શોધખોળ કરો
જામનગરઃ યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું, આપઘાત પાછળનું શું છે કારણ?
મંદીને કારણે ધંધો ચાલતો ના હોય ભાગીદાર અને અન્ય બે શખ્સો અવારનવાર ધાકધમકી આપતા હતા.

જામનગરઃ શહેરમાં ભાગીદારીમાં ધંધો કરતા યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મંદીને કારણે ધંધો ચાલતો ના હોય ભાગીદાર અને અન્ય બે શખ્સો અવારનવાર ધાકધમકી આપતા હતા. અવારનવાર ઉઘરાણીના ત્રાસથી કંટાળી જઈ ઝેરી દવા પી જતા મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ભાગીદાર તેના ભત્રીજો સહીત ૩ ઈસમો સામે આપઘાતના દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવામાં આવી છે.
વધુ વાંચો





















