શોધખોળ કરો

ધોરણ 1થી 5ના વિદ્યાસહાયકોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ, જાણો કારણ

ધોરણ 1થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની વિદ્યાસહાયક ભરતીમાં જિલ્લા પસંદગી પ્રક્રિયા રદ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.

ગાંધીનગર:  રાજ્યના શિક્ષણ વિભાગને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા શરૂ છે ત્યારે ધોરણ 1થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની વિદ્યાસહાયક ભરતીમાં જિલ્લા પસંદગી પ્રક્રિયા રદ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. ગાંધીનગર દ્વારા વિદ્યાસહાયક ભરતી ધોરણ 1થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની ભરતી અન્વયે ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા મુદ્દે નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યાસહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  

ક્યાં કારણોસર લેવાયો આ નિર્ણય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલા ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર 'રિઝલ્ટ' શબ્દ હોવાના કારણે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતાં ઉમેદવારોના મેરીટમાં ફેરફાર થતા ઉમેદવારોમાં અસંતોષ હોવાના કારણે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


ધોરણ 1થી 5ના વિદ્યાસહાયકોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ, જાણો કારણ

નવેસરથી જિલ્લા પસંદગી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, વિદ્યાસહાયક ભરતી (ધોરણ 1થી 5 ગુજરાતી માધ્યમ) વર્ષ 2024ની ભરતી અન્વયે ધોરણ 1થી 5ના ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા તારીખ 22-05-2025થી શરુ કરવામાં આવેલ છે. સદર જિલ્લા પસંદગીની પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધિતીથી સ્નાતક થયેલા ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલ હોવાના કારણે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલ ગુણ અને મેળવેલ ગુણનો  સરવાળો કરી ટકાવારી કાઢતા ઉમેદવારોના મેરીટમાં ફેરફાર થતા  ઉમેદવારોમાં અસંતોષ થવાની શક્યતા હોવાથી કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી તારીખ 22-05-2025થી 31-05-2025 સુધી કરવામાં આવેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરવાનો તેમજ વિદ્યાસહાયક ભરતીની પસંદગી પ્રક્રિયાના નિયમો  20-01-2017ના જાહેરનામાના ફકરા 8()2 (1) મુજબ સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણના આધારે જ મેરીટ ગણતરીમાં લઈ નવેસરથી જિલ્લા પસંદગી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  

હવે નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ નિર્ણય કર્યો છે. હવે આ ભરતીમાં  નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યાસહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
Embed widget