શોધખોળ કરો

Kutch Rain: કચ્છમાં અનારાધાર વરસાદ, ગાંધીધામ અને આદિપુર જળમગ્ન, જાણો શું છે સ્થિતિ

Kutch Rain:મૂશળધાર વરસાદના કારણે પૂર્વ કચ્છનું ગાંધીધામ અને આદિપુર જળમગ્ન બન્યું છે. ખેતરો, હાઇવે બધે જ પાણી જ પાણી દેખાય છે.

Kutch Rain:મૂશળધાર વરસાદના કારણે પૂર્વ કચ્છનું ગાંધીધામ અને આદિપુર જળમગ્ન બન્યું છે. અનારાધાર વરસાદના કારણે ગાંધીધામનું મહારાણા સર્કલ પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.  અનેક રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. માર્ગો પર કમર સુધી પાણી ભરાતા વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. ગાંધીધામ એસટી બસ સ્ટેશન બહાર તો નદી વહેતી હોય તેમ દ્રશ્યો સર્જાયા  છે.

ગાંધીધામ અંજાર હાઈ વે પર પાણી ભરાયા છે. જેના કારણે ટ્રાફિક પણ ખોરવાયો છે. 5 કીલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.  કચ્છમાં અંજારની સાંગ નદીના પટમાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોનું પોલીસે રેસ્ક્યૂ કર્યું છે. જીવના જોખમે પોલીસ કર્મચારીઓએ 30 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું છે. ભારે વરસાદના એલર્ટના પગલે લોકોને નીચાણવાળા વિસ્તારો છોડી સલામત સ્થળે ખસી જવા  સૂચના આપવામાં આવી છે.

કચ્છ જિલ્લામાં  ભારે વરસાદ હવે આફતરૂપ બન્યો છે. ગાંધીધામ રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ઘુંટણસમા પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પણ પરેશાન થઇ રહ્યા છે.પૂર્વ કચ્છમાં ભારે વરસાદથી ડેમોમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. જેના પગલે  વર્ષો બાદ ટપ્પર ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યાં છે. અહીં નદીના પટમાં લોકોને ન જવા સૂચના અપાઇ છે.

અંજારમાં પડેલ ભારે વરસાદના કારણે ખેતીની જમીનને મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. ખેતરો જળમગ્ન થઇ ગયા છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં કમર સુધીના પાણી  ભરાઇ છે.ખેડુતોએ તાજેતરમાં વાવેલા મગફળી, કપાસ નું સંપૂર્ણ રીતે ધોવાણ  થઇ ગયું છે. કચ્છમાં એક તરફ વાવાઝોડાના કારણે ખેડૂતો પરેશાન થાય હતો તો હવે ભારે  વરસાદના કારણે ખેડૂતોના ખેતર ધોવાઈ જતાં મોટું નુકસાન ભોગવાનો વારો આવ્યો છે.

અંજાર પંથકમાં અનારાઘાર વરસાદના કારણે ગળપાદર  નદી બે કાંઠે વહેતી થઇ છે. નદીમાં ઘોડાપુર આવતા કેટલાક લોકો ફસાયા હતા. કાલે રાત્રે કચ્છ કલેકટર અમિત અરોરા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયર ટીમ તથા સ્થાનિક ટીમ દ્વારા રસ્ક્યુ  ઓપરેશન કરવામાં આવ્યું હતું,  જો કે સદભાગ્યે ત્રણેયને સહી સલામત બચાવી લેવામાં સફળતા મળી હતી.  તો બીજી તરફ   અંજારના વરસામેડીમાં ખેડૂત પાણીની વચ્ચે ફસાયો હતો. બીએસએફની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી હતી.              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget