![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કચ્છના યુવકનું હરિદ્વાર ખાતે ગંગા નદીમાં ડૂબી જતા મત, પરિવાર શોકમાં ગરકાવ
કચ્છથી હરિદ્વાર પહોંચેલા પરિવાર સાથે એક કરૂણ ઘટના બની છે. નખત્રાણા તાલુકાના લાખિયારવિરાના 19 વર્ષિય યુવકનું હરિદ્વાર ખાતે ગંગા નદીમાં ડૂબી જવાથી મોત થતા ગામમાં ગમગની છવાઇ.
![કચ્છના યુવકનું હરિદ્વાર ખાતે ગંગા નદીમાં ડૂબી જતા મત, પરિવાર શોકમાં ગરકાવ Kutch youngster drown in Ganga river at Haridwar કચ્છના યુવકનું હરિદ્વાર ખાતે ગંગા નદીમાં ડૂબી જતા મત, પરિવાર શોકમાં ગરકાવ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/06/7fa1031df49aad4c3920c740db012903_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કચ્છઃ કચ્છથી હરિદ્વાર પહોંચેલા પરિવાર સાથે એક કરૂણ ઘટના બની છે. નખત્રાણા તાલુકાના લાખિયારવિરાના 19 વર્ષિય યુવકનું હરિદ્વાર ખાતે ગંગા નદીમાં ડૂબી જવાથી મોત થતા ગામમાં ગમગની છવાઇ. શનિવારે હરિદ્વારમાં ડૂબી ગયા બાદ યુવકની લાશ વ્યાપક શોધખોળના અંતે રવિવારે મળી હતી. સોમવારે તેના વતન ખાતે અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ, શનિવારે કલ્પેશ નરશી ડુંગરાણી (ઉ.વ. 19) હરિદ્વારના સપ્તર્ષિ ગંગા ઘાટ પર સ્નાન કરવા પહોંચ્યો હતો. પરિવારજનો સહિત અન્ય યાત્રિકોના સંઘ સાથે હરિદ્વાર આવ્યો હતો. દરમિયાન કલ્પેશ ગંગાના જોરદાર પ્રવાહમાં વહી ગયો હતો. ગંગામાં ડૂબી કલ્પેશની શોધખોળ ચાલુ કરાઇ હતી. રવિવારે બપોર બાદ યુવકનો મૃતદેહ મળ્યો હતો. મૃતક કલ્પેશ ત્રણ બહેનોનો એકનોએક ભાઇ હતો. આ ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છે.
Surat : સ્તનપાન કર્યા પછી પાંચ માસની બાળકી મોતને ભેટી, પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી સાચું કારણ આવશે સામે
સુરત : શહેરના પાલનપુરમાં સ્તનપાન કર્યા બાદ પાંચ માસની માસૂમ બાળકીનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં શંકરનગર ખાતે રહેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બાળકીને માતાએ સ્તનપાન કરાવ્યા બાદ મોતને ભેટી છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા રાકેશ દાસ ફૂટની લારી ચલાવી પત્ની કિરણદેવી અને બે પુત્ર તથા ત્રણ પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે.
દરમિયાન રાકેશની ત્રણ પુત્રી પૈકી પાંચ માસની શિવાનીને સોમવારે રાતે સ્તનપાન કરાવ્યું હતું. પાંચ માસની શિવાની સવારે નહીં જાગતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે શિવાનીને મૃત જાહેર કરી હતી. બાળકીના મોત અંગનું સચોટ કારણ જાણવા માટે રાંદેર પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જેના રિપોર્ટ બાદ કારણ જાણવા મળશે. વધુ તપાસ રાંદેર પોલીસ કરી રહી છે.
Vadodara : એન્જિનીયર કોમલના અંગદાનથી પાંચ લોકોને મળશે નવજીવન
વડોદરાઃ વડોદરાની ઇજનેર યુવતી કોમલ પટેલના અંગદાન થકી પાંચ લોકોને નવજીવન મળશે. કેદારનાથની યાત્રાથી પરત ફર્યા બાદ એકાએક માથામાં ગંભીર દુખાવો શરૂ થયા બાદ બ્રેઈનડેડ થઈ હતી. માથાના વાળનું દાન કરીને કેન્સરના દર્દીઓને પણ આશાનું કિરણ આપ્યું.
હ્રદય મુંબઈ, લીવર અને કિડની અમદાવાદ ખાતે અન્ય જરૂરતમંદ દર્દીઓ માટે લઈ જવામાં આવશે. કોમલ પટેલ પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં દાખલ હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)