શોધખોળ કરો

Operation Sindoor: ગુજરાતમાં  આ તારીખ સુધી ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ 

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત સરકારે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે.  15 મે સુધી રાજ્યમાં કોઈપણ સમારોહમાં ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અમદાવાદ : ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત સરકારે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે.  15 મે સુધી રાજ્યમાં કોઈપણ સમારોહમાં ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારત-પાક તણાવ વચ્ચે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરતા લખ્યું કે, આ મહિનાની 15મી તારીખ સુધી કોઈપણ સમારોહ કે કાર્યક્રમમાં ફટાકડા ફોડવાની કે ડ્રોન ઉડાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કૃપા કરીને સહકાર આપો અને માર્ગદર્શિકાનું પાલન કરો. 

ફટાકડા ફોડવાની મનાઈ

ગુજરાત સરકારના આદેશ મુજબ, કોઈપણ પ્રકારના સામૂહિક કાર્યક્રમો, ઉજવણીઓ કે સમારંભોમાં પણ ફટાકડા ફોડવાની મનાઈ કરવામાં આવી છે.  આ સાથે જ  લગ્ન સમારોહમાં કે અન્ય કોઈપણ કાર્યક્રમોમાં ડ્રોન ઉડાવવાની પણ મંજૂરી આપવામાં નહીં આવે. આ નિર્ણય રાજ્યની આંતરિક સલામતી અને શાંતિ જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે.

નારાયણ સરોવર પ્રવાસીઓ માટે બંધ

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને કચ્છ જિલ્લો હાઈ એલર્ટ પર છે.   કચ્છના સરહદી વિસ્તારોના ધાર્મિક સ્થળો પણ બંધ કરવામાં આવ્યા છે.  લખપતનું નારાયણ સરોવર ધાર્મિક સ્થળ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે નારાયણ સરોવર મંદિર બંધ કરવામાં આવ્યું છે.   મંદિર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવતા જતા વાહનો પણ તપાસવામાં આવી રહ્યા છે. 

કચ્છ સરહદ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  પ્રવાસીઓને કોટેશ્વર જવાની મનાઈ કરવામાં આવી છે. લખપત ત્રણ રસ્તા પર ચેકપોસ્ટ ઉભી કરાઈ છે.  લખપત ત્રણ રસ્તાથી પ્રવાસીઓને આગળ જવા દેવામાં નથી આવતા.  નારાયણ સરોવર અને કોટેશ્વર જતા પ્રવાસીઓ માટે પ્રતિબંધ મૂકાયો છે.  પોલીસ દ્વારા સ્થાનિક લોકોનું પણ ચેકીંગ કરાઈ રહ્યું છે.  

નડા બેટ વિસ્તારમાં પર્યટકો પર પ્રતિબંધ

પાકિસ્તાન સરહદે આવેલા નડા બેટની સુરક્ષા વધારવામાં આવી છે. નડા બેટ પર સતર્કતા વધારવામાં આવી છે. નડા બેટ વિસ્તારમાં પર્યટકો પર પ્રતિબંધ મૂકાયો છે. ભારત-પાક તણાવ વચ્ચે કચ્છમાં આવેલા પ્રવાસી સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અનેક જગ્યાએ પ્રવાસીઓના આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે  આપી મુખાગ્નિ,  બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ, બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Advertisement

વિડિઓઝ

Rajkot News: આધુનિક યુગમાં પણ જીવે છે અંધશ્રદ્ધા , રાજકોટમાં વિહત માતાજીના માંડવામાં બલી ચઢાવાતા ખળભળાટ
Protest agasint Jignesh Mevani: જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ થરાદમાં આક્રોશ, લોકો સડક પર ઉતર્યો
Justice Surya Kant takes oath as CJI : જસ્ટિસ સૂર્યકાંત દેશના 53મા CJI બન્યા, રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યાં
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Gandhinagar News : GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે  આપી મુખાગ્નિ,  બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ, બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Family Tree:  ધર્મેન્દ્રને બે લગ્નથી છે છ બાળકો, જાણો એક્ટરના પરિવારમાં કોણ કોણ છે?
Dharmendra Family Tree: ધર્મેન્દ્રને બે લગ્નથી છે છ બાળકો, જાણો એક્ટરના પરિવારમાં કોણ કોણ છે?
રાજકારણમાં 5 વર્ષ વિતાવ્યાં બાદ  ધર્મેન્દ્રએ  કેમ વ્યક્ત કર્યો હતો અફસોસ
રાજકારણમાં 5 વર્ષ વિતાવ્યાં બાદ ધર્મેન્દ્રએ કેમ વ્યક્ત કર્યો હતો અફસોસ
Dharmendra Net Worth: કેટલી સંપત્તિના માલિક હતા ધર્મેન્દ્ર? , ફાર્મહાઉસમાં પહેલી પત્ની સાથે રહેતા હતા એક્ટર
Dharmendra Net Worth: કેટલી સંપત્તિના માલિક હતા ધર્મેન્દ્ર? , ફાર્મહાઉસમાં પહેલી પત્ની સાથે રહેતા હતા એક્ટર
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
Embed widget