શોધખોળ કરો

દિલ્હીના તબલીધી જમાતના ધાર્મિક કાર્યક્રમમાં ગુજરાતના આટલા લોકોએ લીધો હતો ભાગ? SIT દ્વારા શરૂ કરાઈ શોધખોળ

તબલીઘી જમાતના આ કાર્યક્રમમાં ગુજરાત કનેક્શન પણ બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તબલીધી જમાતના કાર્યક્રમમાં ભાગ લેવા ગુજરાતી લોકો ગયા હોવાની જાણ થતાં ગુજરાત સરકાર દોડધામ મચી ગઈ હતી.

અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દિલ્હીમાં તબલીઘી જમાતના નિઝામુદ્દિન કેન્દ્રમાં મરકઝ નામના ધાર્મિક પ્રસંગે ભારત સહિત વિવિધ 15 દેશના આશરે 1700 લોકો ભેગા થયા હતાં. જેમાંથી 1033 લોકો વતન પહોંચી ચૂક્યા છે. જેમાંના 24થી વધુ કોરોના સંક્રમણનો ભોગ બન્યાં છે અને 9નાં મોત નિપજ્યાં છે. તબલીઘી જમાતના આ કાર્યક્રમમાં ગુજરાત કનેક્શન પણ બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તબલીધી જમાતના કાર્યક્રમમાં ભાગ લેવા ગુજરાતી લોકો ગયા હોવાની જાણ થતાં ગુજરાત સરકાર દોડધામ મચી ગઈ હતી. તેમની શોધખોળ માટે ભાવનગર જિલ્લા રેન્જ આઇજીએ અશોક યાદવે એસઆઈટીની રચના કરી છે. રેન્જ IG અશોક યાદવે કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં ભાવનગરના 13 અને બોટાદના 4 લોકો મળી 17 લોકોએ ભાગ લીધો હતો. આ 17 લોકોમાંથી એકનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. જ્યારે સુરત મ્યુનિસિપલ કમિશનર મુજબ, તબલીઘી જમાતના 76 લોકો આ કાર્યક્રમમાં ગયા હતા. સુરત મહાનગરપાલિકાએ 72 લોકોને શોધી કાઢ્યાં છે, જ્યારે અન્ય 4 લોકોની શોધખોળ ચાલુ છે. હાલ મળેલા તમામ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. આ મામલે ભાવનગર જિલ્લા પોલીસે પણ તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ ઉપરાંત ભાવનગર રેન્જના આઈજીએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી તેમને ક્વોરન્ટીન કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. તબલીઘીના કાર્યક્રમમાં ગયેલા 76 લોકો અંગે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, 76 સુરતીઓ દિલ્હી ગયા હતાં આ લોકોમાં પણ કોરોનાનો ચેપ હોય શકે છે માટે આ તમામ લોકોને હાલ શોધવાની કામગીરી ચાલી રહી છે. લોકોને વિનંતી કરતાં કમિશનરે કહ્યું હતું કે, આ લોકો આપની આસપાસ હોય તો આપ માહિતી આપી શકો છો જેથી કોરોનાનો ચેપ ન ફેલાય.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
Year Ender 2025: આ વર્ષે ટી-20માં સૌથી મોટી ઈનિંગ રમનાર સાત બેટ્સમેન, લિસ્ટમાં ફક્ત એક ભારતીય
Year Ender 2025: આ વર્ષે ટી-20માં સૌથી મોટી ઈનિંગ રમનાર સાત બેટ્સમેન, લિસ્ટમાં ફક્ત એક ભારતીય
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
Khaleda Zia Death: બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું ભારત સાથે શું છે ખાસ કનેક્શન?
Khaleda Zia Death: બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું ભારત સાથે શું છે ખાસ કનેક્શન?
Embed widget