પૂરતી ખરાઈ વિના જ ફી વધારો મંજૂર કરી દીધો હોવાથી ફરિયાદ કરવામાં આવી છે. હાઇકોર્ટ આ મુદ્દે જરૂરી નિર્દેશો જારી કરે એવી અરજદારની માંગણી કરવામાં આવી છે.
Manish Sisodia Arrest: સિસોદિયાની ધરપકડ પર જાણો કેજરીવાલ, ગૌતમ ગંભીર સહિતના નેતાઓએ શું આપી પ્રતિક્રિયા
Manish Sisodia Arrest: મનીષ સિસોદિયાની ધરપકડ પર સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, 'મનીષ નિર્દોષ છે. તેમની ધરપકડ ગંદી રાજનીતિ છે. મનીષની ધરપકડથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બધા જોઈ રહ્યા છે. લોકો બધું સમજી રહ્યા છે. લોકો આનો જવાબ આપશે.
AAP સાંસદ સંજય સિંહે કહ્યું
તો બીજી તરફ મનીષ સિસોદિયાની ધરપકડ પર AAP સાંસદ સંજય સિંહે કહ્યું, 'દિલ્હીના લાખો બાળકોનું ભવિષ્ય બનાવ્યું છે. મોદીજી, ભગવાન પણ તમને માફ નહીં ક
ગૌતમ ગંભીરે સિસોદિયાની ધરપકડ પર ટોણો માર્યો
આ ઉપરાંત બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે સિસોદિયાની ધરપકડ પર ટોણો માર્યો હતો. ગંભીરે સીસોદિયાનું નામ લીધા વગર ટ્વીટ કરતા લખ્યું કે, ગુનો કરીને ક્યાં જશો ગાલિબ, આ જમીન, આ આકાશ બધુ “AAP” નું જ છે.
તજિન્દર પાલ સિંહ બગ્ગાએ સીએમ કેજરીવાલ પર નિશાન સાધ્યું
મનીષ સિસોદિયાની ધરપકડ પર ભાજપના નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ કહ્યું છે કે, "અરવિંદ કેજરીવાલ કહેતા હતા કે જો મારા વ્યક્તિ પર કોઈ આરોપ હશે તો હું તેને તરત જ કાઢી મુકીશ. હવે જોઈએ કે કેજરીવાલ કોઈ પગલાં લે છે કે પછી તે પણ આ દારૂની દલાલીમાં ભાગીદાર છે. થોડા સમયમાં દારૂનો દારૂ, પાણીનું પાણી થઈ જશે.
મનીષ સિસોદિયા ધરપકડ પર બોલ્યા કપિલ મિશ્રા
ભાજપ નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરતા કહ્યું, દારુ કૌભાંડમા મનિષ સિસોદિયાની પણ ધરપકડ. દારૂના કારણે બરબાદ થયેલા પરિવારોની માતાઓ અને બહેનોની હાય લાગી છે મનીષ સિસોદિયાને. હું શરૂઆતથી કહેતો આવ્યો છું કે કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં જશે, તેમાંથી બે જેલમાં ગયા છે, આગળનો નંબર કેજરીવાલનો છે.
મનીષ સિસોદિયાની ધરપકડ પર AAP ધારાસભ્ય આતિશીની પહેલી પ્રતિક્રિયા
મનીષ સિસોદિયાની ધરપકડ પર AAP ધારાસભ્ય આતિશીએ કહ્યું, 'આજે CBIએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. મનીષ સવારે સીબીઆઈ ઓફિસ જવાના હતા ત્યારે તેણે પોતે જ કહ્યું હતું કે આજે તેની ધરપકડ કરવામાં આવશે. કોણ છે મનીષ જેણે દિલ્હીની શાળાઓની કાયાપલટ કરી. સરકારી શાળાને સુધારવાનું કામ કર્યું. મનીષ સિસોદિયાએ સેંકડો ગરીબ બાળકોને IIT-JEEમાં મોકલ્યા છે. ભાજપ કહે છે કે તેણે 10 હજાર કરોડનું કૌભાંડ કર્યું છે. ક્યાં છે આ હજારો કરોડો રૂપિયા. તેમની સામે ક્યાં અને શું મળી આવ્યું છે. એક વર્ષની તપાસ બાદ પણ કંઈ મળ્યું નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)