શોધખોળ કરો

Operation Sindoor: ગુજરાતમાં  આ તારીખ સુધી ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ 

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત સરકારે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે.  15 મે સુધી રાજ્યમાં કોઈપણ સમારોહમાં ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અમદાવાદ : ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત સરકારે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે.  15 મે સુધી રાજ્યમાં કોઈપણ સમારોહમાં ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારત-પાક તણાવ વચ્ચે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરતા લખ્યું કે, આ મહિનાની 15મી તારીખ સુધી કોઈપણ સમારોહ કે કાર્યક્રમમાં ફટાકડા ફોડવાની કે ડ્રોન ઉડાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કૃપા કરીને સહકાર આપો અને માર્ગદર્શિકાનું પાલન કરો. 

ફટાકડા ફોડવાની મનાઈ

ગુજરાત સરકારના આદેશ મુજબ, કોઈપણ પ્રકારના સામૂહિક કાર્યક્રમો, ઉજવણીઓ કે સમારંભોમાં પણ ફટાકડા ફોડવાની મનાઈ કરવામાં આવી છે.  આ સાથે જ  લગ્ન સમારોહમાં કે અન્ય કોઈપણ કાર્યક્રમોમાં ડ્રોન ઉડાવવાની પણ મંજૂરી આપવામાં નહીં આવે. આ નિર્ણય રાજ્યની આંતરિક સલામતી અને શાંતિ જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે.

નારાયણ સરોવર પ્રવાસીઓ માટે બંધ

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને કચ્છ જિલ્લો હાઈ એલર્ટ પર છે.   કચ્છના સરહદી વિસ્તારોના ધાર્મિક સ્થળો પણ બંધ કરવામાં આવ્યા છે.  લખપતનું નારાયણ સરોવર ધાર્મિક સ્થળ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે નારાયણ સરોવર મંદિર બંધ કરવામાં આવ્યું છે.   મંદિર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવતા જતા વાહનો પણ તપાસવામાં આવી રહ્યા છે. 

કચ્છ સરહદ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  પ્રવાસીઓને કોટેશ્વર જવાની મનાઈ કરવામાં આવી છે. લખપત ત્રણ રસ્તા પર ચેકપોસ્ટ ઉભી કરાઈ છે.  લખપત ત્રણ રસ્તાથી પ્રવાસીઓને આગળ જવા દેવામાં નથી આવતા.  નારાયણ સરોવર અને કોટેશ્વર જતા પ્રવાસીઓ માટે પ્રતિબંધ મૂકાયો છે.  પોલીસ દ્વારા સ્થાનિક લોકોનું પણ ચેકીંગ કરાઈ રહ્યું છે.  

નડા બેટ વિસ્તારમાં પર્યટકો પર પ્રતિબંધ

પાકિસ્તાન સરહદે આવેલા નડા બેટની સુરક્ષા વધારવામાં આવી છે. નડા બેટ પર સતર્કતા વધારવામાં આવી છે. નડા બેટ વિસ્તારમાં પર્યટકો પર પ્રતિબંધ મૂકાયો છે. ભારત-પાક તણાવ વચ્ચે કચ્છમાં આવેલા પ્રવાસી સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અનેક જગ્યાએ પ્રવાસીઓના આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા
બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા
અકસ્માત નહીં, મર્ડર! ACP પોતે ફરિયાદી બન્યા, શક્તિસિંહના ભત્રીજા યશરાજસિંહ સામે ગુનો દાખલ
અકસ્માત નહીં, મર્ડર! ACP પોતે ફરિયાદી બન્યા, શક્તિસિંહના ભત્રીજા યશરાજસિંહ સામે ગુનો દાખલ

વિડિઓઝ

Alpesh Thakor : ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર કરશે શક્તિ પ્રદર્શન, ક્ષત્રિય ઠાકોર સેનાનું મહાસંમેલન
Ambalal Patel Forecast : ગુજરાતમાં પડશે હાડ થીજવતી ઠંડી! અંબાલાલ પટેલની મોટી આગાહી
Bagdana Assault Case: નવનીત બાલધીયા પર હુમલાના કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રમ્પે શું ધાર્યું છે ?
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ કર્મી કેમ હાર્યા જીવન ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા
બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા
અકસ્માત નહીં, મર્ડર! ACP પોતે ફરિયાદી બન્યા, શક્તિસિંહના ભત્રીજા યશરાજસિંહ સામે ગુનો દાખલ
અકસ્માત નહીં, મર્ડર! ACP પોતે ફરિયાદી બન્યા, શક્તિસિંહના ભત્રીજા યશરાજસિંહ સામે ગુનો દાખલ
IND vs PAK: 'ઓપરેશન સિંદૂર' બાદ તણાવ! શું હવે ભારત-પાકિસ્તાન મેચ રમાશે? રાજીવ શુક્લાએ કરી મોટી સ્પષ્ટતા
IND vs PAK: 'ઓપરેશન સિંદૂર' બાદ તણાવ! શું હવે ભારત-પાકિસ્તાન મેચ રમાશે? રાજીવ શુક્લાએ કરી મોટી સ્પષ્ટતા
શાહરૂખ ખાનની સૌથી ચર્ચિત ફિલ્મ
શાહરૂખ ખાનની સૌથી ચર્ચિત ફિલ્મ "King" ની રિલીઝ ડેટ જાહેર, ફેન્સમાં ખુશીની લહેર
Gujarat Weather: 27 જાન્યુઆરીથી હવામાન બગડશે! ઠંડી બાદ હવે માવઠાનો માર ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Weather: 27 જાન્યુઆરીથી હવામાન બગડશે! ઠંડી બાદ હવે માવઠાનો માર ? અંબાલાલ પટેલની મોટી આગાહી
સ્ત્રીઓમાં થાઇરોઇડ કેન્સરનું જોખમ ત્રણ ગણું વધારે કેમ? જાણો તેના લક્ષણો, કારણો અને ઈલાજ
સ્ત્રીઓમાં થાઇરોઇડ કેન્સરનું જોખમ ત્રણ ગણું વધારે કેમ? જાણો તેના લક્ષણો, કારણો અને ઈલાજ
Embed widget