શોધખોળ કરો

Kejriwal Gujarat Visit : કેજરીવાલ પહોંચ્યા ભૂજ, ટાઉનહોલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો સાથે કરશે ચર્ચા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ ભુજ પહોંચ્યા છે. ભુજના એરપોર્ટ રોડ ઉપર આવેલ સેવન સ્કાય હોટેલ પહોંચ્યા છે. ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત આપના કાર્યકરો  દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

કચ્છઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ ભુજ પહોંચ્યા છે. ભુજના એરપોર્ટ રોડ ઉપર આવેલ સેવન સ્કાય હોટેલ પહોંચ્યા છે. ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત આપના કાર્યકરો  દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સેવન સ્કાય હોટેલના કોન્ફરન્સ હૉલમાં શાળા-કૉલેજના છાત્રો, શિક્ષકો અને અધ્યાપકો,શિક્ષણવિદ્દો તેમજ છાત્ર સંગઠનો સાથે શિક્ષણને લગતાં પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરશે.

તેઓ ભુજ ખાતે ટાઉનહોલ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જ્યાં વિધાનસભાની ચૂંટણીને લઈને વધુ એક મોટી જાહેરાત કરશે. આ અંગે ગુજરાત આપના ટ્વીટર હેન્ડલ પર માહિતી આપવામાં આવી છે. 

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે બપોરે ભુજની મુલાકાતે આવવાના છે. ભુજમાં તેઓ એરપોર્ટ રોડ પ૨ આવેલી સેવન સ્કાય હોટેલના કોન્ફરન્સ હૉલમાં શાળા-કૉલેજના છાત્રો, શિક્ષકો અને અધ્યાપકો,શિક્ષણવિદ્દો તેમજ છાત્ર સંગઠનો સાથે શિક્ષણને લગતાં પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરશે. ત્યાર બાદ જો આપની સરકાર ગુજરાતમાં સત્તા પર આવે તો શિક્ષણ ક્ષેત્રે કયા કયા પ્રકારની સુવિધા અને રાહતોની ગેરન્ટી આપશે તે અંગે મહત્વપૂર્ણ જાહેરાત ક૨શે. છાત્રો સાથે સંવાદ બાદ કેજરીવાલ મીડિયા સાથે વાર્તાલાપ કરશે.

ગુજરાત સરકારની પોલીસકર્મીઓ માટેની 550 કરોડના ભંડોળની જાહેરાત કરી છે. હવે સરકારની આ જાહેરાત પર રાજકીય પાર્ટીઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. કોંગ્રેસ તરફથી ધારાસભ્ય શૈલેષ પરમારે પત્રકાર પરિષદ કરી સરકાર પર પ્રહારો કર્યા. શૈલેષ પરમારે ગુજરાત સરકારની આ જાહેરાતને હાસ્યાસ્પદ અને પોલીસકર્મીઓની મજાક ગણાવી છે,તો હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ પણ પ્રતિક્રિયા આપતા સરકાર પર પ્રહારો કર્યા છે. 

ભાજપે ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે : ગોપાલ ઈટાલીયા 
આપ નેતા ગોપાલ ઈટાલીયાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે. પોલીસે ગ્રેડ પે મામલે અવાજ ઉઠાવ્યો અને સરકારે પોલીસ નો અવાજ દબાવી દીધો. કેજરીવાલે પોલીસની તરફેણમાં બહેધરી આપતા પોલીસો જવાનોએ આ વાત વધાવી લીધી હતી. કેજરીવાલના નિવેદનથી જે પોલીસને સાંભળતા ન હતા તેમને સાંભળ્યા છે. કેજરીવાલ ના નિવેદન પછી 550 કરોડ વધાર્યા છે, ન મામો કરતા કાણો મામો સારો એમ કર્યું છે. 

ગ્રેડ પે અરવિંદ કેજરીવાલ આપશે : ગોપાલ ઈટાલીયા 
ગુજરાત સરકારની આ જાહેરાત અંગે ગોપાલ ઈટાલીયાએ કેટલાક પ્રશ્નો સરકારને પૂછયા છે. તેમણે કહ્યું કે પોલીસ કર્મીઓ સામે ફરિયાદ કરાઈ, બદલી કરાઈ એનું શું? હવે શું કરશે સરકાર એનો જવાબ આપે. 

પોલીસ 15 થી 20 કલાક કામ કરે એનું શું કર્યું?પોલીસ જોખમમાં કામ કરે, બુટલેગર હુમલાનો ભોગ બને એનું શું? અલગ અલગ એલાઉન્સ નું શુ? ભાજપે ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે.

આ સાથે ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે પોલીસ સાથે ભેદભાવ કરવામાં આવે  છે, અત્યારે જે આપ્યું એ લઈ લઈએ, ગ્રેડ પે અરવિંદ કેજરીવાલ આપશે. 

સરકારની જાહેરાત પર શું કહ્યું કોંગ્રેસે ? 
ગુજરાત સરકારે રાજ્યના પોલીસકર્મીઓ માટે વાર્ષિક 550 કરોડના ભંડોળની જાહેરાત કરી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશ્નરની કચેરીએ આયોજિત એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી.  જો કે ગ્રેડ-પે વધારાની પોલીસકર્મીઓની માંગ સામે આ ભંડોળની ફાળવણી કરવામાં આવી છે, જેને લઈને ગુજરાત કોંગ્રેસે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.  

પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે પત્રકાર પરિષદ યોજી કહ્યું હતું કે રાજ્યની રક્ષા કરતા પોલીસકર્મીઓને સરકારે  રેવડીની ભેંટ આપી છે. તેમણે કહ્યું કે ગ્રેડ-પેની માંગણી હતી ત્યાં સરકારે હાસ્યાસ્પદ જાહેરાત કરી છે અને સરકાર ફરી ગઈ છે. 

વધુમાં તેમણે કહ્યું કે પગાર વધારો ભંડોળ સ્વરુપે ન હોય, સરકારે  પોલીસની મજાક કરી છે. સરકારે પોલીસકર્મીઓના પગારમાં એક મહિને 4895 રૂપિયાનો વધારો કર્યો છે. તેમણે કહ્યું કે રાજય સરકારને પોલીસકર્મીઓ તરફથી અને કોંગ્રેસ તરફથી પૂછી રહ્યો છું કે પોલીસકર્મીઓની મજાક કેમ કરી? 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ
Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ
Team India Selection: એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કે જયસ્વાલ, કોને મળશે તક?
Team India Selection: એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કે જયસ્વાલ, કોને મળશે તક?
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
Advertisement

વિડિઓઝ

Gujarat IPS Transfer : ગુજરાતમાં એક સાથે 105 IPSની બદલી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે સમજાયો ખાતરનો ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : છૂપા કેમેરાથી સાવધાન!
Hun To Bolish : હવે રાઈડ દુર્ઘટનાની તપાસને લઈ પ્રશાસન અને પોલીસ દોડતા થયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ
Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ
Team India Selection: એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કે જયસ્વાલ, કોને મળશે તક?
Team India Selection: એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કે જયસ્વાલ, કોને મળશે તક?
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
Russia Ukraine War: …તો રશિયા અને યુક્રેન યુદ્ધ અટકાશે નહીં, જાણો ટ્રમ્પ-ઝેલેન્સ્કી મુલાકાતની પાંચ મોટી વાતો
Russia Ukraine War: …તો રશિયા અને યુક્રેન યુદ્ધ અટકાશે નહીં, જાણો ટ્રમ્પ-ઝેલેન્સ્કી મુલાકાતની પાંચ મોટી વાતો
સરકારે જાહેર કર્યું PMVBRY પોર્ટલ, 3.5 કરોડ રોજગાર માટે ખર્ચ થશે 99,446 કરોડ રૂપિયા
સરકારે જાહેર કર્યું PMVBRY પોર્ટલ, 3.5 કરોડ રોજગાર માટે ખર્ચ થશે 99,446 કરોડ રૂપિયા
ગુજરાતમાં 105 IPS અધિકારીઓની મોટાપાયે બદલી: ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવાયો નિર્ણય
ગુજરાતમાં 105 IPS અધિકારીઓની મોટાપાયે બદલી: ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવાયો નિર્ણય
4 વરસાદી સિસ્ટમ એક સાથે ગુજરાતમાં મચાવશે તબાહી: અંબાલાલ પટેલ-પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહી
4 વરસાદી સિસ્ટમ એક સાથે ગુજરાતમાં મચાવશે તબાહી: અંબાલાલ પટેલ-પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહી
Embed widget