શોધખોળ કરો

Accident: નવસારીના બીલીમોરામાં મેળામાં રાઈટ તૂટી જતા મોટી દુર્ઘટના, પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા

Accident: નવસારીના બીલીમોરામાં સોમનાથ મહાદેવના મેળામાં રાઇટ તૂટી પડતાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જાણીએ વધુ વિગત

Accident: નવસારીના બીલીમોરામાં સોમનાથ મહાદેવના મેળામાં ટોરે ટોરા રાઈડ તૂટી જતાં  નીચે પટકાતા દુર્ઘટના સર્જાઇ હતી, આ દુર્ઘટનામાં 5 લોકોને ઇજા પહોંચ્યાના અહેવાલ છે. દુર્ઘટનામાં 2 બાળકો, મહિલા અને રાઇડ ઓપરેટરને ઇજા પહોંચી છે. રાઇડ તૂટી જતાં દુર્ઘટનાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યાં છે. સૌથી મોટો સવાલ છે કે, ચેક કર્યા વિના જ રાઇડને લાયસન્સ આપ્યું હતું. રાઇડનું ફિટનેસ સર્ટીફિક્ટ છે કે, નહિ.  શું SOPનું થયું હતુ પાલન કે નહિ?સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઇના મોતના સમાચાર નથી. જો કોઇનું મૃત્યુ થયું હોત તો કોણ જવાબદાર? આ સમગ્ર દુર્ઘટનાને લઇને અનેક સવાલ ઉઠી રહ્યાં છે.

હાલ શ્રાવણ માસમાં રાજ્યમાં સાતમ આઠમના પર્વ પર અનેક સ્થળો મેળાનું આયોજન કરવામાં આવે છે.  નવસારીના બીલીમોરામાં સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે સાતમ આઠમનો મેળો યોજાય છે. આ  મેળાનું નામ સોમનાથ મેળો છે, દર વર્ષે આસપાસના ગામમાંથી લાખોની સંખ્યામાં  લોકો મેળામાં આવે છે.  મેળામાં લોકો ખાણી પીણી અને અલગ અલગ પ્રકારની રાઇડની મજા માણતા હોય છે. જો કે રાઇડ તૂટી પડતાં મેળાની રંગમાં ભંગ પડ્યો હતો અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો મેળો છોડીને ભાગવા લાગ્યાં હતા.  દુર્ઘટનાના પગલે  તાબડતોબ પોલીસની ટીમ દોડતી થઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઇજાગ્રસ્તમાં રાઇડ ઓપરેટર પણ સામેલ છે. રાઇડમાં શું ખામી હતી અને કેવી રીતે તૂટી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રાઇડને હાલ બંધ કરી દેવાઇ છે. રાઇડની કેવી રીતે અને કેમ તૂટી પડી તેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, કોર્પોરેશન ચેક કર્યા વિના જ ઘણી વખત રાઇડને મંજૂરી આપી દે છે. જેથી રાઇડની  ફિટનેસના માપદંડમાં કરવામાં આવતી બાંધછોડ નિર્દોષ લોકોના જીવને આ રીતે જોખમમાં મૂકે છે. મેળામાં રાઇડ તૂટવાની અનેક વખત ઘટના બની ચૂકી છે પરંતુ આપણે ક્યારે કોઇ ભૂલમાંથી શીખ નથી લેતા, જેથી નિર્દોષ લોકના જીવ જોખમમાં મૂકાતા રહે છે. નવસારી રાઇડ તૂટવાની ઘટના એનું વધુ એક ઉદાહરણ છે.                    

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Embed widget