અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
Amreli News: પોલીસ વડા સંજય ખરાતની કડક કાર્યવાહી, ફરજમાં બેદરકારી બદલ લોકલ ક્રાઈમ બ્રાન્ચના ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા.

Amreli letter case: અમરેલીના ચર્ચિત લેટરકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ના ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતે આ કડક કાર્યવાહી કરી છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં કિશન આસોદરીયા, વરજાંગ મૂળયાસીયા અને મહિલા પોલીસ કર્મી હિનાબેન મેવાડાનો સમાવેશ થાય છે.
આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે અમરેલીના તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામનું નકલી લેટરપેડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું. આ અંગે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વધ્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઈપિસ્ટ તરીકે કામ કરતી પાટીદાર યુવતીનું સરઘસ કાઢ્યું. આ ઘટના બાદ રાજ્યના નેતાઓ અને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવીને ધરણાં અને વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને ન્યાયની માંગણી કરી હતી.
આ કેસમાં પોલીસની કાર્યવાહી પર સતત સવાલો ઉઠી રહ્યા હતા. પાયલ ગોટીએ જેલમાંથી બહાર આવ્યા બાદ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જેમાં તેને પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. પાયલ ગોટીના આ આક્ષેપોને ધ્યાનમાં રાખીને એક સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી, જેમાં Dysp એ.જી.ગોહિલ, મહિલા P.I. આઇ.જે. ગીડા અને મહિલા PSI એચ.જે.બરવાડીયાનો સમાવેશ થાય છે.
શું હતી સમગ્ર ઘટના?
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો.....
બાળકોમાં મોબાઈલનું વળગણ: વાલીઓ પણ જવાબદાર, સરકાર લાવશે કડક ગાઈડલાઈન - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
