શોધખોળ કરો

વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા

વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં 5 શ્રમિકને ઇજા પહોંચી છે. જાણીએ વધુ વિગત

Valsad News: વલસાડમાં નિર્માણધીન બ્રિજનું સ્ટ્રકચર તૂટી પડતાં પાંચ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે. બાદ શ્રમિકનું રેસ્ક્યુ કરાયું હતું અને શ્રમિકોને ગંભીર ઇજા પહોંચતા તાબડતોબ હોસ્પિટલ ખસેડાયા છે. બે પિલર વચ્ચે ટેકો ખસી જતા ધડાકાભેર સમગ્ર સ્ટ્રકચર તૂટી ગયુ હતું. ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી ચાલું છે.

ઉલ્લેખનિય છે કે, વલસાડ શહેરના કૈલાશ રોડ ઔરંગા નદી પરના પુલના નવ નિર્માણની કામગીરી હાલ ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યું હોવાથી આ દુર્ઘટના સર્જાઇ હતી ધટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 5 ઇજાગ્રસ્ત શ્રમિકોને હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવાયા છે. આ ઘટના આજે નવ-સવા નવ વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી મુજબ ઓવરબ્રિજ માટે ગડર મૂકવામાં આવ્યો હતો. જેના લેવલિંગના કામ દરમિયાન સ્ટ્રકચરનો એક ભાગ સ્લીપ થઇ ગયો હતો અને સમગ્ર સ્ટ્કચર તૂટી ગયું હતું અને તેમાં 5 શ્રમિકને ઇજા પહોંચી છે. હાલ ઘટના અંગે જાણવાજોગ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે, જે બાદ આ દુર્ઘટના કેમ ઘટી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યારે કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. જેના કારણે ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે. જેના પગલે આ વિસ્તારનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે,

સમગ્ર દુર્ઘટનાને લઇને કોન્ટ્રાક્ટર સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે. તપાસકર્તા પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, જો કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે.

abp અસ્મિતાના સવાલ

કેમ રાજ્યમાં વારંવાર બની રહી છે બ્રિજ દુર્ઘટનાઓ?

ગંભીરા બ્રિજ દુર્ઘટના પરથી કેમ ન લેવાયો બોધપાઠ?

જો વલસાડ બ્રિજ દુર્ઘટનામાં કોઈનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ?

ભૂતકાળમાં લોકોએ જીવ ગુમાવ્યા તેમ છતાં પ્રશાસન કેમ આટલું અસંવેદનશીલ?

કેમ દરેક વખતે દુર્ઘટનાઓ બાદ તપાસ તપાસના થાય છે નાટક?

જિલ્લા કલેકટર જવાબ આપે કોન્ટ્રાકટર વિરૂદ્ધ થશે કાર્યવાહી?

કોન્ટ્રાકટર સેફ્ટીની વાતો કરે છે તો કેમ બની દુર્ઘટના?

કોન્ટ્રાકટર એજન્સી કેમ પ્રશાસનના આંખમાં ધૂળ નાંખવાનો કરે છે પ્રયાસ?

શું કોન્ટ્રાકટ એજન્સી અને તેના જવાબદારો સામે થશે કાર્યવાહી?

શું ગરીબ અને શ્રમિકોના જીવની નથી રહી કોઈ કિંમત?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
Flood: ચીખલી અને કાશીવાડીમાં પૂરના પાણી ઘૂસતાં રેસ્ક્યૂ કામગીરી શરૂ, 350થી વધુ શ્રમિક પરિવારની ઘરવખરી તારાજ
Flood: ચીખલી અને કાશીવાડીમાં પૂરના પાણી ઘૂસતાં રેસ્ક્યૂ કામગીરી શરૂ, 350થી વધુ શ્રમિક પરિવારની ઘરવખરી તારાજ
Navsari Flood: પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓનું રૌદ્ર રૂપ, વાંસદામાં બાઇક સાથે પૂરના પાણીમાં બે યુવકો તણાયા
Navsari Flood: પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓનું રૌદ્ર રૂપ, વાંસદામાં બાઇક સાથે પૂરના પાણીમાં બે યુવકો તણાયા
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
Ahmedabad Rain: અમદાવાદમાં આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદમાં આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને લઈ આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર 
Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને લઈ આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર 
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Embed widget