Mehsana: વિજાપુરના સુંદરપુર ગામમાં મોટી દુર્ધટના, દીવાલ પડતા 3 શ્રમિકોના મોત
મહેસાણા જિલ્લાના વિજાપુરના સુંદરપુર ગામમાં મોટી દુર્ધટના બની છે. અહીં એક દીવાલ પડતા 3 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મહેસાણા: મહેસાણા જિલ્લાના વિજાપુરના સુંદરપુર ગામમાં મોટી દુર્ધટના બની છે. અહીં એક દીવાલ પડતા 3 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને વિજાપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
સુંદરપુર ગામના મહાદેવવાળા વાસ વિસ્તારમાં એક મકાન બનતું હતું. મકાનની એક દીવાલ પડતા 6 શ્રમિકો દટાયા હતા. તમામ 6 શ્રમિકોને બહાર કાઢતા 3ને મૃત જાહેર કરાયા છે. જ્યારે ઘાયલ થયેલા 3 શ્રમિકોને વિજાપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
કુલ 3 લોકોના મોત થયા છે
બપોર 12.10 મિનિટ સુંદરપુર ગામે જુના મકાન ની દીવાલ ધરાશાયી થવાની ધટના બની હતી. જેમા ધટના સ્થળ પર બે લોકો તેમજ સારવાર દરમિયાન એક એમ કુલ ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં બાબુભાઈ ભુરીયા ઉંમર વર્ષ 45, રણજીત ઠાકોર ઉંમર વર્ષ 40 અને જીતેન્દ્ર ચોહાણ ઉંમર વર્ષ 25 છે. આ ધટનામાં ત્રણ લોકો મોત જ્યારે છે જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે જેમા એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.





















