શોધખોળ કરો

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

Morbi Jetpar farmer protest 2026: ખેડૂતોએ સરકારના બમણા વળતરના પરિપત્રને ફગાવ્યો, દીકરીઓના હાથે પારણાં કરી આંદોલનના 'પાર્ટ-3'ની રણનીતિ ઘડી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નેહુલ અમૃતિયાની તબિયત લથડતા, ૧૯ દિવસના ઉપવાસ સમેટાયા.
  • ખેડૂતોએ સરકારના વળતરનો પરિપત્ર સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.
  • ઉપવાસ સમેટી ખેડૂતોએ 'સત્યાગ્રહ' શરૂ કરવાની જાહેરાત કરી.
  • આંદોલન હવે 'સત્યાગ્રહ છાવણી' બની રાજ્યભરમાં વ્યાપશે.

Morbi Jetpar farmer protest 2026: મોરબીના જેતપરમાં છેલ્લા 19 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં એક મોટો અને સૂચક વળાંક આવ્યો છે. ખેડૂતોએ પોતાની જમીન અને અધિકારો માટે શરૂ કરેલી ભૂખ હડતાળ ભલે સમેટી લીધી હોય, પરંતુ સરકાર સામેની તેમની લડત હવે વધુ ઉગ્ર બનવા જઈ રહી છે. ખેડૂતોએ સરકાર દ્વારા આપવામાં આવેલા વળતરના પરિપત્રને સદંતર ફગાવી દીધો છે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનને નવું સ્વરૂપ આપીને 'સત્યાગ્રહ' શરૂ કરવાની મોટી જાહેરાત કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત મોડી રાત્રે ઉપવાસ પર બેઠેલા ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાની તબિયત અચાનક લથડી હતી. તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આખરે આમરણાંત ઉપવાસ સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આંદોલનકારી નેહુલ અમૃતિયા સહિતના અન્ય ઉપવાસીઓએ ખેડૂત પરિવારની નાની દીકરીઓના હસ્તે જળ ગ્રહણ કરીને પારણાં કર્યા હતા. જોકે, ખેડૂત આગેવાન વૈભવભાઈ અમૃતિયાએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ઉપવાસ પૂર્ણ થયા છે, પરંતુ ખેડૂતોના હિતની આ લડાઈ યથાવત રહેશે અને જ્યાં સુધી તેમની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી કોઈ પીછેહઠ કરવામાં આવશે નહીં.

આ દરમિયાન ખેડૂત સમિતિએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરતા એક મોટો નિર્ણય લીધો છે. સરકારે જમીન સંપાદન કે નુકસાની પેટે બજાર કિંમત કરતા 2 ગણા વળતર આપવાનો પરિપત્ર જાહેર કર્યો હતો, પરંતુ ખેડૂતોએ તેનો સ્પષ્ટ અસ્વીકાર કર્યો છે. ખેડૂતોનો દાવો છે કે સરકારના આ નવા પરિપત્ર મુજબ પણ સરવાળે તો ખેડૂતોને મોટું નુકસાન જ વેઠવાનો વારો આવી રહ્યો છે, જેથી આ શરતો તેમને મંજૂર નથી.

આગામી રણનીતિની વાત કરીએ તો, મંગળવારથી આ આંદોલન વધુ વ્યાપક અને આક્રમક સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી જે સ્થળને ‘ઉપવાસ છાવણી’ તરીકે ઓળખવામાં આવતું હતું, તેને આવતીકાલથી ‘સત્યાગ્રહ છાવણી’માં ફેરવી દેવામાં આવશે. આ પારણાં કાર્યક્રમ સાથે જ આંદોલનના 'પાર્ટ-3' ની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ 'પાર્ટ-3' અંતર્ગત આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોને એકઠા કરીને સરકાર સામે નવી અને મજબૂત વ્યૂહરચના ઘડવામાં આવશે. ખેડૂતોના આ બદલાયેલા વલણ અને નવી જાહેરાતને પગલે સ્થાનિક વહીવટી તંત્ર પણ હવે દોડતું થઈ ગયું છે.

આ પણ વાંચોઃ મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"

Frequently Asked Questions

મોરબીના જેતપરમાં ખેડૂતોની ભૂખ હડતાળ શા માટે સમેટી લેવાઈ?

ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાની તબિયત લથડતા ઉપવાસ સમેટવાનો નિર્ણય લેવાયો હતો. ખેડૂત પરિવારની નાની દીકરીઓના હસ્તે જળ ગ્રહણ કરીને પારણાં કરવામાં આવ્યા હતા.

ભૂખ હડતાળ સમેટ્યા બાદ ખેડૂતોનું વલણ શું છે?

ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ઉપવાસ પૂર્ણ થયા છે, પરંતુ ખેડૂતોના હિતની લડાઈ યથાવત રહેશે. જ્યાં સુધી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી પીછેહઠ કરવામાં આવશે નહીં.

સરકારે આપેલા વળતરના પરિપત્રને ખેડૂતોએ સ્વીકાર્યો છે?

ના, ખેડૂતોએ સરકારે જમીન સંપાદન કે નુકસાની પેટે બજાર કિંમત કરતા 2 ગણા વળતર આપવાનો પરિપત્ર સદંતર ફગાવી દીધો છે. ખેડૂતોનો દાવો છે કે આનાથી પણ તેમને મોટું નુકસાન થશે.

ખેડૂતોના આંદોલનની નવી રણનીતિ શું છે?

ખેડૂતોએ 'સત્યાગ્રહ' શરૂ કરવાની જાહેરાત કરી છે. 'ઉપવાસ છાવણી' હવે 'સત્યાગ્રહ છાવણી' બનશે અને 'પાર્ટ-3' અંતર્ગત સમગ્ર ગુજરાતના ખેડૂતોને એકઠા કરાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
નવા અવતારમાં આવી રહી છે Toyota Hilux પિકઅપ, જાણો ફીચર્સ અને લુકમાં શું થશે ફેરફાર?
નવા અવતારમાં આવી રહી છે Toyota Hilux પિકઅપ, જાણો ફીચર્સ અને લુકમાં શું થશે ફેરફાર?
Embed widget