શોધખોળ કરો

સાગર સમુદાયના જૈનાચાર્ય વિવાદમાં: બે સાધ્વી સાથે અશ્લીલ તસવીરો વાયરલ થતા ખળભળાટ

જૈન અગ્રણીઓએ ઉઠાવ્યા સવાલ, આચાર્યને સંસારમાં પાછા મોકલવાની માગ; સાગરચંદ્ર સાગરે આરોપો ફગાવ્યા.

Sagar Jain priest controversy: સાગર સમુદાયના જૈનાચાર્ય સાગર ચંદ્રસાગર મહારાજ બે જૈન સાધ્વીઓ સાથે કથિત અશ્લીલ કૃત્યો આચરતા હોવાના આક્ષેપોને પગલે જૈન સમુદાયમાં ભારે વિવાદ અને ખળભળાટ મચી ગયો છે. સુરતમાં પણ ઉપાશ્રય ધરાવતા આ જૈનાચાર્યની કથિત અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર જૈન સમાજ સ્તબ્ધ થઈ ગયો છે. દુરાચારના આક્ષેપોથી ઘેરાયેલા આ જૈનાચાર્યને પદભ્રષ્ટ કરીને ફરીથી સંસારમાં મોકલી દેવાની માંગણી સાથે જૈન અગ્રણીઓએ હલચલ તેજ કરી છે.

સોશિયલ મીડિયા પર ફરતા થયેલા કથિત અશ્લીલ વીડિયો કોલના સ્ક્રીનશોટમાં સાગર ચંદ્રસાગર મહારાજ અને બે જૈન સાધ્વીઓની કેટલીક આપત્તિજનક તસવીરો વાયરલ થઈ હતી, જેમાં તેઓ બે સાધ્વીઓ સાથે અશ્લીલ ચેનચાળા કરતા દેખાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, સાગર ચંદ્રસાગર મહારાજે આ વાયરલ તસવીરોને એડિટિંગ કરીને બનાવવામાં આવી હોવાનો દાવો કર્યો છે.

અમદાવાદ અને મુંબઈના જૈન અગ્રણીઓએ એક ખાનગી ફોરેન્સિક લેબના રિપોર્ટ સામે સવાલ ઉઠાવ્યા છે, જેમાં જૈનાચાર્યને ક્લીન ચિટ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ જૈન અગ્રણીઓએ શ્રી સંઘની લાચારી બદલ જૈનાચાર્યને સંસારમાં પાછા મોકલવાની અને કોઈપણ જૈન સંઘના મહારાજને તેમના સંઘમાં ઉતારાની મંજૂરી ન આપવાનો અનુરોધ કર્યો છે, જેના કારણે વિવાદ વધુ વકર્યો છે.

આ ભારે વિવાદ બાદ ખુદ જૈનાચાર્ય સાગરચંદ્ર સાગર મહારાજે ભાવનગરના પાલીતાણાથી એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે અશ્લીલ ફોટા અંગે વાત કરતા જણાવ્યું કે આ ફોટા એડિટિંગ કરીને વાયરલ કરવામાં આવ્યા છે. સાગર ચંદ્ર સાગર મહારાજે આક્ષેપ કર્યો કે જૈન સમાજના આચાર્યોને બદનામ કરવા માટે આ એક મોટું ષડયંત્ર છે. તેમણે એવો પણ દાવો કર્યો કે આ અશ્લીલ ફોટાને લઈને ફોરેન્સિક રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં તેમને ક્લીન ચિટ મળી છે.

આ સાથે તેમણે સમાજમાં ગંદકી ફેલાવવી એ ખૂબ જ ખોટું કામ હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે આવા પુણ્ય આત્માઓએ આવી કોઈ પણ હરકત ન કરવી જોઈએ. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે જો હવે આ પ્રકારની કોઈ પણ હરકત કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Supreme Court: ઉમર ખાલિદ-શરજીલ ઈમામને ઝટકો, લાંબા સમય સુધી જેલમાં રહેવું જામીનનો આધાર નહીં, કોર્ટનો નિર્ણય 
Supreme Court: ઉમર ખાલિદ-શરજીલ ઈમામને ઝટકો, લાંબા સમય સુધી જેલમાં રહેવું જામીનનો આધાર નહીં, કોર્ટનો નિર્ણય 
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Supreme Court: ઉમર ખાલિદ-શરજીલ ઈમામને ઝટકો, લાંબા સમય સુધી જેલમાં રહેવું જામીનનો આધાર નહીં, કોર્ટનો નિર્ણય 
Supreme Court: ઉમર ખાલિદ-શરજીલ ઈમામને ઝટકો, લાંબા સમય સુધી જેલમાં રહેવું જામીનનો આધાર નહીં, કોર્ટનો નિર્ણય 
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
Hero Splendor કે TVS Star City Plus, કઈ બાઈક ખરીદવી રહેશે બેસ્ટ? જાણો તમામ ડિટેલ્સ
Hero Splendor કે TVS Star City Plus, કઈ બાઈક ખરીદવી રહેશે બેસ્ટ? જાણો તમામ ડિટેલ્સ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Embed widget