શોધખોળ કરો

ચૂંટણી આયોગ 'સરકારના ઇશારે' ચાલે છે? કોંગ્રેસે ૪૦૦૦ ગ્રામ પંચાયતની ચૂંટણી ન થવાનું કારણ માંગ્યું!

ગુજરાત પંચાયતી રાજનું મોડેલ હોવા છતાં ગ્રામ્ય પ્રજા લોકશાહીના લાભથી વંચિત; 'વન નેશન વન ઇલેક્શન'ના બહાના હેઠળ ચૂંટણીઓ સ્થગિત કરવાનો આક્ષેપ.

Administrator rule in gram panchayats: ગુજરાતમાં ૪૦૦૦ જેટલી ગ્રામ પંચાયતોમાં છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો લોકશાહીના અધિકારોથી વંચિત રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ મુદ્દે રાજ્ય ચૂંટણી આયોગ અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને ૪૦૦૦ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ કયા કારણોસર યોજવામાં આવતી નથી તે સત્તાવાર રીતે જાહેર કરવાની માંગ કરી છે.

સમગ્ર દેશને પંચાયતી રાજનું મોડેલ પૂરું પાડનાર ગુજરાતમાં જ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને લોકશાહીના ફાયદાથી વંચિત રાખવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કર્યો છે. કોંગ્રેસના મતે, રાજ્યની ૪૦૦૦ જેટલી ગ્રામ પંચાયતોમાં છેલ્લા ૩ વર્ષ જેટલા લાંબા સમયથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. આ પંચાયતોની મુદત ૨૦૨૨માં પૂરી થઈ ચૂકી છે, જ્યારે અન્ય અંદાજિત ૧૪૦૦ જેટલી પંચાયતોની મુદત ૩૦ જૂન, ૨૦૨૫ના રોજ પૂરી થાય છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ ભાજપ સરકારની ગ્રામ્ય વિરોધી નીતિ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "સરકારના ઇશારે રાજ્ય ચૂંટણી આયોગ ચૂંટણીઓ કરવા માગતું નથી." તેમણે વધુમાં ઉમેર્યું કે, "વન નેશન વન ઇલેક્શન એ લોકસભા અને વિધાનસભા માટે કાયદો લાવવાનો છે, એ કાયદો હજુ બન્યો નથી. એ કાયદાનો પ્રયોગ કરવા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સ્થગિત કરી ૩ વર્ષથી ગામડાની પ્રજા સ્થાનિક પ્રતિનિધિ ન ચૂંટી શકે અને અધિકાર રાજ હેઠળ ગામડાઓની પ્રજા પીસાતી રહે અને દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લા જેવાં મનરેગા અને નલ સે જલ જેવા કૌભાંડ થતા રહે એ ખબર નથી પડતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સરકાર કરાવે છે કે રાજ્ય ચૂંટણી આયોગ?"

ભ્રષ્ટાચારને પ્રોત્સાહન?

ડૉ. દોશીએ આક્ષેપ કર્યો કે, ૪૦૦૦ ગ્રામ પંચાયતોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ન હોવાથી સરકારના ઈશારે વહીવટદારો મનફાવે તે રીતે વર્તી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, "૪૦૦૦ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ન યોજીને ભાજપ સરકાર જ વહીવટદાર શાસન દ્વારા મનરેગા, નલ સે જલ સહિતની સરકારી યોજનામાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહી છે."

બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન?

કોંગ્રેસે ગુજરાત પંચાયત એક્ટ ૧૯૯૩/૧૯૯૪ ની જોગવાઈઓ ટાંકીને જણાવ્યું હતું કે, કોઈપણ પંચાયતમાં સરપંચ કે સભ્યની ખાલી થયેલી બેઠકોની પેટા ચૂંટણીઓ ૧૨ માસ પૂરા થાય એ પહેલાં કરાવવી એ રાજ્ય ચૂંટણી આયોગની બંધારણીય જવાબદારી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાજ્ય ચૂંટણી આયોગ લાંબા સમય સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કોઈ કારણ વગર રોકી શકે નહીં.

ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ની કલમ ૧૩ અનુસાર, ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થયા પછી તેનું વિસર્જન થાય છે અને નવી ચૂંટણીઓ યોજવી જરૂરી છે. કલમ ૧૩(૨) માં સ્પષ્ટ જણાવેલ છે કે, ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થયા પહેલાં અથવા મુદત પૂર્ણ થયાના છ મહિનાની અંદર નવી ચૂંટણી યોજવાની રહે છે, જેથી નવી પંચાયતની રચના થઈ શકે.

કોંગ્રેસે અંતમાં માંગ કરી છે કે, "૪૦૦૦ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ કયા કારણોસર નથી કરવામાં આવતી તેનું કારણ સત્તાવાર રીતે રાજ્ય ચૂંટણી આયોગ જાહેર કરે." બંધારણમાં મતદારોને સ્થાનિક પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે અને તે અધિકારનું હનન ન થાય તે જોવાની જવાબદારી રાજ્ય ચૂંટણી આયોગની ફરજમાં આવે છે. કોંગ્રેસનું કહેવું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને 'વન નેશન વન ઇલેક્શન' ની વાતો સાથે કોઈ લેવાદેવા નથી અને આ ચૂંટણીઓ સ્થગિત કરવાના કાવાદાવા ચાલી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
Embed widget