શોધખોળ કરો
Advertisement
ગીર જંગલમાં આવેલા કયા પ્રસિદ્ધ મંદિરને વાવાઝોડાથી થયું ભારે નુકસાન? જાણો વિગત
તુલસીશ્યામ મંદિરમાં પણ ભારે નુકસાન થયું છે. તૌકતે વાવાજોડાની અસર ધાર્મિક મંદિરો પર પણ જોવા મળી. નેટવર્ક નહિ હોવાને કારણે આજે વીડિયો સામે આવ્યા છે.
અમરેલીઃ ગુજરાતમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હવાઈ નિરીક્ષણ કર્યા પછી 1 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. તેમજ ગઈ કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વાવાઝોડાથી પ્રભાવિત થયેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને લોકોને સાંત્વના પાઠવી હતી. તેમજ લોકોને સરકાર તેમને મદદ કરશે, તેવી બાંહેધરી પણ આપી હતી.
હવે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ગીર જંગલ વચ્ચે આવેલા તુલસીશ્યામ મંદિરમાં પણ ભારે નુકસાન થયું છે. તૌકતે વાવાજોડાની અસર ધાર્મિક મંદિરો પર પણ જોવા મળી. નેટવર્ક નહિ હોવાને કારણે આજે વીડિયો સામે આવ્યા છે. મંદિર પરિસરના છાપરા સહીત કેટલાક લોખંડના પાઇપો ઉડયા. મંદિર પટાંગણમાં ભારે નુકસાન થયું છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement