Girnar Parikrama 2025: ગિરનારની લીલી પરિક્રમા આ દિવસથી થશે શરૂ, તંત્ર દ્વારા તૈયારીઓ પુરજોશમાં શરૂ
Girnar Parikrama 2025: ગિરનારની પરિક્રમા કરનારાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે આગામી બે થી પાંચ નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન કરાશે

Girnar Parikrama 2025: ગુજરાતના જૂનાગઢ ખાતે આવેલા પવિત્ર ગિરનાર પર્વતની આસપાસ યોજાતી ગિરનાર પરિક્રમા અથવા ગિરનાર લીલી પરિક્રમાની તૈયારીઓની લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ભક્તોને ગિરનારની પરિક્રમા કરવા પહોંચશે. જેને લઇને તંત્ર દ્વારા પુરતી તૈયારીઓ સઘન સુરક્ષા વ્યવસ્થાઓ કરી છે.
ગિરનારની પરિક્રમા કરનારાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે આગામી બે થી પાંચ નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન કરાશે, નવા વર્ષમાં કારતક સુદ અગિયારસના રાત્રીના બાર વાગ્યાથી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થશે. તંત્ર દ્વારા ગિરનારની પરિક્રમામાં પહોંચવા માટે વધારાની એસટી વધારાઇ છે, એટલું જ નહીં એસટી અને રિક્ષા ભાડા પર નિયંત્રણ પણ જરૂરી છે. ગિરનારની પરિક્રમામાં જરૂર મુજબના સ્થળે વીજ પુરવઠાની વ્યવસ્થાનું પ્રશાસને આયોજન શરૂ કર્યું છે. બે નવેમ્બર પહેલા પરિક્રમા માટે ન પહોંચવા શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે.
ગિરનાર પરિક્રમા 2025 તારીખ
ગિરનાર પરિક્રમાનો પ્રારંભ 2 નવેમ્બર, 2025 (કાર્તિક શુક્લ એકાદશી) ના રોજ થશે અને તે 5 નવેમ્બર, 2025 (કારતક પૂર્ણિમા) ના રોજ સમાપ્ત થશે. દર વર્ષે દેવ દિવાળીના પવિત્ર અવસરે આ પાંચ દિવસીય યાત્રાનું આયોજન થાય છે. આ સમયગાળા દરમિયાન ગીર જંગલ વિસ્તારનો આ માર્ગ માત્ર 5 થી 10 દિવસ માટે જ ખુલ્લો મૂકવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે.
ગિરનારની લીલી પરિક્રમા, જાણો શું છે પરિક્રમાની કૃષ્ણ સાથે જોડાયેલી ગાથા
દામોદર કુંડમાં સ્નાન સાથે શરૂ થાય છે પરિક્રમા
ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે. જેમાં ભાવિકો એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે.
ભક્તો કુલ 36 કિલોમીટરનું અંતર કાપીને ગ્રીન સર્કલ પૂર્ણ કરે છે
ગિરનારની તળેટીમાં લીલું ચક્ર પૂર્ણ કરવા માટે લાખો યાત્રાળુઓ ગિરનાર પર્વતની આસપાસ કુલ 36 કિલોમીટરનું અંતર ચાલે છે. પરિક્રમા માર્ગ પર વિવિધ ઉત્તરા મંડળો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યારે કેટલાક ભક્તો ઘરેથી કાચો માલ લાવે છે અને જંગલમાં જ રસોઇ કરીને વન ભોજન કર્યાનો આનંદ પણ માણે છે.
36 કિમીની પરિક્રમમાં પ્રથમ પડવા 12 કિમીએ આવે છે. બીજો પડવા આઠ કિમીએ, ત્રીજો પડવા આઠ કિમીએ અને ચોથી પડવા આઠ કિમીએ ભાવનાથમાં આવે છે. તેમજ પરિક્રમાનાં પ્રારંભથી જુદી જુદી જગ્યાએ પાણીની વ્યવસાથ ઉભી કરવામાં આવે છે. જેમા કાળકાનો વડલો, જીણાબાવાની મઢી, માળવેલાની ઘોડી, માળવેલાની જગ્યા, સુરજકુંડલની જગ્યા, સુરનાળા, નાગદેવતાના સ્થાનક પાસે, બોરદેવી ત્રણ રસ્તા અને બોરદેવીની જગ્યાએ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.
લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ
કહેવાય છે કે ગીરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. જેથી આ ગીરનારની પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિષ મળવ્યાંનો અનુભવ કરે છે. કહેવાય છે લીલી પરિક્રમા સદીઓથી ચાલતી પરંપરા છે. ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત 33 કોટી દેવતાઓના વાસ અને હિમાલયના દાદા ગણાતા ગિરનારની પરિક્રમા કરી હતી. જે કોઈ આ પરીક્રમા કરે છે એ સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે તેવી લોકવાયકા છે.





















