શોધખોળ કરો

PM Modi Gujarat Visit: સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ, PM મોદીએ કહ્યુ- 'ગામ, ગરીબનો વિકાસ એ સરકારનો મંત્ર'

PM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદી અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે

LIVE

Key Events
PM Modi Gujarat Visit: સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ, PM મોદીએ કહ્યુ-  'ગામ, ગરીબનો વિકાસ એ સરકારનો મંત્ર'

Background

PM Modi Gujarat Visit:  આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન મોદી સાબરમતી આશ્રમના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન લોન્ચ કરશે. સાબરમતી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મોદી સભામાં ઉપસ્થિત રહેશે. આ સમયે 24 મહિલા ચરખો કાંતીને મોદીનું સ્વાગત કરશે. વડાપ્રધાન મોદીની અમદાવાદ મુલાકાતને લઈને સુરક્ષા એજન્સીઓએ કવાયત હાથ ધરી હતી. ગાંધી આશ્રમ અને સભા સ્થળ પર તપાસ કરી હતી.

જાણો સંપૂર્ણ કાર્યક્રમ

મળતી જાણકારી અનુસાર, વડાપ્રધાન મોદી સવારે 8.20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. બાદમાં નવ વાગ્યે સાબરમતી ડી કેબિન રેલવે સ્ટેશને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ 9.30 કલાકે સાબરમતી આશ્રમ જવા રવાના થશે. ત્યારબાદ 10 વાગ્યે વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમના નવીનીકરણનો પ્રોજેકટ નિહાળશે. સાડા 10 વાગ્યે અભયઘાટ પર સભા સંબોધન કરશે. અહીં તેઓ ગાંધી આશ્રમના રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટ પાછળ સરકાર 1200 કરોડ ખર્ચશે અને આખા આશ્રમની કાયાપલટ કરશે. ત્યારબાદ તેઓ સાબરમતી ગાંધી આશ્રમ નજીક આવેલા અભય ઘાટ મેદાન ખાતે વિશાળ જનસભાને સંબોધશે. ગુજરાતી વડાપ્રધાન રાજસ્થાન જવા રવાના થશે.

ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે. એક સ્ટેશન એક ઉત્પાદન સ્ટોલ, ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ, ગુડ શેડ અને જન ઔષધી કેંદ્રનું લોકાર્પણ કરશે.

અમદાવાદથી દ્વારકા સુધી વંદે ભારત ટ્રેન દોડશે

હવે અમદાવાદથી દ્વારકા સુધી વંદે ભારત ટ્રેન દોડશે. પીએમ મોદીની વર્ચ્યુ્અલ હાજરીમાં રાજકોટ રેલવે સ્ટેશનથી જામનગર-અમદાવાદ વંદેભારત ટ્રેનને દ્વારકા સુધી લંબાવાશે. ઓખા-અમદાવાદ વંદેભારત ટ્રેન સપ્તાહના છ દિવસ ઓખાથી સવારે 3.40 વાગ્યે રવાના થઈ 4 વાગ્યે 5 મિનિટે દ્વારકા પહોંચશે.

બાદમાં દ્વારકાથી 4.10 વાગ્યે નિકળી સવારે 10.10 વાગ્યે અમદાવાદ પહોંચશે. તો ટ્રેન નંબર 22925 અમદાવાદ ખાતેથી મંગળવાર સિવાયના છ દિવસ દોડશે. જે મુજબ ટ્રેન અમદાવાદથી સાંજે 6 વાગ્યે 10 કલાકે રવાના થશે અને રાત્રે 12.05 મિનિટે દ્વારકા અને 12 વાગ્યે 40 મિનિટે ઓખા પહોંચશે.              

11:38 AM (IST)  •  12 Mar 2024

જે દેશ વિરાસત ન સંભાળી શકે તે પોતાનું ભવિષ્ય ખોઈ બેસે છે

તેમણે કહ્યું  હતુ કે 3 કરોડ લખપતી દીદી બનાવવાનો મારો સંકલ્પ છે.  રોજ શાળાના ઓછામાં ઓછા 1 હજાર બાળકો આશ્રમની મુલાકાત લે. સાબરમતી આશ્રમ ઉર્જાનું જીવન કેન્દ્ર છે. સાબરમતી આશ્રમે બાપુના મૂલ્યોને સજીવ કરી રાખ્યા છે.  દ.આફ્રિકાથી પરત ફર્યા બાદ બાપુએ પ્રથમ કોચરબ આશ્રમ બનાવ્યો. કોચરબમાં બે વર્ષ રહ્યા બાદ બાપુ સાબરમતી આશ્રમ આવ્યા હતા. આઝાદીના અમૃત મહોત્સવના ગાંધીના સિદ્ધાંતોનું પ્રતિબિંબ છે. દેશમાં  2 લાખથી વધુ અમૃતવાટીકાનું નિર્માણ કરાયું છે. દેશમાં 2 કરોડથી વધુ વક્ષો વાવવામાં આવ્યા છે. 17 હજારથી વધુ અમૃત સરોવરનું નિર્માણ થયું છે. સાબરમતી આશ્રમ આઝાદીની લડાઈ સાથે વિકસિત ભારતનું તીર્થ છે. જે દેશ વિરાસત ન સંભાળી શકે તે પોતાનું ભવિષ્ય ખોઈ બેસે છે. બાપુનો સાબરમતી આશ્રમ માનવ જાતની ઐતિહાસિક ધરોહર છે. આઝાદી પછી બાપુના સાબરમતી આશ્રમ સાથે ન્યાય ન થયો. 120 એકરમાં ફેલાયેલ બાપુનું આશ્રમ માત્ર 5 એકરમાં સમેટાઇ ગયો હતો. 

11:38 AM (IST)  •  12 Mar 2024

લાખો લોકો સરદાર પટેલને નમન કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે છે

તેમણે કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયા માટે આકર્ષણનું કેંદ્ર બન્યું છે. લાખો લોકો સરદાર પટેલને નમન કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે છે. જનઆંદોલન થકી બાપુએ દેશની જનતામાં ઉર્જાનું સિંચન કર્યું છે. બાપુએ ગ્રામ સ્વરાજ અને આત્મનિર્ભર ભારતનું સપનું જોયું હતુ. વોકલ ફોર લોકલ બાપુની આત્મનિર્ભર ભારતની પરિકલ્પના છે. ગુજરાતના 9 લાખ ખેડૂત પરિવાર પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ગુજરાતમાં 3 લાખ મેટ્રિક ટન યુરિયાનો ઉપયોગ ઓછો થયો છે. બાપુની પ્રાકૃતિક ખેતીની વિચારધારાને આગળ વધારવાનો પ્રયાસ છે. ગ્રામીણ મહિલાઓ સ્વનિર્ભર થઇ રહી છે.

11:36 AM (IST)  •  12 Mar 2024

અગાઉની સરકારો ભારતને વિદેશની દ્રષ્ટીથી જોતા હતા

લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે અગાઉની સરકારો ભારતને વિદેશની દ્રષ્ટીથી જોતા હતા. અગાઉની સરકારોની દ્રષ્ટીથી વિરાસતની જાળવણી થઇ નથી. કાશીમાં 2 વર્ષમાં 12 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા છે. અયોધ્યામાં 50 દિવસમાં 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. ગુજરાતે પોતાની ઐતિહાસિક વિરાસતોને સાચવીને રાખી છે. ગુજરાતે વિરાસતો સાચવવાનો હંમેશા પ્રયાસ કર્યો છે. ગુજરાતે રાષ્ટ્ર સ્મારકોને સાચવીને વિકાસ આગળ વધાર્યો છે. દિલ્હીમાં કર્તવ્યપથ પર નેતાજી સુભાષચંદ્રની પ્રતિમા સ્થાપિત કરી હતી.

11:30 AM (IST)  •  12 Mar 2024

બાપુના વિચારો,આદર્શ,મૂલ્યોને વિશ્વભરમાં ફેલાવવાનો સંકલ્પ છે

લોકોને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતું કે બાપુના વિચારો,આદર્શ,મૂલ્યોને વિશ્વભરમાં ફેલાવવાનો સંકલ્પ છે. 1200 કરોડના ખર્ચે આશ્રમનો 55 એકરમાં વિકાસ કરાશે. આશ્રમના ટ્રસ્ટી અને આશ્રમવાસીઓનો ખુબ આભાર માનીએ છીએ. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ છે.

11:06 AM (IST)  •  12 Mar 2024

સાબરમતી આશ્રમને પાંચમાંથી 55 એકરમાં ફેલાવાશે

વડાપ્રધાન મોદી સાબરમતી આશ્રમ નવીનીકરણના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. 1200 કરોડ રૂપિયાના ખર્ચે આશ્રમને રિડેવલપમેન્ટ કરાશે.  સાબરમતી આશ્રમને પાંચમાંથી 55 એકરમાં ફેલાવાશે. વારસો સચવાય રહે તે રીતે હૃદયકુંજ સહિતના 20 સ્થળોની ડિઝાઈન બનાવાઇ છે. કેફેટેરિયા, ઉદ્યોગમંદિર, ઓરીએન્ટેશન સેન્ટર ઉભું કરાશે. ભાષાનુવાદ કેન્દ્ર, લેક્ચર-સેમિનાર માટેની વ્યવસ્થા  ઉભી કરાશે. આર્કિટેક બિમલ પટેલે નવી ડિઝાઈન  તૈયાર કરી છે

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
Israel: લેબનાનમાં ઘૂસી ઇઝરાયલની સેના, IDFએ શરૂ કર્યું ગ્રાઉન્ડ ઓપરેશન
Israel: લેબનાનમાં ઘૂસી ઇઝરાયલની સેના, IDFએ શરૂ કર્યું ગ્રાઉન્ડ ઓપરેશન
Embed widget