![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
જસ્ટિસ દોશીએ સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચના અગાઉના ચુકાદાઓનો હવાલો આપ્યો હતો. તેમણે જણાવ્યું કે નીચલી અદાલતો દ્વારા આપવામાં આવેલા નિર્ણયો ખામીયુક્ત હતા અને તેથી રદ થવાને પાત્ર છે.
![પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ part time employees equal pay demand gujarat high court ruling પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2017/07/25135326/2-High-court-denies-rape-survivor-permission-to-abort2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Part-time employees equal pay: ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેમાં જણાવ્યું છે કે અંશકાલીન કર્મચારીઓને સ્થાયી કરી શકાય નહીં. આ નિર્ણય અનુસાર, વર્ગ 4માં અંશકાલીન કર્મચારીઓને કાયમી નિમણૂક આપવાનો કે તેમને સ્થાયી કરવાનો આદેશ આપી શકાય નહીં.
આ ચુકાદો જામનગરની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના એક કેસમાં આવ્યો છે. કંપનીની સર્કલ ઓફિસમાં કામ કરતા એક સફાઇ કર્મચારીને કાયમી કરવા અંગે જામનગરના ત્રીજા સિવિલ જજ અને જોઇન્ટ ડિસ્ટ્રીક્ટ જજે આપેલા હુકમોને જસ્ટિસ જે.સી. દોશીએ રદ કર્યા હતા.
જસ્ટિસ દોશીએ સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચના અગાઉના ચુકાદાઓનો હવાલો આપ્યો હતો. તેમણે જણાવ્યું કે નીચલી અદાલતો દ્વારા આપવામાં આવેલા નિર્ણયો ખામીયુક્ત હતા અને તેથી રદ થવાને પાત્ર છે.
તેમણે સ્પષ્ટ કર્યું કે અંશકાલીન કર્મચારીઓ મંજૂર કરેલી જગ્યાઓ પર કામ કરતા નથી, તેથી તેઓ કાયમી નિમણૂક મેળવવાના હકદાર નથી. આવા હંગામી અંશકાલીન કર્મચારીઓને કાયમી કરવા, નિયમિત કરવા કે સમાવવા માટેનો કોઈ આદેશ આપી શકાય નહીં.
વધુમાં, અંશકાલીન કર્મચારીઓ સરકારી સંસ્થાઓમાં 'સમાન કામ માટે સમાન વેતન'ના સિદ્ધાંત હેઠળ કાયમી કર્મચારીઓ જેટલો પગાર માંગી શકતા નથી. ખાનગી સંસ્થાઓમાં પૂર્ણ સમય કામ કરતા હોય તો પણ તેઓ સરકારી કર્મચારીઓના પગારધોરણ મુજબ વેતન માંગી શકતા નથી.
સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું છે કે અંશકાલીન કર્મચારીઓને આ રીતે કાયમી કરવાનો આદેશ આપવાની સત્તા હાઇકોર્ટને પણ નથી. જો આવા કર્મચારીઓને કાયમી કરવા હોય તો માત્ર નિયમિત નિમણૂકની પસંદગી પ્રક્રિયા દ્વારા જ કરી શકાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)