ગુજરાત સરકારે આદિવાસી યુવાઓ માટે ચાલતી આ યોજના કરી દીધી બંધ, 60થી 80 હજારનું થશે નુકસાન
જોકે, આ યોજના વર્તમાન સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે વિદ્યાર્થીઓને નાણાકીય નુકસાન થયું છે.
Talent Pool Voucher Scheme is closed: 2008-09માં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ટેલેન્ટ પુલ યોજના, જેનો હેતુ રાજ્યના શ્રેષ્ઠ આદિવાસી યુવાનોને શોધી કાઢવાનો હતો, તેને વર્તમાન સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે. આ યોજના હેઠળ પસંદ થયેલા વિદ્યાર્થીઓ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. આ યોજના બંધ થવાથી વિદ્યાર્થીઓને 60 હજાર થી 80 હજાર રૂપિયાનું નાણાકીય નુકસાન થયું છે.
રાજ્યના આદિજાતિ વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, 2008-09માં ટેલેન્ટ પુલ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનોનો મુખ્ય હેતુ રાજ્યના શ્રેષ્ઠ આદિવાસી યુવાનોને શોધી કાઢીને તેમને ઉત્તમ શિક્ષણ પૂરું પાડવાનો હતો. આ યોજના હેઠળ, ધોરણ 5માંથી 60% કે તેથી વધુ માર્ક્સ મેળવનારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્ય આદિજાતિ શિક્ષણ સોસાયટી દ્વારા યોજાતી EMIS પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી મેરિટના આધારે પસંદ કરવામાં આવતા હતા.
પસંદ થયેલા વિદ્યાર્થીઓને ટેલેન્ટ પુલ યોજના હેઠળ નીચે મુજબના લાભો મળતા હતા
₹60,000 રોકડ વાઉચર: આ વાઉચરનો ઉપયોગ માન્ય આવાસીય શાળામાં શિક્ષણ ફી ચૂકવવા માટે થઈ શકતો હતો. જો શાળાની ફી વાઉચરની રકમ કરતા ઓછી હોય, તો બાકીની રકમ વિદ્યાર્થીને છાત્રવૃત્તિ તરીકે ચૂકવવામાં આવતી હતી.
વધારાના શૈક્ષણિક લાભો: ટેલેન્ટ પુલ યોજના હેઠળના વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રી, ટ્યુશન, અને અન્ય શૈક્ષણિક સહાય પણ મળતી હતી.
જોકે, આ યોજના વર્તમાન સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે વિદ્યાર્થીઓને નાણાકીય નુકસાન થયું છે.
આ યોજના હેઠળ પસંદ થયેલા વિદ્યાર્થીઓને જવાહર નવોદય વિદ્યાલય, ગુજરાત રાજ્ય આદિજાતિ શિક્ષણ સોસાયટી દ્વારા સંચાલિત એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલ જેવી ઉચ્ચ ગુણવત્તાવાળી શાળાઓમાં પ્રવેશ મેળવવાની તક મળતી હતી. જો કે, ઘણા વિદ્યાર્થીઓ યોજના છોડીને અન્ય શાળાઓમાં પ્રવેશ મેળવતા હતા, જેના કારણે યોજના હેઠળ લાભ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ હતી. આ કારણે અને યોજનાના સંચાલનમાં થતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને, સરકાર દ્વારા આ યોજના બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે 'જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ' અને 'જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ' નામની સમાન પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓના અમલીકરણને કારણે, 'ટેલેન્ટ પુલ સ્કૂલ વાઉચર યોજના' બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી, આગામી શૈક્ષણિક વર્ષથી આદિવાસી વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં.
જોકે, 2008-09માં શરૂ કરાયેલી ટેલેન્ટ પુલ વાઉચર યોજના હેઠળ 2023-24 કે તે પહેલાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને યોજનાના નિયત માપદંડો મુજબ નિયમોનુસાર મળવાપાત્ર લાભો મળશે. ઉપરાંત, યોજના હેઠળ પસંદ કરાયેલી તમામ શ્રેષ્ઠ અને અતિશ્રેષ્ઠ શાળાઓનું દર વર્ષે નિયત સમિતિ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે.