શોધખોળ કરો

ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ લેવા 05 જૂન સુધીમાં આ કામ પતાવી લેજો નહીં તો સસ્તું અનાજ નહીં મળે

સાચા લાભાર્થીઓને ઓળખવાનો ઉદ્દેશ, અફવાઓથી દૂર રહેવા અપીલ; જૂન માસના અનાજ વિતરણ માટે તારીખમાં વધારો.

  • e-KYC ફરજિયાત: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા (NFSA) હેઠળ મફત અનાજનો લાભ ચાલુ રાખવા માટે e-KYC કરાવવું અનિવાર્ય છે.
  • અમદાવાદમાં પ્રગતિ: અમદાવાદ શહેરમાં ૮૩% થી વધુ રેશનકાર્ડમાં e-KYC પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
  • ઉદ્દેશ્ય સાચી ઓળખ: e-KYC નો મુખ્ય ઉદ્દેશ્ય સાચા અને હકદાર લાભાર્થીઓની ઓળખ કરવાનો છે.
  • અનાજ વિતરણની મુદત લંબાઈ: જૂન માસ માટે અન્ન વિતરણની અંતિમ તારીખ લંબાવીને ૦૫ જૂન, ૨૦૨૫ કરવામાં આવી છે.
  • લાભાર્થીઓને અપીલ: બાકી રહેલા તમામ NFSA લાભાર્થીઓને તાત્કાલિક e-KYC કરાવી લેવા અને અનાજનો લાભ મેળવી લેવા અપીલ કરવામાં આવી છે.

NFSA eKYC deadline 2025: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો ૨૦૧૩ (NFSA) હેઠળ ગુજરાત રાજ્યના તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનો લાભ ચાલુ રાખવા માટે e KYC કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં ૮૩% થી વધુ રેશનકાર્ડમાં e KYC પૂર્ણ થઈ ગયું છે. આ e KYC પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ સાચા લાભાર્થીઓની ઓળખ કરવાનો છે. અન્ન વિતરણની મુદ્દત ૦૫ જૂન, ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે, જેથી તમામ NFSA લાભાર્થીઓ જૂન માસ માટે યોજનાનો લાભ મેળવી શકે.

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો ૨૦૧૩ (NFSA) હેઠળ સમાવિષ્ટ ગુજરાત રાજ્યના તમામ લાભાર્થીઓને "પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના" હેઠળ મળતા વિનામૂલ્યે અનાજનો લાભ આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ લાભ મેળવવા અને લાભાર્થીઓની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે e KYC પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેથી નિયત ધારા ધોરણ પ્રમાણે સાચા લાભાર્થીઓને લાભ મળી શકે.

અમદાવાદમાં e KYC ની પ્રગતિ

અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં ૮૩ ટકાથી વધુ રેશનકાર્ડમાં e KYC પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, અમદાવાદ શહેર દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા ૨૦૧૩ (NFSA) હેઠળ લાભ મેળવતા તમામ લાભાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે, જો તેમનું e KYC બાકી હોય તો તાત્કાલિક કરાવી લે અને પોતાની નજીકની વ્યાજબી ભાવની દુકાનો ખાતેથી પોતાના લાભનું અનાજ મેળવી લે. આ e KYC નો ઉદ્દેશ સાચા લાભાર્થીઓની ઓળખ કરવાનો છે, જેથી કોઈએ ખોટા સમાચારથી ગેરમાર્ગે ન દોરાવવા વિનંતી કરવામાં આવી છે.

અન્ન વિતરણની મુદ્દતમાં વધારો

"રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો  ૨૦૧૩" હેઠળ અન્ન વિતરણ તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું. જોકે, રાજ્યના NFSA લાભાર્થીઓના હિતમાં આ મુદ્દતમાં વધારો કરીને ૦૫ જૂન, ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. જેથી તમામ NFSA લાભાર્થીઓને તા. ૦૫ જૂન, ૨૦૨૫ સુધી માહે જૂન ૨૦૨૫ માટે યોજનાનો લાભ મેળવી લેવા અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, અમદાવાદ શહેર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
Embed widget