શોધખોળ કરો

ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ લેવા 05 જૂન સુધીમાં આ કામ પતાવી લેજો નહીં તો સસ્તું અનાજ નહીં મળે

સાચા લાભાર્થીઓને ઓળખવાનો ઉદ્દેશ, અફવાઓથી દૂર રહેવા અપીલ; જૂન માસના અનાજ વિતરણ માટે તારીખમાં વધારો.

  • e-KYC ફરજિયાત: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા (NFSA) હેઠળ મફત અનાજનો લાભ ચાલુ રાખવા માટે e-KYC કરાવવું અનિવાર્ય છે.
  • અમદાવાદમાં પ્રગતિ: અમદાવાદ શહેરમાં ૮૩% થી વધુ રેશનકાર્ડમાં e-KYC પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
  • ઉદ્દેશ્ય સાચી ઓળખ: e-KYC નો મુખ્ય ઉદ્દેશ્ય સાચા અને હકદાર લાભાર્થીઓની ઓળખ કરવાનો છે.
  • અનાજ વિતરણની મુદત લંબાઈ: જૂન માસ માટે અન્ન વિતરણની અંતિમ તારીખ લંબાવીને ૦૫ જૂન, ૨૦૨૫ કરવામાં આવી છે.
  • લાભાર્થીઓને અપીલ: બાકી રહેલા તમામ NFSA લાભાર્થીઓને તાત્કાલિક e-KYC કરાવી લેવા અને અનાજનો લાભ મેળવી લેવા અપીલ કરવામાં આવી છે.

NFSA eKYC deadline 2025: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો ૨૦૧૩ (NFSA) હેઠળ ગુજરાત રાજ્યના તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનો લાભ ચાલુ રાખવા માટે e KYC કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં ૮૩% થી વધુ રેશનકાર્ડમાં e KYC પૂર્ણ થઈ ગયું છે. આ e KYC પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ સાચા લાભાર્થીઓની ઓળખ કરવાનો છે. અન્ન વિતરણની મુદ્દત ૦૫ જૂન, ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે, જેથી તમામ NFSA લાભાર્થીઓ જૂન માસ માટે યોજનાનો લાભ મેળવી શકે.

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો ૨૦૧૩ (NFSA) હેઠળ સમાવિષ્ટ ગુજરાત રાજ્યના તમામ લાભાર્થીઓને "પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના" હેઠળ મળતા વિનામૂલ્યે અનાજનો લાભ આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ લાભ મેળવવા અને લાભાર્થીઓની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે e KYC પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેથી નિયત ધારા ધોરણ પ્રમાણે સાચા લાભાર્થીઓને લાભ મળી શકે.

અમદાવાદમાં e KYC ની પ્રગતિ

અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં ૮૩ ટકાથી વધુ રેશનકાર્ડમાં e KYC પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, અમદાવાદ શહેર દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા ૨૦૧૩ (NFSA) હેઠળ લાભ મેળવતા તમામ લાભાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે, જો તેમનું e KYC બાકી હોય તો તાત્કાલિક કરાવી લે અને પોતાની નજીકની વ્યાજબી ભાવની દુકાનો ખાતેથી પોતાના લાભનું અનાજ મેળવી લે. આ e KYC નો ઉદ્દેશ સાચા લાભાર્થીઓની ઓળખ કરવાનો છે, જેથી કોઈએ ખોટા સમાચારથી ગેરમાર્ગે ન દોરાવવા વિનંતી કરવામાં આવી છે.

અન્ન વિતરણની મુદ્દતમાં વધારો

"રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો  ૨૦૧૩" હેઠળ અન્ન વિતરણ તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું. જોકે, રાજ્યના NFSA લાભાર્થીઓના હિતમાં આ મુદ્દતમાં વધારો કરીને ૦૫ જૂન, ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. જેથી તમામ NFSA લાભાર્થીઓને તા. ૦૫ જૂન, ૨૦૨૫ સુધી માહે જૂન ૨૦૨૫ માટે યોજનાનો લાભ મેળવી લેવા અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, અમદાવાદ શહેર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget