શોધખોળ કરો

ઈસુદાન ગઢવીનો ખેડૂત પશુપાલક મહાપંચાયતમા હુંકાર, કહ્યું- 'ખેડૂત અને પશુપાલકો માટે ગોળી ખાવા તૈયાર છીએ'

પશુપાલકોના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ આજે મોડાસામાં કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે ખેડૂત પશુપાલક મહાપંચાયતનું આયોજન કર્યું છે.

સાબર ડેરીમાં પશુપાલકોને મળતા દૂઘના ભાવફેરને લઈ પશુપાલકો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હવે પશુપાલકોના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ આજે મોડાસામાં કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે ખેડૂત પશુપાલક મહાપંચાયતનું આયોજન કર્યું છે. મોડાસાના ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો હાજર છે. આ ખેડૂત અને પશુપાલક પંચાયતમાં ઈસુદાન ગઢવીએ હુંકાર કરતા કહ્યું કે, 'ખેડૂત અને પશુપાલકો માટે ગોળી ખાવા તૈયાર છીએ'.

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું, હું ખેડૂત પુત્ર છું સામાન્ય નાગરિક છું. મારે મુખ્યમંત્રી નથી બનવું. ડેરીમાં ફેટમા ગરબડ કરવામાં આવે છે. ખેડૂતો અને પશુ પાલકનીમહેનત છે પરંતુ મલાઇ ભાજપાના નેતાઓ લઈ જાય છે. 37 વર્ષ પહેલાં ખેડૂત આંદોલન થયું હતું જેમાં 10 ખેડૂતોના મોત થયા હતા.કોંગ્રેસે ગોળીઓ વરસાવી હતી. ત્યારથી કોંગ્રેસ સત્તા પર નથી.

ઈસુદાન ગઠવીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા

વધુમાં ઈસુદાને ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું, ભાજપ ખેડૂતોને લૂંટી રહી છે. ભાજપના કાર્યક્રમમાં ડેરી લાખોના ખર્ચા કરે છે. રાજ્યના 54 લાખ ખેડૂત આપ પાર્ટીની રાહ જોઈ રહ્યા છે. ભાજપનો અહંકાર હવે પૂરો થશે. ખેડૂતો અને પશુપાલકો માટે આપ લડવા માટે તૈયાર છે. હવે આત્માને જગાડવાનો સમય આવી ગયો છે.

રાજયમાં વિસાવદરવાળી કરવા ઈસુદાનનું આહવાન. આપ દ્વારા માંગણીઓ કરવામાં આવી છે કે પશુપાલકો સામેના કેસ પાછા ખેંચવામાં આવે. મૃત્યુ પામનાર પરિવારને એક કરોડની સહાય કરવામાં આવે.

પશુપાલકોની માંગણીઓ અને 'આપ'નો સંદેશ

આ મહાપંચાયતનો મુખ્ય ઉદ્દેશ સાબરડેરી સાથે સંકળાયેલા પશુપાલકોની પડતર માંગણીઓને વાચા આપવાનો અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો છે. AAP ના નેતાઓ સાગરભાઈ રબારી અને રાજુભાઈ કરપડાએ સાબરકાંઠાથી એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. સાગરભાઈ રબારીએ ભારપૂર્વક જણાવ્યું હતું  કે, જ્યાં સુધી પશુપાલકોની 5 મુખ્ય માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ મજબૂતાઈથી લડત ચાલુ રાખશે.

ડેરી સંચાલકો પર ગંભીર આક્ષેપો

આ મુદ્દે રાજુભાઈ કરપડાએ સાબરડેરીના સંચાલકો પર સીધા અને ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું છે કે, "પશુપાલકોના નફાના પૈસા ડેરી સંચાલકોએ ભાજપના 'તાઈફા' (ઉત્સવો કે નિરર્થક ખર્ચાઓ) પાછળ વાપરી નાખ્યા છે." આ આક્ષેપો દ્વારા AAP ડેરીના વહીવટમાં પારદર્શિતા અને જવાબદારીનો અભાવ હોવાનું દર્શાવવા માંગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક,  1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક, 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Embed widget