શોધખોળ કરો
Advertisement
Coronavirus: ગુજરાતમાં આજે 1270 દર્દીએ આપી કોરોનાને મ્હાત, રિકવરી રેટ 88.52 ટકા પર પહોંચ્યો
રાજ્યમાં હાલ 14,587 એક્ટિવ કેસ છે, જ્યારે 1,40,419 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. આજે રાજ્યમાં 1161 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3929 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,587 એક્ટિવ કેસ છે, જ્યારે 1,40,419 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,508 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,58,635 પર પહોંચી છે.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1270 દર્દી સાજા થયા હતા અને 52,746 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 53,22,288 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.52 ટકા છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે રાજકોટ કોર્પોરેશનમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2,ગીર સોમનાથમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 9 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 171, અમદાવાદ કોર્પોરેશનમાં 168, રાજકોટ કોર્પોરેશનમાં 71, વડોદરા કોર્પોરેશનમાં 74, સુરતમાં 68, જાનગર કોર્પોરેશનમાં 50, વડોદરામાં 42, મહેસાણામાં 41, રાજકોટમાં 37, પાટણમાં 33, ભરૂચમાં 27, જામનગરમાં 24, સાબરકાંઠામાં 24, જુનાગઢમાં 23, ગાંધીનગર કોર્પોરેશનમાં 21, મોરબીમાં 21, અમરેલીમાં 20, સુરેન્દ્રનગરમાં 20 કેસ નોંધાયા હતા.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,49,479 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,49,199 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 280 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion