શોધખોળ કરો

વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા

વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં 5 શ્રમિકને ઇજા પહોંચી છે. જાણીએ વધુ વિગત

Valsad News: વલસાડમાં નિર્માણધીન બ્રિજનું સ્ટ્રકચર તૂટી પડતાં પાંચ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે. બાદ શ્રમિકનું રેસ્ક્યુ કરાયું હતું અને શ્રમિકોને ગંભીર ઇજા પહોંચતા તાબડતોબ હોસ્પિટલ ખસેડાયા છે. બે પિલર વચ્ચે ટેકો ખસી જતા ધડાકાભેર સમગ્ર સ્ટ્રકચર તૂટી ગયુ હતું. ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી ચાલું છે.

ઉલ્લેખનિય છે કે, વલસાડ શહેરના કૈલાશ રોડ ઔરંગા નદી પરના પુલના નવ નિર્માણની કામગીરી હાલ ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યું હોવાથી આ દુર્ઘટના સર્જાઇ હતી ધટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 5 ઇજાગ્રસ્ત શ્રમિકોને હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવાયા છે. આ ઘટના આજે નવ-સવા નવ વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી મુજબ ઓવરબ્રિજ માટે ગડર મૂકવામાં આવ્યો હતો. જેના લેવલિંગના કામ દરમિયાન સ્ટ્રકચરનો એક ભાગ સ્લીપ થઇ ગયો હતો અને સમગ્ર સ્ટ્કચર તૂટી ગયું હતું અને તેમાં 5 શ્રમિકને ઇજા પહોંચી છે. હાલ ઘટના અંગે જાણવાજોગ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે, જે બાદ આ દુર્ઘટના કેમ ઘટી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યારે કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. જેના કારણે ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે. જેના પગલે આ વિસ્તારનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે,

સમગ્ર દુર્ઘટનાને લઇને કોન્ટ્રાક્ટર સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે. તપાસકર્તા પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, જો કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે.

abp અસ્મિતાના સવાલ

કેમ રાજ્યમાં વારંવાર બની રહી છે બ્રિજ દુર્ઘટનાઓ?

ગંભીરા બ્રિજ દુર્ઘટના પરથી કેમ ન લેવાયો બોધપાઠ?

જો વલસાડ બ્રિજ દુર્ઘટનામાં કોઈનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ?

ભૂતકાળમાં લોકોએ જીવ ગુમાવ્યા તેમ છતાં પ્રશાસન કેમ આટલું અસંવેદનશીલ?

કેમ દરેક વખતે દુર્ઘટનાઓ બાદ તપાસ તપાસના થાય છે નાટક?

જિલ્લા કલેકટર જવાબ આપે કોન્ટ્રાકટર વિરૂદ્ધ થશે કાર્યવાહી?

કોન્ટ્રાકટર સેફ્ટીની વાતો કરે છે તો કેમ બની દુર્ઘટના?

કોન્ટ્રાકટર એજન્સી કેમ પ્રશાસનના આંખમાં ધૂળ નાંખવાનો કરે છે પ્રયાસ?

શું કોન્ટ્રાકટ એજન્સી અને તેના જવાબદારો સામે થશે કાર્યવાહી?

શું ગરીબ અને શ્રમિકોના જીવની નથી રહી કોઈ કિંમત?

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
Advertisement

વિડિઓઝ

Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન
Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
Kutch: સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ, કચ્છમાં બેંક ખાતા દ્વારા 1 અબજ રૂ.ની છેતરપિંડી કરનારો પકડાયો
Kutch: સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ, કચ્છમાં બેંક ખાતા દ્વારા 1 અબજ રૂ.ની છેતરપિંડી કરનારો પકડાયો
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
Embed widget