શોધખોળ કરો

Eknath Shinde U Turn: રાષ્ટ્રીય પાર્ટીના સપોર્ટવાળા નિવેદનથી ફરી ગયા એકનાથ શિંદે  

શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ એક દિવસ પહેલા નિવેદન આપીને મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો હતો, હવે તેમણે તે નિવેદન પરથી યુ-ટર્ન લીધો છે.

Eknath Shinde New Remark: શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ એક દિવસ પહેલા નિવેદન આપીને મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો હતો, હવે તેમણે તે નિવેદન પરથી યુ-ટર્ન લીધો છે. એકનાથ શિંદેએ હવે કહ્યું છે કે અમારા સંપર્કમાં કોઈ રાષ્ટ્રીય પક્ષ નથી. શિંદેનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમણે એક દિવસ પહેલા જ દાવો કર્યો હતો કે એક શક્તિશાળી રાષ્ટ્રીય પક્ષનું સમર્થન તેમના ધારાસભ્ય જૂથ સાથે છે.

એકનાથ શિંદે(Eknath Shinde)એ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ગુરુવારે એક વિડિયોમાં ધારાસભ્યોને કહ્યું હતું કે તે (ભાજપ) એક રાષ્ટ્રીય પક્ષ છે, અમને તેમનો ટેકો છે. શિંદેએ કહ્યું કે તેમણે મને કહ્યું છે કે લેવાયેલ નિર્ણય ઐતિહાસિક છે અને જ્યારે જરૂર પડશે ત્યારે તેઓ હાજર રહેશે. રાજકીય માહોલ ગરમ છે અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે શિંદે ભાજપની મદદથી સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. જો કે, શિંદેએ તેમના નિવેદનમાં કોઈપણ પક્ષનું નામ લીધા વિના રાષ્ટ્રીય પક્ષ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

એકનાથ શિંદેનો અચાનક યુ-ટર્ન કેમ ? તેના વિશે અત્યારે કંઈપણ કહેવું વહેલું ગણાશે. જો કે આજે પણ ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્ર ચીફ ચંદ્રકાંત પાટીલે સ્પષ્ટ કરી દીધું છે કે શિવસેનામાં ચાલી રહેલી વિવાદ સાથે ભાજપને કોઈ લેવાદેવા નથી. તે જ સમયે, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે દાવો કર્યો છે કે તેમની પાર્ટી એનસીપીનું સમર્થન ઉદ્ધવ ઠાકરેની સાથે છે.

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે અજિત પવારે પત્રકાર પરિષદ કરી કહ્યું કે  એનસીપીનું સંપૂર્ણ સમર્થન ઉદ્ધવ ઠાકરેની સાથે છે.  તેમણે કહ્યું કે સીએમ શિવસેનાના છે અને જો કોંગ્રેસ અને એનસીપીનું સમર્થન હોય તો સરકાર બહુમતીમાં છે. જો સરકાર બહુમતીમાં હોય તો તેમને નિર્ણય લેવાનો પૂરો અધિકાર છે. 

માતોશ્રીમાં એક મીટિંગ દરમિયાન શિવસેના ચીફ ઉદ્ધવે કહ્યું કે, ઠાકરેનું નામ લીધા વગર આ લોકો રહી નથી શકતા. એક સમયે શિવસેના માટે મરવાની વાતો કરતા હતા હવે પાર્ટી તોડવાની વાતો કરે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Embed widget