શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાત પેટા ચૂંટણીઃ કુરાલી ગામે નીતિન પટેલ પર અજાણી વ્યક્તિએ ફેંક્યું ચપ્પલ
નીતિન પટેલે સભાને સંબોધતા કહ્યું, નરાધમોએ ગુજરાતના ગોધરામાં ટ્રેનને આગ લગાડવાનું પાપ કર્યુ હતું.
![ગુજરાત પેટા ચૂંટણીઃ કુરાલી ગામે નીતિન પટેલ પર અજાણી વ્યક્તિએ ફેંક્યું ચપ્પલ Gujarat by-election: Stranger throws shoe at Nitin Patel in Kurali village ગુજરાત પેટા ચૂંટણીઃ કુરાલી ગામે નીતિન પટેલ પર અજાણી વ્યક્તિએ ફેંક્યું ચપ્પલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/27134739/nitin-patel.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કરજણઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી પ્રચાર હાલ જોરશોરમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા તે દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જોકે તેમને ચપ્પલ વાગ્યુ નહોતું. ચપ્પલ ફેંકનારા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી. નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યાની ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી.
નીતિન પટેલે સભાને સંબોધતા કહ્યું, નરાધમોએ ગુજરાતના ગોધરામાં ટ્રેનને આગ લગાડવાનું પાપ કર્યુ હતું. કોંગ્રેસ અને અહેમદ પટેલે મોદી તથા અમિત શાહ પર ખોટા કેસ કરાવ્યા હતા. જેના કારણે આખી દુનિયાં ગુજરાત બદનામ થયું હતું.
તેમણે એમ પણ કહ્યું, કમળ લોહીચુંબક છે, જે લોકોને ખેંચવાનું કામ કરે છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો વિધાનસબામાં વિરોધ કરતા હતા. બાદમાં તેઓ આવીને મળતા ત્યારે કહેતા કે આ તો બોલવું પડે એટલે બોલીએ છીએ, બાકી સરકાર ખૂબ સારું કામ કરે છે.
ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે રિઝલ્ટ જાહેર થશે. આ પહેલા સુરતમાં ધારીથી ભાજપના ઉમેદાવાર જે વી કાકડિયા પર ઇંડા ફેંકાયા હતા.
![ગુજરાત પેટા ચૂંટણીઃ કુરાલી ગામે નીતિન પટેલ પર અજાણી વ્યક્તિએ ફેંક્યું ચપ્પલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/26193500/nitin-patel-shoe.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)