શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીઃ કોંગ્રેસે વધુ બે ઉમેદવારો કર્યા જાહેર, જાણો કઈ બેઠક પરથી કોને મળી ટિકિટ
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કૉંગ્રેસે આજે વધુ બે બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા.
![ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીઃ કોંગ્રેસે વધુ બે ઉમેદવારો કર્યા જાહેર, જાણો કઈ બેઠક પરથી કોને મળી ટિકિટ Gujarat by Elections 2020: Gujarat congress announces more 2 candidates ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીઃ કોંગ્રેસે વધુ બે ઉમેદવારો કર્યા જાહેર, જાણો કઈ બેઠક પરથી કોને મળી ટિકિટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/13231129/gujarat-congress2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કૉંગ્રેસે આજે વધુ બે બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા. ડાંગ, કપરાડા બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. આ પહેલા સોમવારે મોરબી,ધારી, કરજણ,અબડાસા અને ગઢડા બેઠક પરથી કૉંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ભાજપ દ્વારા તમામ આઠ બેઠક પર ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે.
આજે કોંગ્રેસે કપરાડા બેઠક પરથી બાબુ વરઠા અને ડાંગ બેઠક પરથી સૂર્યકાંત ગાવિતના નામની જાહેરાત કરી હતી. જ્યારે લીંબડી બેઠક પરથી ઉમેદવાર જાહેર નથી કર્યા. આ પહેલા મોરબી બેઠક પરથી જયંતિ જયરાજને ટિકિટ આપવામાં આવી હતી. ધારી બેઠક પરથી કૉંગ્રેસે સુરેશ કોટડિયાને ટિકિટ આપી હતી. ગઢડા બેઠક પરથી મોહન સોલંકીના નામની જાહેરાત કરી હતી. કરજણ બેઠક પરથી કિરિટસિંહ જાડેજા, અબડાસા બેઠક પરથી શાંતિલાલ સેંઘાણીને ટિકિટ આપવામાં આવી હતી.
ગુજરાતમાં કેમ યોજાઈ રહી છે પેટા ચૂંટણી
કોંગ્રેસમાં મોટાપાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને તે પછી ત્રણ ધારાસભ્યો મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપ્યા હતા. જેના પગલે આ બેઠકો ખાલી પડી હતી. કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારૂ, ધારીમાંથી જે.વી.કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કરજણમાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં. જેના કારણે આ બેઠકો પર 3 નવેમ્બરે પેટા ચૂંટણીનું મતદાન યોજાશે.
10 નવેમ્બરે પરિણામ
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સુરત
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)