શોધખોળ કરો

Banaskantha: કોંગ્રસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે SP પર લગાવ્યા ગંભીર આરોપ, જેલ ભરો આંદોલનની આપી ચીમકી

બનાસકાંઠા: વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી ચર્ચામાં આવ્યા છે. કોંગ્રેસ એમએલએએ એક ટ્વીટ કરી બનાસકાંઠા એસપી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. બનાસકાંઠા એસપી રાજકીય હાથો બની કોંગ્રેસના કાર્યકરોને હેરાનનો કરતા હોવાનો આક્ષેપ ગેનીબેન ઠાકોરે કર્યો છે.

બનાસકાંઠા: વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી ચર્ચામાં આવ્યા છે. કોંગ્રેસ એમએલએએ એક ટ્વીટ કરી બનાસકાંઠા એસપી સામે ગંભીર આક્ષેપો કર્યા છે.  બનાસકાંઠા એસપી રાજકીય હાથો બની કોંગ્રેસના કાર્યકરોને હેરાનનો કરતા હોવાનો આક્ષેપ ગેનીબેન ઠાકોરે કર્યો છે. એસપીના વિરોધમાં જેલ ભરો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ગેનીબેને ઉચ્ચારી છે.

 

આ સમગ્ર ઘટનાને લઈને આવતીકાલે ગેનીબેન ઠાકોર પત્રકાર પરિષદ કરશે. તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહે ટ્વિટને રિટ્વિટ કર્યું છે. આમ પ્રદેશ પ્રમુખ પણ તેમના સમર્થનમાં આવ્યા છે. હવે આવતીકાલે ગેનીબેન આ અંગે કેવા કેવા ખુલાસા કરે છે તે જોવાનું રહ્યું. હાલમાં તો એસપી પર કરવામાં આવેલા આક્ષેપને લઈને રાજકારણ ગરમાયું છે.

રાજકોટમાં 13 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ-હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો

રાજકોટ: રાજકોટમાં 13 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ ગુજરી તેની ઘાતકી હત્યા મામલે રાજકોટ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હત્યા-દુષ્કર્મના બનાવમાં હિસ્ટ્રીશીટર જયદીપ ઉર્ફે જયુ પરમારની ધરપકડ થઈ છે.   આરોપી જયદીપ પરમાર ઉર્ફે જયું નામનો આરોપી મૃત્યુ પામનાર સગીરાનાં પરિવારથી પરિચિત હોવાનો ખુલાસો થયો છે.   આરોપી જયદીપ પરમાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. 

iplayer_AV63c55dc1f1de1998f20af5e5-1688320818347Wrapper" class="avp-floating-container avp-p-wrapper" tabindex="0">

રાજકોટમાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરી ઘાતકી હત્યા કરનાર  આરોપી જયદીપ ઉર્ફે જયુ ઉમેશ પરમાર સગીરાના કાકાના પરીચયમાં આવ્યો પછી સગીરાના ઘરે જતો ત્યાં બાળા ઉપર નિયત બગડી હતી.  આરોપી સગીરાને એકતરફી પસંદ કરવા લાગ્યો હતો. 27મીએ સાંજે સગીરાને લાકડા વીણવા બંધ કારખાનામાં એકલી જતા જોય તેનો પીછો કરી વાતોમાં ભોળવી દુષ્કર્મ ગુજાર્યું હતું.   જીવતી જવા દેશે તો તેનો ગુનો પકડાઈ જશે તેમ માની કારખાનામાં પડેલ સળિયો અને બોથડ પદાર્થ મારી હત્યા નિપજાવી હતી.  બાદમાં આરોપી પોતે જ પરિવારજનો સાથે મળી બાળાને શોધવામાં લાગ્યો હતો. ગુનાનો ભેદ ઉકેલાઈ જતા પત્રકાર પરિષદ યોજી ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે આ માહિતી આપી હતી.

જાણો શું હતી સમગ્ર ઘટના 

રાજકોટમાં અપહરણ થયેલી 13 વર્ષની સગીરોનો મૃતદેહ ગુરુવારે રાત્રે મળ્યો હતો.  પોલીસે હત્યાની આશંકાએ તપાસ હાથ ધરી હતી. આજી GIDC વિસ્તારમાં અમદાવાદ હાઇવે પર આવેલા અમૂલ ઇન્ડસ્ટ્રીના બંધ કારખાનામાંથી મૃતદેહ મળ્યો હતો. આજીડેમ પોલીસ, ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમો દોડી ગઈ હતી. સગીરા લાકડા લેવા ગઈ હતી અને બે દિવસથી ગુમ હતી. પરિવારે પોતાની રીતે તપાસ કર્યા બાદ તારીખ 28ના રોજ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.  પોલીસે તમામ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગુમ બાળાનો મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં હતો. સૂત્રોએ જણાવ્યું કે  મૃતદેહની બાજુમાંથી લોખંડનો સળિયો મળ્યો છે. તેનાથી માર માર્યો હતો.  ગુપ્તાંગમાં પણ સળિયો ઘુસાડ્યાના નિશાન મળ્યા હતા. પીઠ અને શરીરના અન્ય ભાગોમાં સળિયાથી માર માર્યાના નિશાન હતા. જેથી દુષ્કર્મ કરી ઘાતકી  હત્યા કરવામાં આવી હોવાનું તારણ હતું. પોલીસે સળિયો અને ઘટના સ્થળેથી મળેલા અન્ય પુરાવાઓ મેળવી ફોરેન્સિક ટીમને સોંપ્યા હતા. 

બનાવ અંગે આજીડેમ પોલીસ મથકે અમદાવાદ હાઇવે પર આવેલ યુવરાજનગર વિસ્તારમાં રહેતી તરુણીની માતાએ પોતાની ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું હતું કે, તેઓ મૂળ રાજસ્થાનના વતની છે. અને તેઓ વર્ષોથી રાજકોટમાં રહે છે. તેના પતિ ડ્રાઇવિંગ કરે છે. તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. જેમાંથી બીજા નંબરની 13 વર્ષની તરૂણી રાધા દરરોજ ઘર માટે લાકડા લેવા માટે આજીડેમ ચોકડી નજીક જતી હતી. દરરોજની જેમ તેની દિકરી તારીખ 27 ના સાંજે  પાંચ વાગ્યાની આસપાસ લાકડા લેવા માટે ગઈ હતી. જે મોડે સુધી પરત ઘરે ન આવતાં તેના પરિવારે પુત્રીની શોધખોળ શરુ કરી હતી. આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં તરુણીનો કોઈ પતો ન લાગતાં તેમની પુત્રીને કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગેની ફરિયાદ પરથી આજીડેમ પોલીસ મથક પીઆઈ એલ.એલ. ચાવડા, પીએસઆઇ એસ.કે. ગઢવી અને ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સોર્સીસની મદદથી તરુણીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં સગીરનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ નપાનું ભોપાળું: ખાનગી માલિકીના જમીન પર બનાવી દીધો રોડ, માલિકે ફેન્સિંગ લગાવી કર્યો બંધ
પાટણ નપાનું ભોપાળું: ખાનગી માલિકીના જમીન પર બનાવી દીધો રોડ, માલિકે ફેન્સિંગ લગાવી કર્યો બંધ
સતત 8 ટર્મમાં અજેય રહેલા ધારાસભ્ય યોગેશ પટેલના આજે અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન
સતત 8 ટર્મમાં અજેય રહેલા ધારાસભ્ય યોગેશ પટેલના આજે અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
1 ઓક્ટોબરથી બદલાશે નિયમ, પ્રદૂષણ સર્ટિફિકેટ વગર નહીં મળે પેટ્રોલ-ડીઝલ; આ શહેરોમાં લાગુ થશે નવો રુલ્સ
1 ઓક્ટોબરથી બદલાશે નિયમ, પ્રદૂષણ સર્ટિફિકેટ વગર નહીં મળે પેટ્રોલ-ડીઝલ; આ શહેરોમાં લાગુ થશે નવો રુલ્સ
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
Embed widget