શોધખોળ કરો
Advertisement
હાર્દિક પટેલના વિરોધમાં યુવાનો રસ્તા પર ઉતર્યા, ગુજરાતમાં ઘણી જગ્યાએ કરાયું પૂતળાદહન
અમદાવાદ: કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ રાજકારણમાં જોડાતા ગુજરાતમાં ઘણી જગ્યાએ હાર્દિક પટેલનું પૂતળા દહન કર્યું હોવાની ઘટના સામે આવી હતી. અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર સહિતના વિસ્તારમાં હાર્દિક પટેલના પૂતળા દહનના કાર્યક્રમની પત્રિકા વાઈરલ થતાં પોલીસ ખાતું હરકતમાં આવ્યું હતું.
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં હાર્દિક પટેલના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં હાર્દિક પટેલના વિરોધની પત્રિકાઓ પણ વાઈરલ થઈ હતી. કેટલાંક સ્થળોએ પુતળા દહળની વાત સામે આવતાં પોલીસે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિકે એક સમયે એવો દાવો કર્યો હતો કે, તેઓ રાજકારણમાં પ્રેવશ નહીં કરે પરંતુ તેમણે કોંગ્રેસમાં પ્રેવશ કરતાં હવે આ સ્થિતિ સર્જાઈ હોવાની શક્યતા છે.
બીજી બાજુ હાર્દિક પટેલે રવિવારે યોજાયેલા સ્નેહ મિલનના કાર્યક્રમમાં સ્પષ્ટ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે 10 ટકા અનામતની જાહેરાત કરી છે, તેથી સમાજની અનામતની માંગણી સંતોષાઈ અને એટલે મેં ભવિષ્યની લડાઈ લડવા રાજકારણમાં પ્રવેશ કર્યો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સુરત
ક્રિકેટ
ગુજરાત
Advertisement