શોધખોળ કરો

Gujarat Election 2022: દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ કાલથી ત્રણ દિવસ ગુજરાતમાં કરશે પ્રચાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કાલથી ત્રણ દિવસ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે

ગાંધીનગરઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કાલથી ત્રણ દિવસ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે. ત્રણ દિવસમાં કેજરીવાલના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ રોડ શો યોજાશે. આવતીકાલે ભાવનગરમાં રોડ શો યોજાશે. તો 27 તારીખે જામનગરમાં રોડ શો થશે.  28 તારીખે અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ શો અને જનસભાને સંબોધશે.

બીજી તરફ ભાજપ સાંસદ મનોજ તિવારીના નિવેદનના કારણે વિવાદ સર્જાયો છે. એબીપી સાથેની વાતચીતમાં મનોજ તિવારીએ દાવો કર્યો હતો કે દિલ્હીની જનતા કેજરીવાલને માર મારી શકે છે. તેમના પગ ભાંગી શકે છે તો આંખ પણ ફોડી શકે છે. જેથી હું ગૃહમંત્રી પાસે કેજરીવાલની સુરક્ષાની માંગ કરું છું. મનોજ તિવારીના આ નિવેદન બાદ મોટો વિવાદ છેડાયો છે.

Gujarat Election 2022: 'કેજરીવાલને મારવાનું કાવતરુ રચી રહી છે બીજેપી, મનીષ સિસોદિયાનો મોટો આરોપ

નવી દિલ્હીઃ દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે 'MCD અને ગુજરાત ચૂંટણીમાં હારના ડરથી બીજેપી સીએમ અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહી છે. સિસોદિયાનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે બીજેપી સાંસદ મનોજ તિવારીએ AAP અને કેજરીવાલ વિશે ટ્વિટ કર્યું હતું. તિવારીએ કહ્યું હતું કે AAP કાર્યકર્તાઓ અને જનતા કેજરીવાલથી નારાજ છે.

મનોજ તિવારીના ટ્વીટ બાદ AAPના વરિષ્ઠ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને આરોપ લગાવ્યો હતો કે ભાજપના દિલ્હીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારી ખુલ્લેઆમ પોતાના ગુંડાઓને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવા માટે કહી રહ્યા છે અને તેમણે આ માટે સંપૂર્ણ પ્લાનિંગ કર્યું છે. આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીએ પણ નિવેદન જાહેર કર્યું છે.

AAPએ કહ્યું હતું કે અમે ધમકીઓની સખત નિંદા કરીએ છીએ. AAPને દિલ્હી અને ગુજરાતથી મળી રહેલા જંગી જનસમર્થનથી ભાજપ ડરી ગયો છે. તે અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપી રહી છે. આ દિલ્હી અને દેશના લોકોનું અપમાન છે. સીએમ અરવિંદ કેજરીવાલને ભાજપની ધમકીથી સ્પષ્ટ છે કે તેમને લોકશાહી પર વિશ્વાસ નથી અને ભાજપ તેમને ધમકી આપવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Embed widget