ગુજરાતના આ મોટા શહેરની ખાનગી શાળાની વિદ્યાર્થીનીને કોરોના થતાં 7 દિવસ માટે શાળા બંધ, સંપર્કમાં આવ્યા 100 વિદ્યાર્થી......
જામનગર શહેરની ખાનગી શાળાની વિદ્યાર્થિનીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં આ વિદ્યાર્થીનીના સંપર્કમાં આવેલા 10 થી વધુ લોકોના કોરોના રિપોર્ટ કરાયા હતા. તમામ વિદ્યાર્થીના કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યા છે.
જામનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવાન ખતરા વચ્ચે જામનગર શહેરની ખાનગી શાળાની વિદ્યાર્થિની કોરોના સંક્રમિત આવતાં ખળભળાટ મચ્યો. જામનગર શહેરની ખાનગી શાળાની વિદ્યાર્થિની કોરોના સંક્રમિત આવતાં આ ખાનગી શાળા શાળા 7 દિવસ માટે બંધ કરી દેવાઈ છે.
જામનગર શહેરની ખાનગી શાળાની વિદ્યાર્થિનીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં આ વિદ્યાર્થીનીના સંપર્કમાં આવેલા 10 થી વધુ લોકોના કોરોના રિપોર્ટ કરાયા હતા. સદનસીબે તમામ વિદ્યાર્થીના કોરોના રીપોર્ટ નેગેટિવ આવતાં સૌએ રાહતના શ્વાસ લીધા છે.
સત્તાવાર રીતે મળતી માહિતી પ્રમાણે, જામનગર શહેરની ઢીંચડા રોડ વિસ્તારમાં આવેલી ખાનગી કંપની સંચાલિત એક શાળામાં અભ્યાસ કરતી ધોરણ 6 ની એક વિદ્યાર્થીની કોરોનાગ્રસ્ત બની હતી. તેના પગલે શાળા બંધ કરવી પડી છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 56 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 32 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,487 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 87,796 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વડોદરા કોર્પોરેશન 13, અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 8,જામનગર કોર્પોરેશનમાં 4, કચ્છ 4, વલસાડ 3, અમરેલી 2, નવસારી 2, આણંદ 1, ભાવનગર કોર્પોરેશન 1, ડાંગ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, ખેડા 1, મહેસાણા 1, નર્મદા 1, રાજકોટ 1, સુરેન્દ્રનગર 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 548 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 542 નાગરિકો સ્ટેબલ છે. 8,17,487 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10098 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, મહીસાગર, મોરબી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા , સુરત અને તાપીમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.