![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Corona Guideline : રાજ્યમાં નાઈટ કર્ફ્યૂને લઈ સરકારે શું કરી મોટી જાહેરાત, જાણો
રાજ્ય સરકારની નવી કોરોના ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. 8 મહાનગરો અને 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યું છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે.
![Gujarat Corona Guideline : રાજ્યમાં નાઈટ કર્ફ્યૂને લઈ સરકારે શું કરી મોટી જાહેરાત, જાણો Gujarat Corona Guideline: Night curfew in 27 cities Gujarat Corona Guideline : રાજ્યમાં નાઈટ કર્ફ્યૂને લઈ સરકારે શું કરી મોટી જાહેરાત, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/17/4961b1d283ed17721d95f4df04be8441_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજ્ય સરકારની નવી કોરોના ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. 8 મહાનગરો અને 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યું છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે. રાજ્યના 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ 4 ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે.
હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે રાત્રિ કરફયુ આઠ મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. હાલ 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કરફયુ અમલમાં છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 19 નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 29 જાન્યુઆરી 2022થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.29-1-2022 ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે લંબાવીને તા 4 ફેબ્રુઆરી 2022 સુધીની કરવામાં આવી છે.
તદ્દઅનુસાર, હવે 8 મહાનગરો ઉપરાંત 19 નગરોમાં તારીખ 29મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા. 4 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે. આ નિર્ણયો મુજબ હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડીલીવરી હવે 24 કલાક ચાલુ રાખી શકાશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)