શોધખોળ કરો

Kutch Rain: કચ્છમાં અનારાધાર વરસાદ, ગાંધીધામ અને આદિપુર જળમગ્ન, જાણો શું છે સ્થિતિ

Kutch Rain:મૂશળધાર વરસાદના કારણે પૂર્વ કચ્છનું ગાંધીધામ અને આદિપુર જળમગ્ન બન્યું છે. ખેતરો, હાઇવે બધે જ પાણી જ પાણી દેખાય છે.

Kutch Rain:મૂશળધાર વરસાદના કારણે પૂર્વ કચ્છનું ગાંધીધામ અને આદિપુર જળમગ્ન બન્યું છે. અનારાધાર વરસાદના કારણે ગાંધીધામનું મહારાણા સર્કલ પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.  અનેક રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. માર્ગો પર કમર સુધી પાણી ભરાતા વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. ગાંધીધામ એસટી બસ સ્ટેશન બહાર તો નદી વહેતી હોય તેમ દ્રશ્યો સર્જાયા  છે.

ગાંધીધામ અંજાર હાઈ વે પર પાણી ભરાયા છે. જેના કારણે ટ્રાફિક પણ ખોરવાયો છે. 5 કીલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.  કચ્છમાં અંજારની સાંગ નદીના પટમાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોનું પોલીસે રેસ્ક્યૂ કર્યું છે. જીવના જોખમે પોલીસ કર્મચારીઓએ 30 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું છે. ભારે વરસાદના એલર્ટના પગલે લોકોને નીચાણવાળા વિસ્તારો છોડી સલામત સ્થળે ખસી જવા  સૂચના આપવામાં આવી છે.

કચ્છ જિલ્લામાં  ભારે વરસાદ હવે આફતરૂપ બન્યો છે. ગાંધીધામ રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ઘુંટણસમા પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પણ પરેશાન થઇ રહ્યા છે.પૂર્વ કચ્છમાં ભારે વરસાદથી ડેમોમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. જેના પગલે  વર્ષો બાદ ટપ્પર ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યાં છે. અહીં નદીના પટમાં લોકોને ન જવા સૂચના અપાઇ છે.

અંજારમાં પડેલ ભારે વરસાદના કારણે ખેતીની જમીનને મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. ખેતરો જળમગ્ન થઇ ગયા છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં કમર સુધીના પાણી  ભરાઇ છે.ખેડુતોએ તાજેતરમાં વાવેલા મગફળી, કપાસ નું સંપૂર્ણ રીતે ધોવાણ  થઇ ગયું છે. કચ્છમાં એક તરફ વાવાઝોડાના કારણે ખેડૂતો પરેશાન થાય હતો તો હવે ભારે  વરસાદના કારણે ખેડૂતોના ખેતર ધોવાઈ જતાં મોટું નુકસાન ભોગવાનો વારો આવ્યો છે.

અંજાર પંથકમાં અનારાઘાર વરસાદના કારણે ગળપાદર  નદી બે કાંઠે વહેતી થઇ છે. નદીમાં ઘોડાપુર આવતા કેટલાક લોકો ફસાયા હતા. કાલે રાત્રે કચ્છ કલેકટર અમિત અરોરા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયર ટીમ તથા સ્થાનિક ટીમ દ્વારા રસ્ક્યુ  ઓપરેશન કરવામાં આવ્યું હતું,  જો કે સદભાગ્યે ત્રણેયને સહી સલામત બચાવી લેવામાં સફળતા મળી હતી.  તો બીજી તરફ   અંજારના વરસામેડીમાં ખેડૂત પાણીની વચ્ચે ફસાયો હતો. બીએસએફની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી હતી.              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
Embed widget