![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Banaskantha: વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો હવે શું લેવામાં આવ્યો નિર્ણય
બનાસકાંઠા: વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિર ખાતે આપવામાં આવતા મોહનથાળના પ્રસાદને લઈને વિવાદ ચાલતો હતો.
![Banaskantha: વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો હવે શું લેવામાં આવ્યો નિર્ણય Darshan and Aarti timings of Ambaji temple have been changed Banaskantha: વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો હવે શું લેવામાં આવ્યો નિર્ણય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/13/0c77537eef0c152b95b5ebbe09c4e30a1678698996428607_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બનાસકાંઠા: વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિર ખાતે આપવામાં આવતા મોહનથાળના પ્રસાદને લઈને વિવાદ ચાલતો હતો. જો કે, હવે આ વિવાદ શાંત થઈ ગયો છે. તો બીજી તરફ સામે આવેલી વિગતો અનુસાર માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચેત્રી સુદ એકમથી નવો સમય લાગું થશે. 22-3-2023 ના દિવસે સવારે 8:30 થી 9:30 કલાકે ઘટ સ્થાપના થશે, એકમથી આરતીનો સમય સવારે 7:00થી 7:30 નો રહેશે. ત્યારે દર્શન સવારે 8:00 કલાક થી શરુ થશે જે બપોરે 11'30 સુધી થઇ શકશે. બપોરે 11:30 થી 12:30 અને સાંજે 4:30 થી 7:30 સુધી બંદ રહેશે. ત્યારે સાંજે 7:30 થી 9:00 વાગ્યે સુધી અંબાજી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે.
દિલ્હીની મેદાંતા હોસ્પિટલના અધ્યક્ષ રણદીપ ગુલેરિયાએ ખાસ વાત કરી
હાલના સમયમાં ગુજરાત સહિત દેશભરમાં વાયરલ ઇન્ફેક્શનના કિસ્સા દિવસ અને દિવસે વધી રહ્યા છે. એક તરફ કોરોના તો બીજી તરફ વિવિધ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન એ લોકો માટે ચિંતાજનક બાબત બની છે. ત્યારે અમદાવાદની કેડી હોસ્પિટલ ખાતે નેશનલ પ્લમનોલોની અને ક્રિટિકલ કેર કોન્ફરન્સમાં અમદાવાદ સહિત દેશના સાત જેટલા નામાંકિત અને મોટા તબીબો દ્વારા કેટલીક મહત્વની ગાઈડલાઈન જારી કરવામાં આવી છે.
દિલ્હીની મેદાંતા હોસ્પિટલના અધ્યક્ષ રણદીપ ગુલેરિયાએ ખાસ વાત
એક્સપર્ટ ડોક્ટરોની ટીમ દ્વારા ડોક્ટરની સાથે સાથે દર્દીઓ માટે પણ વાયરલ ઇન્ફેક્શનના કિસ્સામાં કયા પ્રકારે તકેદારી રાખવી જોઈએ તે માટેની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ બાબતે એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરતા દિલ્હી AIMS ના પૂર્વ ડાયરેક્ટર અને હાલ દિલ્હીની મેદાંતા હોસ્પિટલના અધ્યક્ષ રણદીપ ગુલેરિયાએ ખાસ વાત કરી. જેમાં તમને કહ્યું કે કોરોના બાદ જોવા મળી રહેલા વાયરલ ઇન્ફેક્શન એ નવી વાત નથી પહેલા પણ આ પ્રકારના ઇન્ફેક્શન આવતા રહ્યા છે. પરંતુ આ પ્રકારના ઇન્ફેક્શનથી બચવા માટે જેવી રીતે કોરોના દરમિયાન લોકોએ કોવિડ અનુરૂપ વ્યવહાર કર્યો હતો, એટ્લે કે માસ્ક સેનિટાઈઝર અને વારંવાર હાથ ધોવા એ બાબતોની ખાસ ધ્યાન રાખવું પડશે.
એક્સપર્ટની ટીમ દ્વારા તબીબોને પણ સલાહ આપવામાં આવી
માત્ર આટલું જ નહીં પરંતુ તબીબોને પણ એક્સપર્ટની ટીમ દ્વારા તબીબોને પણ સલાહ આપવામાં આવી છે કે બિનજરૂરી એન્ટિવાયરલ દવાઓનો ઉપયોગ ન કરવામાં આવે. તો સાથે જ લોકોને પણ જાતે દવા લઈને ઇલાજ કરવો ન જોઈએ. ખાસ લોકોએ રસીકરણ પર ભાર મૂકવો જોઈએ. આવનાર દિવસોમાં એન્ટિવાયરલી પણ માર્કેટમાં આવે તો તે લેવી જોઈએ. તાવ, ગળામાં દુખાવો, વહેતું નાક, સૂકી ઉધરસ ઉપરાંત શરીરનો દુખાવો, ઝાડા, પેટમાં દુખવું વગેરે વાયરલ ઇન્ફેક્શનના લક્ષણો હોય છે. જેથી લોકોએ તબીબની સલાહ પ્રમાણે દવા લેવી જોઈએ. આ ઉપરાંત અન્ય તબીબોએ એમ પણ છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના કારણે અન્ય ઈન્ફેક્શન અથવા તો મોટા રોગના દર્દીઓની યોગ્ય સારવાર અથવા તો તેમના પ્રત્યે ધ્યાન ન આપવામાં આવ્યું હોવાથી હવે અન્ય રોગોની સારવાર પર ધ્યાન આપવા માટે પણ પ્રાધાન્ય આપવા માટે સુચવ્યું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)