શોધખોળ કરો

Gujarat Corona Cases: ગુજરાતીઓ થઈ જાવ એલર્ટ, કોરોના ફરી વકર્યો, રાજ્યમાં 104 દિવસ બાદ એક્ટિવ કેસનો આંક 2002ને પાર

Corona Cases: અમદાવાદમાં પાંચ માર્ચના એક્ટિવ કેસ 40 હતા. એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે.

Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 48 કેસ નોંધાયા છે. માર્ચના 12 દિવસમાં કોરોના સંક્રમિતોનો આંક વધીને 271 થઇ ગયો છે. રાજ્યમાં 28 નવેમ્બર એટલે કે 104 દિવસ બાદ એક્ટિવ કેસનો આંક 200ને પાર થયો છે.

અડધાથી વધુ કેસ અમદાવાદમાં

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ 26 મહેસાણામાંથી 6, સુરત-વડોદરામાંથી 4, ભાવનગરમાંથી 3, કચ્છમાંથી 2 જ્યારે રાજકોટ-મોરબી-વલસાડમાંથી 1-1 નવા કેસ સામે આવ્યા હતા. આમ, કોરોનાના નવા કેસ પૈકીના અડધાથી વધુ અમદાવાદમાં નોંધાયા છે. ગુજરાતમાં હાલ 213 એક્ટિવ કેસ છે જ્યારે 1 દર્દી વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં સૌથી વધુ 122, રાજકોટમાં 23, સુરતમાં 18, વડોદરા-મહેસાણામાં 11, ભાવનગરમાં 6, સાબરકાંઠામાં 5, ગાંધીનગર-પોરબંદરમાં 3, જુનાગઢ-કચ્છમાં 2, વલસાડ-સુરેન્દ્રનગર-નવસારી- મોરબી-ગીર સોમનાથ-બોટાદ-અમરેલીમાં 1-1 દર્દી કોરોનાની સારવાર હેઠળ છે.

અમદાવાદમાં પાંચ માર્ચના એક્ટિવ કેસ 40 હતા. એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ 4304 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 1170 ટેસ્ટનો સમાવેશ થાય છે. રવિવારે કુલ 277 દ્વારા કોરોના વેક્સિન લેવાઇ હતી. કુલ વેક્સિનેશન ડોઝ હવે 12.80 કરોડ છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધવાની સાથે ઈન્ફલુએન્ઝાના એચ.થ્રી.એન.ટુ વાયરસના દસ કેસ નોંધાતા મ્યુનિ.હેલ્થ વિભાગને એલર્ટ મોડ ઉપર મુકવામાં આવ્યુ છે.શહેરના જોધપુર ઉપરાંત  બોડકદેવ, નવરંગપુરા, વેજલપુર અને મકતમપુરામાં દસ કેસ નોંધાતા મ્યુનિ.ની એસ.વી.પી. ઉપરાંત એલ.જી.હોસ્પિટલમાં આ વાયરસના ટેસ્ટ માટે મ્યુનિ.ના હેલ્થ વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદમાં આ વર્ષે જાન્યુઆરીથી ૬ માર્ચ સુધીના સમયમાં સ્વાઈન ફલૂના કુલ ૪૩ કેસ નોંધાયા છે.શહેરમાં કોરોના સંક્રમણ વધવાની સાથે ઈન્ફલુએન્ઝાના નવા વાઈરસના જોધપુર વોર્ડમાં ત્રણ કેસ,બોડકદેવ વોર્ડમાં બે કેસ ,નવરંગપુરા વોર્ડમાં બે કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત મકતમપુરા અને વેજલપુર વોર્ડમાં આ વાઈરસનો અનુક્રમે એક-એક કેસ  સહિત અત્યાર સુધીમાં કુલ દસ કેસ આ વાઈરસના સામે આવ્યા છે.આ તમામના ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવ્યા હતા.શહેરમાં આવેલા મ્યુનિ.ના અર્બન હેલ્થ સેન્ટરમાં એક પણ કેસ નોંધાયો નથી.

આ વાયરસ અત્યંત ચેપી છે.ઉધરસ કે છીંક ખાતી વખતે તે અન્યને ચેપ લગાડે છે.ચેપગ્રસ્ત વ્યકિતની અત્યંત નજીક જવાથી પણ ચેપ લાગવાનો ખતરો રહે છે.આ વાઈરસથી બચવા તમામ લોકોએ માસ્ક પહેરવો,વારંવાર સાબુથી હાથ ધોવા ઉપરાંત જાહેર સ્થળોએ થૂંકવાનુ ટાળવુ તેમજ ડોકટરની સલાહ વગર કોઈ પણ પ્રકારની દવા લેવી નહીં.

ઈન્ફલુએન્ઝાના નવા વાયરસના લક્ષણોમાં દર્દીને ઠંડી લાગવી કે પછી કફ આવવો કે તાવ આવવા જેવા લક્ષણ જોવા મળતા હોય છે.કેટલાક કીસ્સામાં ઉબકા આવવા, નાક ગળવુ કે છીંક આવવી અથવા તો ઝાડા થવા  જેવા લક્ષણ પણ જોવા મળતા હોય છે.ખોરાકને ઉતારવામાં તકલીફ થતી હોય એમ જણાય એવા સમયે નજીકના ડોકટરનો સંપર્ક કરવો.

શહેરમાં કોરોના વેકિસનનો બુસ્ટર ડોઝ લેવા અંગે લોકોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે.શહેરમાં કોરોના વેકિસન માટે ૫૨ લાખથી વધુ લોકોનો મ્યુનિ.તંત્રે ટારગેટ નકકી કર્યો છે.આ સામે અત્યારસુધીમાં માત્ર 10 લાખથી વધુ લોકોએ જ કોરોના વેકિસનનો બુસ્ટર ડોઝ લીધો છે.શહેરમાં ૮૦થી વધુ મ્યુનિ.ના અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર આવેલા છે જયાં માત્ર જેમને દેશના અન્ય રાજયમાં કે વિદેશ જવાનુ હોય એવા લોકો જ વેકિસનનો બુસ્ટર ડોઝ લેવા પહોંચતા હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજીChaitar Vasava | Aadhar Card | ડેડિયાપાડામાં આધાર કાર્ડ માટે લોકોને હાલાકી, આખી રાત કાઢે છે લાઈનમાંRajkot | મનપાની સામાન્ય સભામાં એવો થયો હોબાળો કે બોલાવવી પડી પોલીસ... Watch Video | Abp AsmitaKshatriya Sammelan | રાજપૂત મહામંસેલનને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita | 20-4-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં કાળા તલથી કરો આ 4 કામ, 7 પેઢીઓ રહેશે ખુશહાલ
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં કાળા તલથી કરો આ 4 કામ, 7 પેઢીઓ રહેશે ખુશહાલ
HDFC બેંક લાવી રહી છે વધુ એક IPO, 25,000,000,000 રૂપિયાના શેર ઓફર કરશે
HDFC બેંક લાવી રહી છે વધુ એક IPO, 25,000,000,000 રૂપિયાના શેર ઓફર કરશે
EPFO Update: EPF ખાતાધારકો અને EPS પેન્શનર્સ માટે ગુડ ન્યૂઝ! મોદી સરકારે આ નિયમોમાં આપી મોટી રાહત
EPFO Update: EPF ખાતાધારકો અને EPS પેન્શનર્સ માટે ગુડ ન્યૂઝ! મોદી સરકારે આ નિયમોમાં આપી મોટી રાહત
Stock Market Today: શેરબજારમાં શાનદાર તેજી, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 6500000000000 વધી
Stock Market Today: શેરબજારમાં શાનદાર તેજી, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 6500000000000 વધી
Embed widget