શોધખોળ કરો

વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા

વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં 5 શ્રમિકને ઇજા પહોંચી છે. જાણીએ વધુ વિગત

Valsad News: વલસાડમાં નિર્માણધીન બ્રિજનું સ્ટ્રકચર તૂટી પડતાં પાંચ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે. બાદ શ્રમિકનું રેસ્ક્યુ કરાયું હતું અને શ્રમિકોને ગંભીર ઇજા પહોંચતા તાબડતોબ હોસ્પિટલ ખસેડાયા છે. બે પિલર વચ્ચે ટેકો ખસી જતા ધડાકાભેર સમગ્ર સ્ટ્રકચર તૂટી ગયુ હતું. ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી ચાલું છે.

ઉલ્લેખનિય છે કે, વલસાડ શહેરના કૈલાશ રોડ ઔરંગા નદી પરના પુલના નવ નિર્માણની કામગીરી હાલ ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યું હોવાથી આ દુર્ઘટના સર્જાઇ હતી ધટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 5 ઇજાગ્રસ્ત શ્રમિકોને હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવાયા છે. આ ઘટના આજે નવ-સવા નવ વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી મુજબ ઓવરબ્રિજ માટે ગડર મૂકવામાં આવ્યો હતો. જેના લેવલિંગના કામ દરમિયાન સ્ટ્રકચરનો એક ભાગ સ્લીપ થઇ ગયો હતો અને સમગ્ર સ્ટ્કચર તૂટી ગયું હતું અને તેમાં 5 શ્રમિકને ઇજા પહોંચી છે. હાલ ઘટના અંગે જાણવાજોગ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે, જે બાદ આ દુર્ઘટના કેમ ઘટી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યારે કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. જેના કારણે ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે. જેના પગલે આ વિસ્તારનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે,

સમગ્ર દુર્ઘટનાને લઇને કોન્ટ્રાક્ટર સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે. તપાસકર્તા પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, જો કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે.

abp અસ્મિતાના સવાલ

કેમ રાજ્યમાં વારંવાર બની રહી છે બ્રિજ દુર્ઘટનાઓ?

ગંભીરા બ્રિજ દુર્ઘટના પરથી કેમ ન લેવાયો બોધપાઠ?

જો વલસાડ બ્રિજ દુર્ઘટનામાં કોઈનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ?

ભૂતકાળમાં લોકોએ જીવ ગુમાવ્યા તેમ છતાં પ્રશાસન કેમ આટલું અસંવેદનશીલ?

કેમ દરેક વખતે દુર્ઘટનાઓ બાદ તપાસ તપાસના થાય છે નાટક?

જિલ્લા કલેકટર જવાબ આપે કોન્ટ્રાકટર વિરૂદ્ધ થશે કાર્યવાહી?

કોન્ટ્રાકટર સેફ્ટીની વાતો કરે છે તો કેમ બની દુર્ઘટના?

કોન્ટ્રાકટર એજન્સી કેમ પ્રશાસનના આંખમાં ધૂળ નાંખવાનો કરે છે પ્રયાસ?

શું કોન્ટ્રાકટ એજન્સી અને તેના જવાબદારો સામે થશે કાર્યવાહી?

શું ગરીબ અને શ્રમિકોના જીવની નથી રહી કોઈ કિંમત?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી

વિડિઓઝ

Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
હવે Chat લીક થવાનો ડર ખતમ? WhatsApp ટેક્સ્ટ મેસેજ માટે લાવી શકે છે 'View Once' ફીચર
હવે Chat લીક થવાનો ડર ખતમ? WhatsApp ટેક્સ્ટ મેસેજ માટે લાવી શકે છે 'View Once' ફીચર
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Embed widget