શોધખોળ કરો

Banaskantha: પોલીસ ઈન્સ્પેક્ટરના માતા-પિતાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યાથી ખળભળાટ 

બનાસકાંઠા  જિલ્લાના લાખણીના જસરા ગામમાં હત્યાનો બનાવ બન્યો છે. SMCના  પીઆઇ એ.વી પટેલના માતા પિતાની હત્યા કરવામાં આવી છે.

બનાસકાંઠા: બનાસકાંઠા  જિલ્લાના લાખણીના જસરા ગામમાં હત્યાનો બનાવ બન્યો છે. SMCના  પીઆઇ એ.વી પટેલના માતા પિતાની હત્યા કરવામાં આવી છે.  જસરા ગામમાં  સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એ.વી પટેલના માતા-પિતાની અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. દંપતી ઘરમાં સુતુ હતુ તે દરમિયાન આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.  હત્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હાલ તો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને તપાસ કરી રહ્યો છે.  પોલીસે મૃતદેહને પોર્સ્ટ મોર્ટમ માટે  મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. 

અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા કરી

અજાણ્યા શખ્સોએ વર્ધાજી પટેલ અને હોશીબેન પટેલને મોતને ઘાટ ઉતાર્યા છે. ખેતરમાં રાત્રિના સમયે સુતા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા કરી છે. આગથળા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.  દંપતીની હત્યાને લઈને લોકોમાં ભારે રોષ છે.

લૂંટ બાદ દંપતીને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા

લાખણીના જસરા ગામે થયેલી SMC  PI ના માતા પિતાની હત્યામાં  જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,  હત્યારા દંપતીની હત્યા કરી મહિલાના દાગીના કાઢી ગયા હતા. પગ કાપી પગના કડલા તો કાનમાંથી બુટ્ટી તેમજ ગળામાંથી દાગીનાની લૂંટ કરી હતી.  લૂંટ કર્યા બાદ દંપતીને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે,  મોડી રાત્રે થયેલી આ હત્યાની ઘટનાને લઇ  બનાસકાંઠાની એલસીબી એસોજી એસપી સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટારાઓએ ઘટનાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે.  સમગ્ર મામલાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં 12 કલાકમાં 3 હત્યાના બનાવ, કાંકરિયા પાસે સગીર ફિયાન્સીની પથ્થરના ઘા મારી હત્યા
અમદાવાદમાં 12 કલાકમાં 3 હત્યાના બનાવ, કાંકરિયા પાસે સગીર ફિયાન્સીની પથ્થરના ઘા મારી હત્યા
USA-Israel Relations: ટ્રમ્પે નેતન્યાહૂ સાથે બંધ બારણે કરી મિટિંગ, શું ઈરાન પર થવાનો છે મોટો હુમલો ?
USA-Israel Relations: ટ્રમ્પે નેતન્યાહૂ સાથે બંધ બારણે કરી મિટિંગ, શું ઈરાન પર થવાનો છે મોટો હુમલો ?
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો જગદગુરુ રામભદ્રાચાર્ય પર મોટો આરોપ, 'બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે'
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો જગદગુરુ રામભદ્રાચાર્ય પર મોટો આરોપ, 'બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે'
ફક્ત એક ઓર્ડર અને આ કંપનીના શેરમાં આવ્યો જોરદાર ઉછાળો; લાગી અપર સર્કિટ, રોકાણકારોને આપ્યું 7,950% નું રિટર્ન
ફક્ત એક ઓર્ડર અને આ કંપનીના શેરમાં આવ્યો જોરદાર ઉછાળો; લાગી અપર સર્કિટ, રોકાણકારોને આપ્યું 7,950% નું રિટર્ન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખંડણીખોર
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ, કોંગ્રેસ, આપમાં ડખ્ખો
Hun To Bolish : હું તો બોલીશ : મહાપર્વના શ્રીગણેશ
Rajkot News : રાજકોટમાં ભાજપ નેતાનો માતાજીના માંડવામાં ધૂણતા હોવાનો વીડિયો વાયરલ
Raju Karpada : AAPમાંથી રાજીનામું આપતાં જ રાજુ કરપડાને ભાજપમાં જોડાવા આમંત્રણ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 12 કલાકમાં 3 હત્યાના બનાવ, કાંકરિયા પાસે સગીર ફિયાન્સીની પથ્થરના ઘા મારી હત્યા
અમદાવાદમાં 12 કલાકમાં 3 હત્યાના બનાવ, કાંકરિયા પાસે સગીર ફિયાન્સીની પથ્થરના ઘા મારી હત્યા
USA-Israel Relations: ટ્રમ્પે નેતન્યાહૂ સાથે બંધ બારણે કરી મિટિંગ, શું ઈરાન પર થવાનો છે મોટો હુમલો ?
USA-Israel Relations: ટ્રમ્પે નેતન્યાહૂ સાથે બંધ બારણે કરી મિટિંગ, શું ઈરાન પર થવાનો છે મોટો હુમલો ?
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો જગદગુરુ રામભદ્રાચાર્ય પર મોટો આરોપ, 'બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે'
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો જગદગુરુ રામભદ્રાચાર્ય પર મોટો આરોપ, 'બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે'
ફક્ત એક ઓર્ડર અને આ કંપનીના શેરમાં આવ્યો જોરદાર ઉછાળો; લાગી અપર સર્કિટ, રોકાણકારોને આપ્યું 7,950% નું રિટર્ન
ફક્ત એક ઓર્ડર અને આ કંપનીના શેરમાં આવ્યો જોરદાર ઉછાળો; લાગી અપર સર્કિટ, રોકાણકારોને આપ્યું 7,950% નું રિટર્ન
હવે રશિયામાં નહીં ચાલે WhatsApp, સરકારે લગાવ્યો પ્રતિબંધ, કરોડો યૂઝર્સ થશે પ્રભાવિત
હવે રશિયામાં નહીં ચાલે WhatsApp, સરકારે લગાવ્યો પ્રતિબંધ, કરોડો યૂઝર્સ થશે પ્રભાવિત
IND vs NAM: શું નામિબિયા સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં થશે મોટો ફેરફાર? આ સ્ટાર ઓપનરના રમવા પર સસ્પેન્સ
IND vs NAM: શું નામિબિયા સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં થશે મોટો ફેરફાર? આ સ્ટાર ઓપનરના રમવા પર સસ્પેન્સ
Aaj Nu Rashifal: આજે બપોરે 12:25 વાગ્યા પછી બદલાશે ગ્રહોની ચાલ,આ 5 રાશિઓનું ખુલશે ભાગ્ય!
Aaj Nu Rashifal: આજે બપોરે 12:25 વાગ્યા પછી બદલાશે ગ્રહોની ચાલ,આ 5 રાશિઓનું ખુલશે ભાગ્ય!
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના એંધાણ? કતાર એરબેઝ પર મિસાઈલ સિસ્ટમ અને ફાઈટર જેટ્સ તૈનાત
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના એંધાણ? કતાર એરબેઝ પર મિસાઈલ સિસ્ટમ અને ફાઈટર જેટ્સ તૈનાત
Embed widget